Sunday June 22, 2025

ગીર રક્ષિત વિસ્તારમાં 21 મહત્ત્વપૂર્ણ લાયન કોરિડોર્સ: પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

(કુંજન રાડિયા દ્વારા) જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫       ગીર રક્ષિત વિસ્તાર માટેના મેનેજમેન્ટ પ્લાન અનુસાર સરકારે કુલ 21 મહત્ત્વપૂર્ણ કોરિડોર્સની ઓળખ કરી છે. ગીરમાં લાયન કોરિડોર્સ સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વેળાએ વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તી વર્ધન સિંઘે રાજ્યસભામાં તા. 13 ફેબ્રુઆરીના રોજ આ […]

પ્રયાગરાજનો મહાકુંભ: પુણ્યનું ભાથું બાંધવાની એક અમૂલ્ય તક: યુપી સરકારની નોંધપાત્ર વ્યવસ્થા ભક્તો માટે આશીર્વાદ રૂપ

– કુલ 22 સેક્ટરના જુદા જુદા અખાડાઓમાં યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ – (પ્રયાગરાજ – અયોધ્યાથી કૌશલ સવજાણીનો અનુભવ) જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫           દર બાર વર્ષે યોજાતા મહાકુંભનું સ્નાન ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ત્યારે મહાકુંભનું આ સ્નાન અશ્વમેઘ યજ્ઞના પુણ્ય સમાન છે. આ સ્નાનમાં ડૂબકી લગાવીને કરોડો લોકો હાલ […]

શુભ વિવાહ: : ચિ. વિપિન * ચિ. પ્રગતિ :: ખંભાળિયાના ભટ્ટ પરિવારના દ્વારે લગ્નનો રૂડો અવસર

      જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫ : ખંભાળિયાના ગં.સ્વ. શોભનાબેન તથા સ્વ. વસંતરાય હરિલાલ ભટ્ટના સુપુત્ર ચિ. વિપિનના શુભલગ્ન જામનગર નિવાસી અ.સૌ. જ્યોતિબેન તથા શ્રી કેતનભાઈ દેવેન્દ્રભાઈ જાનીની સુપુત્રી ચિ. પ્રગતિ સાથે રવિવાર તારીખ 16-2-2025 ના શુભ દિને યોજાયા છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ

પ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ ઈશ્વરિયા ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) વિશ્વનો વિરાટ મહાકુંભમેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ્ય ધરાવતું સનાતન મહાપર્વ છે. પ્રયાગરાજમાં અખિલ ભારતીય ધર્મસંઘ દ્વારા સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ વ્યવસ્થા જોવાં મળી. સમગ્ર સંસારને આકર્ષણ છે તેવાં મહાકુંભમેળામાં અનેકવિધ સેવા […]

પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે

લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર મૂકેશ પંડિત ભાવનગર ગુરુવાર તા.૧૩-૨-૨૦૨૫ પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પત્રકાર શ્રી મૂકેશ પંડિત કહ્યું કે, પત્રકારત્વની કારકિર્દીમાં હુમલા પણ થાય અને સન્માન સાથે મોજ પણ મળે. પત્રકાર અને તસવીરકાર તરીકે સમાચાર સંકલન અને તેની કામગીરી સાથેનાં અનુભવો અંગે લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ સાથે શ્રી મૂકેશ […]

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે: મોરારિબાપુ

સેંજળધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામી બાપા સન્માન થયું અર્પણ ઈશ્વરિયા બુધવાર તા.૧૨-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામી બાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે. […]

મહાકુંભમેળામાં સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લેતાં વિશ્વાનંદ માતાજી

શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા જાળિયા મંગળવાર તા.૧૧-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં શ્રી વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા યોજાઈ ગઈ. ગોહિલવાડનાં ગૌરવરૂપ ધાર્મિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલી રહી છે, તે શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજીનાં […]

ખંભાળિયામાં ભાવપૂર્વક ઉજવાઈ વિશ્વકર્મા જયંતી: ધાર્મિક કાર્યક્રમો યોજાયા: વિદ્યાર્થીઓ તેમજ દાતાઓને કરાયા સન્માનિત

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫       ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા ગત તાજેતરમાં શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વહેલી સવારે શ્રી વિશ્વકર્મા દાદાની મંગળા આરતી ખુબ જ ભાવથી કરવામાં આવી હતી. ત્યાર બાદ પાટોત્સવ હવન, નુતન ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ ભોજન, વિધાર્થી સન્માન સમારોહ, સંધ્યા મહા આરતી, સંધ્યા […]

ખંભાળિયામાં પરવાના વગરના હથિયાર સાથે શખ્સ ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫        ખંભાળિયા નજીક આવેલા હાપીવાડી રોડ વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રહીશ સૂકાભાઈ સામતભાઈ જમોડ નામના 32 વર્ષના શખ્સને એસ.ઓ.જી. પોલીસે પાસ પરવાના વગરની દેશી હાથ બનાવટની રૂ. 1,000 ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની સામે હથિયાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫        ખંભાળિયાના હાપીવાડી હર્ષદપુર વિસ્તારમાં રહેતા ધનાભાઈ પુનાભાઈ ચોપડા નામના યુવાન તેમનું જી.જે. 37 ઈ. 2614 નંબરનું મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે પ્રાથમિક શાળા નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 બી.એલ. 7482 નંબરના એક મોટરસાયકલના ચાલકે ધનાભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને […]

Back to Top