Saturday June 21, 2025

કનૈયો બન્યો મહાદેવ: શિવરાત્રિ પર્વ નિમિત્તે દ્વારકાધીશને શિવસ્વરૂપ શૃંગાર

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫

       મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને શિવ સ્વરૂપના વિશેષ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા.

         શિવજીના વિશેષ વાઘા સાથેનો શૃંગાર ઠાકોરજીને કરાયો હતો. ઠાકોરજીના દૈદિપ્યમાન શૃંગાર મનોરથનો બહોળી સંખ્યામાં સ્થાનિકોએ તેમજ ઓનલાઇનના માધ્યમથી લાખો ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લઈ, ભાવવિભોર બન્યા હતા.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top