
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫
કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે પરપ્રાંતિય શ્રમિક દંપત્તિએ સજોડે ઝેરી દવા પી, આપઘાત કર્યાનો બનાવો પ્રકાશમાં આવ્યો છે.
આ કરુણ ઘટના અંગે બિનઆધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ બારડોલી તાલુકાના મેવાછી ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહી અને ખેત મજૂરી કરતા દિનેશભાઈ સુકાભાઈ રાઠોડ નામના 47 વર્ષના આદિવાસી યુવાને તેમના ધર્મપત્ની ઉષાબેન દિનેશ (ઉ.વ. 36) સાથે ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લેતા બંનેના નિષ્પ્રાણ દેહ મળી આવ્યા હતા.
બંનેના મૃતદેહને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ શ્રમિક દંપત્તિના આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. ત્યારે આ દંપતીના સજોડે આપઘાતના આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



(ફોટો:- કુંજન રાડિયા)