Sunday June 22, 2025

દ્વારકા, ભાણવડમાં ભાજપના ભવ્ય વિજયનો શ્રેય જનતા સાથે કાર્યકરોને અપાયો: સલાયામાં કોંગ્રેસના જનમત ઘટાડો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સાથે તાલુકા પંચાયતની બે જુદી જુદી બેઠક પરની યોજાઈ ગયેલી પેટા ચૂંટણી સહિત કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામો ગઈકાલે આવ્યા છે. આ પરિણામોમાં ભાજપનો ગઢ વધુ મજબૂત થયાનું તેમજ કોંગ્રેસનો જનમત ઘટ્યાનું ચિત્ર ખડું થયું છે. ભાજપના ભવ્ય […]

તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન

હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી […]

ઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા        નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મકનભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢને સોમવારે ઓખાથી આશરે 75 નોટિકલ માઈલ દૂર અંબે ભવાની નામની બોટમાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.         આ અંગેની જાણ કિરીટકુમાર જીતેન્દ્રભાઈ ટંડેલે […]

ભરાણા ગામે લગ્ન પ્રસંગમાં ગયેલા આસામીના રહેણાંક મકાનમાં ઘરફોડી

જામ ખંભાળિયા        ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા ભરાણા ગામે રહેતા આબેદિનભાઈ નજીરભાઈ પીરજાદા નામના 31 વર્ષના યુવાન ગત તારીખ 8 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે લગ્ન પ્રસંગે તેમના મકાનને બંધ કરી અને ગયા હતા. ત્યારે આશરે ત્રણેક કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરના દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો.       અહીં […]

ભાણવડમાં વૃદ્ધ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

જામ ખંભાળિયા       ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા ગોરધનભાઈ માંડાભાઈ નકુમ નામના 75 વર્ષના સતવારા વૃદ્ધ પર જામનગર ખાતે રહેતા નવનીતભાઈ ગોરધનભાઈ નકુમ, મનીષાબેન નવનીતભાઈ નકુમ અને ગૌતમ નવનીતભાઈ નકુમ તથા દર્શિક લખમણભાઈ સોનગરા નામના ચાર શખ્સોએ લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે હુમલો કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ […]

મીઠાપુરમાં બે સ્થળોએ જુગાર દરોડામાં પાંચ મહિલાઓ સહિત સાત ઝડપાયા

જામ ખંભાળિયા        મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં આવેલા એક તળાવ પાસે બેસીને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મંગુબેન નાગસીભાઈ ચમડિયા, સુધાબેન બાલુભાઈ ચૌહાણ, વાલબાઈ રામભા માણેક, રાજુબેન સુમલાભા હાથલ અને દિપાલીબેન મસરીભાઈ મકવાણાને પોલીસે ઝડપી લઇ રૂ. 3, 070 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.       અન્ય એક દરોડામાં પોલીસે સુરજકરાડી ગોડાઉન […]

સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત – શ્રી મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું પાન કરતાં ભાવિકો કોટેશ્વર, મંગળવાર તા.૧૮-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત છે, […]

“ફાલ્ગુન ફેરી” નિમિત્તે 12મી માર્ચે પાલીતાણાથી બાન્દ્રા માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે

ભાવનગર મુસાફરોની સુવિધા અને “ફાલ્ગુન ફેરી” નિમિત્તે પાલીતાણામાં થનાર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ પાલીતાણા-બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃબાંદ્રા ટર્મિનસથી પાલીતાણા માટે ચાલવાવાળી બાંદ્રા-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09093) બાંદ્રા ટર્મિનસથી 10.03.2025 (સોમવાર)ના […]

ખંભાળિયામાં વેરાની ભરપાઈ કરતા આસામીઓને નગરપાલિકા આપશે ડસ્ટબીન

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫       ખંભાળિયા શહેરમાં વસવાટ કરતા નગરપાલિકાની તાબા વિસ્તારના મિલકતધારકોને નગરપાલિકાના ચૂકવવા થતાં કરવેરામાં વેરા વસુલાતની ઝુંબેશના ભાગરૂપે જે મિલકતધારક દ્વારા પોતાની માલિકીની મિલકતનો વર્ષ 2024-25 નો કરવેરો ભરપાઈ કરી આપે, તે તમામ કરદાતાઓને નગરપાલિકા કચેરી દ્વારા ડસ્ટબીન (કચરાપેટી) ભેટ સ્વરૂપે આપવામાં આવશે.         આથી શહેરી વિસ્તારના […]

દ્વારકામાં વિવિધ વિકાસકાર્યો માટે રૂા. 131.76 કરોડ ફાળવ્યા

– રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, નાગેશ્વર જયોતિર્લિંગને બેટ દ્વારકાને જોડતો નવો રીંગ રોડ મંજૂર – – પાલીકાની ચૂંટણી પૂર્ણ થતાં જ મુખ્યમંત્રીએ વિકાસનો ખોલ્યો પટારો –  – દ્વારકા હોટલ એસોસીએશને મુખ્યમંત્રીને પાઠવ્યા અભિનંદન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૩૦૨૫      દ્વારકા નગરપાલીકાની નવા સત્તા શાસન માટેની ચૂંટણી રવિવારે પૂર્ણ થયાની સાથે જ રાજ્યના […]

Back to Top