Headlines

The Great World

ખંભાળિયાના હરીશભાઈ રૂઘાણીની લાડલી પુત્રીના શુભ લગ્ન ::  ચિ. માનસી  * ચિ. નિશાંત 

જામ ખંભાળિયા ::  ચિ. માનસી  * ચિ. નિશાંત  ::       ખંભાળિયાના અ.સૌ. નુતનબેન તથા શ્રી હરીશભાઈ શિવજીભાઈ રૂઘાણીની સુપુત્રી ચિ. માનસીના શુભ લગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ. પ્રજ્ઞાબેન તથા શ્રી ભરતભાઈ શ્યામદાસ દતાણીના સુપુત્ર ચિ. નિશાંત સાથે શુક્રવાર તારીખ 6-03-2026 ના શુભ દિનને અત્રે જૂની લોહાણા મહાજન વાડી ખાતે રંગે ચંગે યોજાયા છે.  …

Read More

સિહોરના તરશીંગડા ડુંગર પર બિરાજમાન ખોડિયાર માતાજીના મંદિરે પૂનમની ભવ્ય ઉજવણી: ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

કિશોર ચિમનાણી, સિહોર ​ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ડુંગરોની હારમાળા વચ્ચે બિરાજતા અને ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા આઈ શ્રી તરશીંગડા વાળા ખોડિયાર માતાજીના મંદિરે પૂનમના પવિત્ર અવસરે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ‘હાલતા હોકારો દેનારી’ રાજરાજેશ્વરી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા. ​આ ધાર્મિક ઉત્સવમાં…

Read More

કલ્યાણપુર તાલુકામાં ગાગા પક્ષી અભ્યારણમાં 2026ની પક્ષી ગણતરી સંપન્ન

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       મરીન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળ કલ્યાણપુર તાલુકામાં આવતા ગુજરાતના પ્રખ્યાત પક્ષી અભયારણ્ય ગણાતા ગાગા પક્ષી અભયારણ્યમાં વર્ષ 2026ની વાર્ષિક પક્ષી ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ વર્ષની ગણતરી દરમિયાન કુલ 202 પ્રજાતિના 65,047 પક્ષીઓ નોંધાયા હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે.        આ ગણતરી રાજ્ય…

Read More

ભાણવડ તાલુકા પેન્શનર મંડળ દ્વારા વડીલોનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬      ભાણવડ તાલુકા પટેલ સમાજવાડી ખાતે તાલુકા પેન્શનર મંડળનો વિશેષ અભિવાદન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ ડો. રમેશભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત મંગલ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ દિવંગત પેન્શનરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, વડીલોના સન્માનનો દૌર શરૂ કરાયો…

Read More

ખંભાળિયામાં રવિવારે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ

– 11 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬      ખંભાળિયાના શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના ઉપક્રમે આગામી રવિવાર તા. 8 માર્ચના રોજ રામાનંદી સમાજના પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        આ પ્રસંગે આગામી રવિવારે અત્રે ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ રોડ પર આવેલા શ્રી રામદેવપીર મંદિર ખાતે…

Read More

ખંભાળિયાનો ઓમ કાનાબાર સી.એ. ફાઇનલમાં ઉતીર્ણ

– ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       ખંભાળિયાના સિનિયર એડવોકેટ વિજયભાઈ કાનાબારના હોનહાર પુત્ર ઓમ કાનાબાર તાજેતરમાં લેવામાં આવેલી ચાર્ટર્ડ એકાઉન્ટ (સી.એ.) ની ફાઇનલ પરીક્ષામાં નોંધપાત્ર ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલ છે. માત્ર 23 વર્ષની નાની ઉંમરે સી.એ.ની ડીગ્રી હાંસિલ કરી, ઓમ કાનાબારે સમગ્ર રઘુવંશી જ્ઞાતિ સાથે કાનાબાર પરિવારનું પણ…

Read More

દ્વારકામાં હોળી, ધુળેટીના ચુસ્ત બંદોબસ્ત અને સફળ વ્યવસ્થા બાદ પોલીસ તંત્રએ ઉજવ્યું ધૂળેટી પર્વ

– મંદિર નજીક પોલીસ અધિકારીઓ, સ્ટાફ રંગે રમ્યા – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬        ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા પદયાત્રીઓ સાથે હાલમાં રોજ રંગોત્સવની હોળી રમવામાં આવે છે. ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા પણ ખાસ એક્શન પ્લાન બનવવામાં આવ્યો હતો.        તીર્થ નગરી દ્વારકામાં હોળીની ઝાળ બેસતાં જ જગત મંદિરમાં દરરોજ સવારે…

Read More

ભાણવડના સ્વયંસેવકો દ્વારા પદયાત્રીઓની સેવામાં હરતાં-ફરતાં ‘પેઈન રિલીફ કેમ્પ’નું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬      દ્વારકાના ફૂલડોલ ઉત્સવ નિમિત્તે પગપાળા જઈ રહેલા લાખો શ્રદ્ધાળુઓની સેવામાં ભાણવડનું ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ સતત ચોથા વર્ષે જોડાયું હતું.        કાળઝાળ ગરમીમાં સેંકડો કિ.મી. અંતર કાપીને અહીંથી પસાર થતા પદયાત્રીઓને થતી શારીરિક પીડામાં રાહત આપવા માટે ટ્રસ્ટ દ્વારા સતત પાંચ દિવસ સુધી નિઃશુલ્ક મસાજર મશીન દ્વારા…

Read More

દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬ ખંભાળિયા નજીક પુરપાટ જતા વાહનની ઠોકરે રાહદારીનું મૃત્યુ      ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર સામોર ગામના પાટીયા પાસેથી રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે આ માર્ગ પર જઈ રહેલા હરીશભાઈ સોલંકી નામના પ્રૌઢને રોડ ક્રોસ કરતી…

Read More

દેવરીયા ગામે વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પની સેવા પ્રવૃત્તિ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬         ખંભાળિયા તાલુકાના દેવરીયા ખાતે સ્વ. વિષ્ણુબાની પુણ્યતિથિ નિમિતે દિલીપસિંહ કરશનજી જાડેજા (ડી.કે. જાડેજા) તથા જાડેજા પરિવારના આર્થિક સહયોગથી વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 355 જેટલા દર્દીઓની તબીબી ચકાસણી કરી, નિઃશુલ્ક દવા, ચશ્મા અને ટીપા આપવામાં આવ્યા હતા. આ સાથે ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને…

Read More