Headlines

નવારતનપર ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો: સરપંચ ગૌતમ બારૈયાની ખુરશી અકબંધ, વિરોધીઓ નિષ્ફળ

અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ જતાની સાથે જ સરપંચ ગૌતમ બારૈયાના વિરોધીઓના ચહેરા ઢીલાઢફ થઈ ગયા ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આજે અંત આવ્યો છે. સરપંચ ગૌતમ બારૈયા સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો ખરાખરીના જંગમાં ફિયાસ્કો થયો છે. ઉપસરપંચ ધર્મેશ બારૈયાની આગેવાનીમાં જે સભ્યોએ બળવો કર્યો…

Read More

નવારતનપર ગ્રામ પંચાયતમાં હલચલ: સરપંચ ગૌતમ બારૈયા સામે આજે અવિશ્વાસની દરખાસ્ત પર જંગ, ખુરશી માટે ખરાખરીનો ખેલ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં આજે ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે. ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ બારૈયા સામે પંચાયતના સભ્યો દ્વારા મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત પર આજે મહત્વનું મતદાન યોજાનાર છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬, ૫૭ હેઠળ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને પગલે…

Read More

શંકરાચાર્યજીના પંચદેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા: કાગધામમાં પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં ‘કાગ વંદના’ યોજાઈ

મુકેશ પંડિત, કાગધામ ​કાગધામ મજાદર ખાતે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ ‘કાગચોથ’ નિમિત્તે પૂજ્ય મોરારિબાપુના પાવન સાનિધ્યમાં ભવ્ય ‘કાગ વંદના’ અને લોકસાહિત્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂજ્ય બાપુએ કાગબાપુની સાહિત્યિક ચેતનાને વંદન કરતા જણાવ્યું કે, જગદગુરુ શંકરાચાર્યજીના પંચદેવને કાગબાપુએ પોતાની કવિતા દ્વારા લોકભાષામાં ઉતારી સમાજને અર્પણ કર્યા છે. આ ઉપક્રમ વ્યક્તિપૂજા નહીં…

Read More

પાલિતાણાના સતુઆબાબા વિદ્યાસંકુલમાં ભવ્ય નેત્ર નિદાન શિબિર યોજાઈ: ૨૨૭ દર્દીઓની તપાસ

મુકેશ પંડિત, પાલીતાણા ​પાલિતાણા સ્થિત શ્રી સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે સુદર્શન નેત્રાલય, અમરેલીના સહયોગથી નેત્ર નિદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં સંસ્થાના પ્રમુખ ગીરીશભાઈ ગોધાણી અને ભીમજીભાઇ જસાણીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં પાલિતાણાના વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓ, સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું…

Read More

કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ત્રણ દિવસ નાગાલેન્ડના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પૂર્વોત્તર રાજ્યોના સર્વાંગી વિકાસને વેગ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ તેમની નાગાલેન્ડની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તરપૂર્વી વિસ્તાર દેશની વિકાસ યાત્રામાં પ્રાથમિકતા ક્ષેત્ર તરીકે ઉભર્યો છે અને “ન્યૂ ઈન્ડિયા”ના વિઝનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.દિમાપુર જિલ્લામાં જાહેર…

Read More

ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં ‘આનંદ બજાર’ની જમાવટ: બાળકોએ વેપારી બની મેળવી વ્યવહારુ કેળવણી

મુકેશ પંડિત, ઈશ્વરીયા ​ભાવનગરના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને સાત્વિક ખાણીપીણીની સાથે વ્યાપારિક સમજ અને વ્યવહારુ જ્ઞાન મળે તેવા શુભ હેતુથી ‘આનંદ બજાર’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક વેપારી અને ગ્રાહકની ભૂમિકા ભજવી હતી. વાલીઓએ પણ આ મેળાની મુલાકાત લઈ બાળકો દ્વારા તૈયાર કરાયેલી વાનગીઓ અને વસ્તુઓની હોંશભેર ખરીદી કરી…

Read More

ધોળાને મળી અત્યાધુનિક ‘મોક્ષરથ’ની ભેટ: સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાના અનુદાનથી સુવિધા ઉપલબ્ધ

​મૂકેશ પંડિત, ઈશ્વરિયા ભાવનગર જિલ્લાના ધોળા ખાતે અંતિમયાત્રાના હેતુ માટે સાંસદ અનુદાન અંતર્ગત નવીન ‘મોક્ષરથ’ની સુવિધા પ્રાપ્ત થઈ છે. તત્કાલીન રાજ્યસભા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ફાળવવામાં આવેલા ₹14 લાખના અનુદાનમાંથી આ રથ તૈયાર કરવામાં આવ્યો છે. ધોળા વીશી ગામના ભવેશ્વર મહાદેવના સાનિધ્યમાં અગ્રણી પેથાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રથનું વિધિવત પૂજન કરવામાં આવ્યું…

Read More

ભાવનગર નું ગૌરવ: ડૉ. જલ્પેશ દવેએ ફિઝિક્સમાં Ph.D. પૂર્ણ કરી

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા. ૨૩ ભાવનગરના રત્નોએ વિશ્વસ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી છે, જેમાં વધુ એક યશસ્વી નામ ઉમેરાયું છે. મૂળ જળોદરના વતની અને હાલ ભાવનગર નિવાસી  અમૃતલાલ જશાભાઈ દવે તથા શ્રીમતી સરલાબેન દવેના સુપુત્ર ડૉ. જલ્પેશ દવેએ ભૌતિકશાસ્ત્ર (Physics) વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ડૉ. જલ્પેશ દવેએ સી.વી.એમ. યુનિવર્સિટી,…

Read More

ભાવનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા ગરિમાપૂર્ણ રીતે ‘શિવ ધ્વજારોહણ’ કાર્યક્રમ સંપન્ન: 90મી શિવ જયંતીની ભવ્ય ઉજવણી

વિપુલ હીરાણી, ભાવનગર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભાવનગર સેવા કેન્દ્ર દ્વારા 90મી શિવ જયંતીના પાવન અવસરે ભવ્ય ‘શિવ ધ્વજારોહણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ​જીવનમાં પાંચ ‘A’ ઉતારવાની પ્રતિજ્ઞા ​કાર્યક્રમના પ્રારંભમાં બ્રહ્માકુમાર મુકેશભાઈ જોશીએ ઉપસ્થિત મહેમાનો પ્રકાશભાઈ ઘામેચા, અશોકભાઈ નાણાવટી અને આનંદભાઈ ત્રિવેદી સહિત તમામ…

Read More

ભાવનગરના શિહોર નજીક સખવદર ગામે રૂ. ૧૦.૯૨ કરોડના અફીણ-ગાંજાના જથ્થા સાથે “ભોળા-શંભુ”ની ધરપકડ

વિપુલ હિરાણી દ્વારા   ભાવનગર તા.૨૩ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સખવદર અને સર ગામની સીમમાં શિહોર પોલીસે એક મોટી કાર્યવાહી કરીને  રૂ. ૧૦.૯૨ કરોડની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. ‘મરબીવાળુ ઢોળાવ’ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં પ્રતિબંધિત અફીણ અને ગાંજાની ખેતી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી છે. ​ઘટનાની વિગત…

Read More