Saturday June 21, 2025

તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા માતૃભાષા મહોત્સવ ઉજવાયો

હરેશ જોષી, તળાજા

તળાજાની નરસિંહ મહેતા વિદ્યાલય દ્વારા 21 મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આવી હતી તેમાં અતિથિ વિશેષમાં પૂજ્ય ભારદ્વાજ બાપુ( શિવ કથાકાર) માધવસિંહ પરમાર(tpeo તળાજા) વિશાલભાઈ રાજ્યગુરુ(ક્લાસ 2 અધિકારી) અને વક્તા તરીકે વંદનાબેન (ક્લાસ 2 અધિકારી) ગોસ્વામી, જાણીતા (ઉદ્ભોષક) મિતુલ રાવલ આવ્યા હતા. ભારદ્વાજ બાપૂએ આશીર્વાદમાં કહ્યું કે માતાની ભાષા એટલે માતૃભાષા વિશાલભાઈ રાજ્યગુરુ કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ છે ત્યાં સુધી આપણી માતૃભાષા છે વંદના બહેન ગોસ્વામી એમના વક્તવ્યમાં વિકાસ પામતી માતૃભાષા વિશે બાળકો સાથે વાત કરી હતી અને મિતુલભાઈ રાવળે સુંદર મજાની કાવ્ય પંક્તિઓ અને બાળકોને મોજ પડે એ રીતે સુંદર માતૃભાષાની રજૂઆત કરી હતી. કાર્યક્રમનું સંચાલન પૂનમબેન જેઠવાએ કર્યું હતું. મહેમાનોનું હાર્દિક સ્વાગત આચાર્ય ધર્મિષ્ઠાબેન ગોસ્વામીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ મોટી જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top