Headlines

The Great World

ઈશ્વરિયા શાળામાં રંગ ઉત્સવની મોજ

સમાચાર યાદી ઈશ્વરિયા ગુરુવાર તા.૧૩-૩-૨૦૨૫ હોળી ધૂળેટી પર્વ પ્રસંગે એક બીજાને રંગથી રંગીને સૌ એકબીજા પ્રત્યે પ્રેમભાવ અનુભૂતિ કરે છે. સિહોર તાલુકાનાં ઈશ્વરિયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકગણ અને વિધાર્થી બાળકો એ આ રંગ ઉત્સવની મોજ લીધી છે.

Read More

ભાવનગરમાં આજે રેડક્રોસ સોસાયટી દ્વારા નેત્રનિદાન કેમ્પ

ભાવનગર કેમ્પ માં લોઢાવાળા હોસ્પિટલ ના સહકાર થી દર્દીઓ ને તપાસી અને વિનામૂલ્યે મોતિયો ઓપરેશન કરી આપવા માં આવશે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.16 ને રવિવારે સવારે 10 થી 12.30 દરમ્યાન રેડક્રોસ ભવન દિવાનપરા રોડ,ભાવનગર ખાતે ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી સી લોઢા વાળા હોસ્પિટલ ના સહકાર થી નેત્ર નિદાન કેમ્પ નું…

Read More

ખંભાળિયા નજીક બોલેરો અડફેટે રીક્ષાસવારનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫       ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 18 કિલોમીટર દૂર કાઠી દેવળીયા ગામના પાટીયા પાસેથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 36 વી. 5520 નંબરના બોલેરો વાહનના ચાલકે આ માર્ગ પર માર્ગ પર જી.જે. 10 ટી.ડબલ્યુ. 3677 નંબરની એક વાસ્પા રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. આ ટક્કરમાં…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા,

જામ ખંભાળિયા: અહીંના શ્રી કલ્યાણરાયજી મંદિરના પૂજારી સારસ્વત બ્રાહ્મણ શૈલેષભાઈ મનહરલાલ સેવક (બલભદ્ર) ના ધર્મ પત્ની જયશ્રીબેન શૈલેષભાઈ સેવક (બલભદ્ર) તે હિરેનભાઈ, હેમાંશુભાઈ તથા શર્મિષ્ઠાબેનના માતુશ્રી તેમજ કિશોરભાઈ, રાજેશભાઈ અને હેમેન્દ્રભાઈના ભાભી તથા સ્વ. ઈન્દ્રજીતભાઈ ત્રિકમરાય રતેશ્વર, શૈલેશભાઈ ટી. રતેશ્વર અને સંધ્યાબેન ડી. ભટ્ટના નાનાબહેન તા. 14 ને ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા…

Read More

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન સમગ્ર દેશમાંથી સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

– યાત્રાળુઓને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ રીતે સહાયભૂત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫          વિશ્વ વિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે હોળી, ધુળેટીના ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. ત્યારે દર વર્ષે આ તહેવારના દિવસોમાં ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી પણ હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલડોલ ઉત્સવ…

Read More

ખંભાળિયાના ડો. સોમાત ચેતરિયાએ 7 સમિટ્સ પૂર્ણ કર્યા:

– 7 સમિટ્સ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ડોક્ટર – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૫-૨૦૨૫        ખંભાળિયામાં તબીબી ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ડો. સોમાત ચેતરિયાએ સપ્ટેમ્બર 2021 માં માઉન્ટ મનાસલું (જે દુનિયાનો આઠમાં નંબરનો સૌથી ઊંચો પર્વત છે) સમિટ કરીને અત્યંત ઊંચા પર્વતારોહણની શરૂઆત કરી હતી. બાદમાં મે 2022 માં તેમણે માઉન્ટ એવરેસ્ટ (દુનિયાનો…

Read More

વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા રેલી,વક્તવ્ય, અને ચિત્ર સ્પર્ધા સહિત ના કાર્યક્રમો યોજાયા

ભાવનગર આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધાનો સમાવેશ છે. આ સ્પર્ધામાં ભાવનગર શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને કિડની આરોગ્ય અને કિડની રોગ નિવારણ અંગેના સંદેશાઓને પોતાના ચિત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા હતાઆ ઉપરાંત, કિડની જન જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી…

Read More

દ્વારકા: ફુલડોલ ઉત્સવ મનાવવા આવતાં લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫          યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો…

Read More

મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ – રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

– કુંજન રાડિયા, મુંબઈ        મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13 મી થી 16 મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.         ધનરાજભાઈ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને…

Read More

કેનેડામાં જગદીશ ત્રિવેદીના રામદરબાર દ્રારા કેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાને 12.50 લાખનું દાન

કેનેડાનાં આલ્બર્ટા રાજ્યનાં એડમન્ટન શહેરમાં ગરવી ગુજરાત એશોશિએશન અનેઅપના મિલવુડ સિનિયર્સ એશોશિએશનના સંયુકત ઉપક્રમેકેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાના લાભાર્થે જગદીશ ત્રિવેદીનો “ રામ દરબાર “યોજાયો હતો.ઈન્ડીયા કાઉન્સિલ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૩૫૦ લોકોએ સાંજના 7 થી 10 રામાયણના પ્રેરણાદાયી પ્રસંગોની સંગીતમય પ્રસ્તુતિ માણી હતી. ભારતમાં રામદરબારનાં સાત જેટલાં સફળ કાર્યક્રમો બાદ નોર્થ અમેરિકામાં આ…

Read More