Sunday August 10, 2025

દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સહાય

ચણાનું ખળુ લેતાં સર્જાયેલ અકસ્માતમાં જીવ ગુમાવતાં સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ

મૂકેશ પંડિત, ઈશ્વરિયા બુધવાર તા.૨-૪-૨૦૨૫

દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કરવામાં આવેલ છે.

સિહોર તાલુકાનાં દેવગાણા ગામે ગયા સપ્તાહે ચણાનું ખળુ લેતાં તે ખેડૂત મહિલા દર્શનાબેન કપિલભાઈ પંડ્યા હલર યંત્ર સાથે સર્જાયેલ અકસ્માતમાં જીવ ગુમાવતાં શ્રી મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભોગ બનનારનાં પરિવારને શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top