Saturday June 21, 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 8 માર્ચના રોજ લોક અદાલત

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫              દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસની સીધી દેખરેખ હેઠળ દ્વારા આગામી તા. 8 માર્ચના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં આ વર્ષની […]

રાજ્યના અંદાજપત્રમાં પ્રવાસ, યાત્રાધામ અને વન પર્યાવરણમાં ખાસ જોગવાઈને આવકારતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫        રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બે દિવસ પૂર્વે રજુ કરવામાં આવેલા રાજ્યના વિકાસશીલ બજેટમાં રાજ્યમાં પ્રવાસન, યાત્રાધામ તથા વન પર્યાવરણ વિભાગમાં કરવામાં આવેલી ખાસ જોગવાઈઓને ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આવકારી અને આ વિભાગોના વધુ વિકાસનો આશાવાદ વ્યક્ત કર્યો છે.        વન અને પર્યાવરણ […]

અવસાન નોંધ: પ્રાર્થનાસભા: કાનાણી

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ મીઠાપુર નિવાસી પ્રવીણચંદ્ર નરશીદાસ કાનાણી (મૂળ જામ ખંભાળિયા વાળા, ઉ.વ. 85) તે ભાવેશભાઈ કાનાણી (જલારામ જનરલ સ્ટોર, મીઠાપુર) તથા સ્વ. રાજેશભાઈ તેમજ મીતાબેન વિનયકુમાર સેજપાલ (રાજકોટ) અને દીપીકાબેન અમિતકુમાર સેજપાલ (રાજકોટ) ના પિતાશ્રી તેમજ ધરાબેન ભાવેશભાઈ કાનાણીના સસરા તથા આયુષ અને ભવ્યાના દાદા તેમજ સ્વ. રણછોડદાસ જેરામભાઈ ગોકાણી (મીઠાપુર વાળા)ના જમાઈ […]

ખંભાળિયાથી પ્રયાગરાજ મહાકુંભ માટે પ્રસ્થાન કરતા ભક્તોને વિદાયમાન અપાયું

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫            હિન્દુ ધર્મના આસ્થા અને સનાતન ધર્મના પ્રતીક સમાન પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કરવા ખંભાળિયા સહિત સમગ્ર પંથકના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગયા હતા અને શ્રદ્ધાની ડૂબકી મારી હતી. આ સાથે આજરોજ ખંભાળિયા શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, કિશાન મોરચા પ્રમુખ માનભા જાડેજા, શૈલેષ જગતિયા, નિકુંજભાઈ વ્યાસ, […]

ખંભાળિયામાં સોમવારે ઔદ્યોગિક ભરતીમેળો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી તેમજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના સંયુક્ત ઉપક્રમે આગામી સોમવાર તારીખ 24 મીના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં સ્ટેશન રોડ પર આવેલી જી.વી.જે. હાઈસ્કૂલ પરિસરમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે નોકરીદાતા તથા રોજગાર ઈચ્છુક વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે. […]

ખંભાળિયામાં જલારામ પુણ્યતિથિ નિમિત્તે આજે મહિલા સંસ્થાઓ દ્વારા રોટલાના અન્નકૂટના દર્શન કુંજન રાડિયા, જામ ખંભાળિયા,        સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે આગામી રવિવાર તારીખ 23 મીના રોજ ખંભાળિયા લોહાણા મહિલા મિત્ર મંડળ દ્વારા સૌ પ્રથમ વખત અહીંના જલારામ મંદિર ખાતે વિવિધ પ્રકારના રોટલાના અન્નકૂટના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું […]

ભાણવડમાં શિવ બળદ આશ્રમની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫           ભાણવડ ખાતે છેલ્લા આશરે દોઢ દાયકાથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ ખૂબ પ્રશંસનીય બની રહી છે. ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી લાખાણી પરિવારના સહયોગથી સેવા અર્થે ઉપયોગ માટે પ્રાપ્ત થયેલી જગ્યા પર શિવ બળદ આશ્રમ શરૂ […]

કલ્યાણપુર પંથકમાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

– જિલ્લામાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં સૌપ્રથમ વખત સજાનો હુકમ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧- ૦૨- ૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ સોહેલ ઝાકીરહુસેન મેમણ તથા તેમની ટીમ દ્વારા ગત તારીખ 8 માર્ચ 2020 ના રોજ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેમત રામદે […]

સગીરાના અપહરણના કેસમાં રાજકોટના શખ્સને 7 વર્ષની કેદ ફટકારતી ખંભાળિયા સ્પેશિયલ પોકસો કોર્ટ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          રાજકોટ તાલુકાના સાપર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહીશ જયદીપ કાનાભાઈ ભેડા નામના શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અને તેણીના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી મોટરકાર મારફતે અપહરણ કરીને […]

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા મંડળી સભાસદના પરિવારને રૂ. 5 લાખનો ચેક અપાયો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫       જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ – લાલપુર શાખા હેઠળના રીંજપર સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ પોલાભાઈ મૂળુભાઈ ભાદરકા નામના યુવાનનું તાજેતરમાં અકસ્માતે નિધન થતા અંગત અકસ્માત વીમા યોજના અંતર્ગત બેન્ક તરફથી રૂપિયા પાંચ લાખનો ચેક લાલપુર તાલુકાના ડાયરેક્ટર અશોકભાઈ લાલના હસ્તે મૃતકના વારસદારને અર્પણ કરવામાં આવ્યો હતો.   […]

Back to Top