પોરબંદર
Crime Report: Naran Baraiya
click the link to explore news
THE GREAT WORLD 🌎
એણે એલસીબી પીઆઇ આર કે કાંબરીયાને શા માટે ગાળો દીધી??
પોલીસે એને બેરહેમીથી માર શા માટે માર્યો??
પોરબંદર
એક સમયે ગેંગવોર થી જાણીતા પોરબંદરમાં હવે ક્રાઈમ જેવું ખાસ રહ્યું નથી અને છેલ્લા ઘણા વર્ષોથી ગુંડાગીરી નાબૂદ થઈ ગઈ છે માત્ર નાના-મોટા છમકલા જ થયા કરે છે. આવા સંજોગોમાં પોલીસની ગુંડાગીરી સામે આવી છે. કારણો હજી સ્પષ્ટ થયા નથી પરંતુ સપાટી ઉપર એ વાત આવી છે કે કરણ નામના એક યુવકે એલસીબી માં પટાવાળા તરીકે કામ કરતા અજય નામના એક યુવક સાથે માથાકૂટ અને મારામારી કરી. આ માથાકૂટ દરમિયાન કરણે પોરબંદર એલસીબીના પી.આઈ આર કે કાંબરીયાને પણ ગાળો દીધી. અને ત્યાર પછી જે ઘટના ક્રમ સર્જાયો તેમાં પોલીસે કરણને ઢોર માર માર્યો. કરણ દવાખાને દાખલ થયો અને સમગ્ર મહેર સમાજ કરણની વહારે આવ્યો. પોલીસના જુલમ સામે મહેર સમાજે કમલાબાગ પોલીસમાં આવેદનપત્ર આપ્યું અને પોલીસ સામે એફઆઇઆર થવી જોઈએ તેવી માંગણી પણ કરી છે. જોકે કરણ સામે પ્રોહીબિશન અંગે એફઆઇઆર થઈ છે પરંતુ પોલીસ સામે હજુ સુધી એફઆઇઆર થયાના કોઈ ખબર નથી. આ અંગે કમલાબાગ પીઆઈ આર.સી કાનમિયાનું કહેવું એમ છે કે તેઓ ઘટનાની ખરાઈ કરી રહ્યા છે અને પુરાવા મળે તો લાગુ પડતી યોગ્ય કાર્યવાહી જરૂર કરવામાં આવશે. બીજી તરફ પોરબંદર એલસીબી પીઆઇ આર કે કાંબરીયા જણાવી રહ્યા છે કે કરણ સામે એટ્રોસિટી એક્ટ મુજબ પણ કાર્યવાહી થવા જઈ રહી છે. આગામી ટૂંક સમયમાં આ ઘટના બહુ જ મોટો વળાંક લે એવી સંભાવના જોવામાં આવી રહી છે. સંભાવના એવી પણ છે કે સમગ્ર ઘટના એક સમાધાનના લેવલ પર આવીને આટોપાઈ પણ જઈ શકે છે. પરંતુ એક પોલીસ અધિકારી દ્વારા એક આરોપીને બેરહમીથી માર મારવામાં આવ્યો છે ત્યારે આ ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કારણ બની રહી છે. ગુજરાતમાં ક્રાઇમને નાથવા માટે ગૃહ ખાતા તરફથી પોલીસ દ્વારા થતી કાર્યવાહીઓ પ્રત્યે કૂણી લાગણી દાખવવામાં આવી રહી છે ત્યારે અને રાજ્યમાં ઠેર ઠેર આરોપીઓના વરઘોડા નીકળી રહ્યા છે ત્યારે આ ઘટનામાં પોલીસ પોતે અને ગૃહ ખાતું શું કાર્યવાહી કરે છે તેના પર પણ સૌની નજર છે.
.