Headlines

દ્વારકા આવેલા પદયાત્રી શ્રદ્ધાળુઓને ગઠિયાઓનો ભેટો: દાગીના, રોકડ રકમ સહિતની લૂંટ

– શેરડીના રસમાં નશાકારક પ્રવાહી પીવડાવી બેભાન કર્યા બાદ લૂંટ કરી – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬       જામ જોધપુર વિસ્તારના રહીશ એવા ભરવાડ પરિવારના શ્રદ્ધાળુઓ તાજેતરમાં દ્વારકા ફુલડોલ ઉત્સવના દર્શન અર્થે આવ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓને ચીટર ગઠિયાઓનો ભેટો થયો હતો. આ ગઠિયાઓએ તેઓને શેરડીના રસમાં કશુંક પીવડાવીને બેભાન કર્યા બાદ સોનાના ઠોરીયા…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૬ અવસાન નોંધ  જામ ખંભાળિયા: સુનિલભાઈ રમણલાલ કાનાણી (બજરીયા ટ્રેડીંગ કું.) વાળાના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ.વ. ૬૩) તે ડો. હેમાંગીના માતા તથા દિપકભાઈ, વિમલભાઈ, મીનાબેન હસમુખલાલ સોમૈયા (જામનગર) અને ઉષાબેન રાજુભાઈ સામાણી (કરાડ – મહારાષ્ટ્ર)ના ભાભી તેમજ દ્વારકા નિવાસી દિનેશચંદ્ર કરસનદાસ વિઠલાણી, સ્વ. કિરીટભાઈ, કિશોરભાઈ, સ્વ. દિપકભાઈ અને સ્વ.રીટાબેનના બહેન તા. ૪ ના…

Read More

રમતા રમતા ગરમ દાળમાં પડી ગયેલા માસુમ બાળકનું કરુણ મૃત્યુ: અરેરાટી : વાડ પ્રસંગે કલ્યાણપુરના રાણ ગામે બન્યો બનાવ

કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રવજીભાઈ જેઠાભાઈ સોનગરા નામના સતવારા યુવાનના એક વર્ષના પુત્ર ક્રિસની હોળીના દિને સોમવારે સાંજના સમયે વાડના પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે તેમના ઘરે ચાલી રહેલા રસોડામાં દાળના ગરમ ટોપમાં આ માસુમ બાળક ક્રિસ પડી ગયો હતો. જેના કારણે તે આખા શરીરને ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં…

Read More

ખંભાળિયામાં રંગભીના ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ: યુવાધન હિંડોળે ચડ્યું

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬        રંગોના પર્વ એવા ધુળેટીની આજરોજ ખંભાળિયાવાસીઓએ ઉમંગ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ધુળેટી નિમિત્તે આજે સવારથી શહેરમાં રજાનો માહોલ જોવા મળ્યો હતો. સવારના સમયે ખાસ કરીને યુવાનો-યુવતીઓ તેમજ બાળકો સહિત સૌ અબાલ વૃધ્ધોએ એકબીજાને વિવિધ પ્રકારના રંગો વડે રંગી અને ધુળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.        શહેરના…

Read More

ખંભાળિયાના હરીશભાઈ રૂઘાણીની લાડલી પુત્રીના શુભ લગ્ન ::  ચિ. માનસી  * ચિ. નિશાંત 

જામ ખંભાળિયા ::  ચિ. માનસી  * ચિ. નિશાંત  ::       ખંભાળિયાના અ.સૌ. નુતનબેન તથા શ્રી હરીશભાઈ શિવજીભાઈ રૂઘાણીની સુપુત્રી ચિ. માનસીના શુભ લગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ. પ્રજ્ઞાબેન તથા શ્રી ભરતભાઈ શ્યામદાસ દતાણીના સુપુત્ર ચિ. નિશાંત સાથે શુક્રવાર તારીખ 6-03-2026 ના શુભ દિનને અત્રે જૂની લોહાણા મહાજન વાડી ખાતે રંગે ચંગે યોજાયા છે.  …

Read More

કલ્યાણપુર તાલુકામાં ગાગા પક્ષી અભ્યારણમાં 2026ની પક્ષી ગણતરી સંપન્ન

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       મરીન નેશનલ પાર્કની ભાટિયા રેન્જ હેઠળ કલ્યાણપુર તાલુકામાં આવતા ગુજરાતના પ્રખ્યાત પક્ષી અભયારણ્ય ગણાતા ગાગા પક્ષી અભયારણ્યમાં વર્ષ 2026ની વાર્ષિક પક્ષી ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ વર્ષની ગણતરી દરમિયાન કુલ 202 પ્રજાતિના 65,047 પક્ષીઓ નોંધાયા હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે.        આ ગણતરી રાજ્ય…

Read More

ભાણવડ તાલુકા પેન્શનર મંડળ દ્વારા વડીલોનું બહુમાન અને સ્નેહમિલન સમારોહ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬      ભાણવડ તાલુકા પટેલ સમાજવાડી ખાતે તાલુકા પેન્શનર મંડળનો વિશેષ અભિવાદન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ ડો. રમેશભાઈ ભટ્ટના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત મંગલ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ દિવંગત પેન્શનરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, વડીલોના સન્માનનો દૌર શરૂ કરાયો…

Read More

ખંભાળિયામાં રવિવારે વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ

– 11 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬      ખંભાળિયાના શ્રી વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજના ઉપક્રમે આગામી રવિવાર તા. 8 માર્ચના રોજ રામાનંદી સમાજના પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        આ પ્રસંગે આગામી રવિવારે અત્રે ધરમપુર વિસ્તારમાં લાલપુર બાયપાસ રોડ પર આવેલા શ્રી રામદેવપીર મંદિર ખાતે…

Read More

ખંભાળિયાનો ઓમ કાનાબાર સી.એ. ફાઇનલમાં ઉતીર્ણ

– ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬       ખંભાળિયાના સિનિયર એડવોકેટ વિજયભાઈ કાનાબારના હોનહાર પુત્ર ઓમ કાનાબાર તાજેતરમાં લેવામાં આવેલી ચાર્ટર્ડ એકાઉન્ટ (સી.એ.) ની ફાઇનલ પરીક્ષામાં નોંધપાત્ર ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલ છે. માત્ર 23 વર્ષની નાની ઉંમરે સી.એ.ની ડીગ્રી હાંસિલ કરી, ઓમ કાનાબારે સમગ્ર રઘુવંશી જ્ઞાતિ સાથે કાનાબાર પરિવારનું પણ…

Read More

દ્વારકામાં હોળી, ધુળેટીના ચુસ્ત બંદોબસ્ત અને સફળ વ્યવસ્થા બાદ પોલીસ તંત્રએ ઉજવ્યું ધૂળેટી પર્વ

– મંદિર નજીક પોલીસ અધિકારીઓ, સ્ટાફ રંગે રમ્યા – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૬        ભગવાન દ્વારકાધીશના દર્શને આવતા પદયાત્રીઓ સાથે હાલમાં રોજ રંગોત્સવની હોળી રમવામાં આવે છે. ત્યારે પોલીસ અને તંત્ર દ્વારા પણ ખાસ એક્શન પ્લાન બનવવામાં આવ્યો હતો.        તીર્થ નગરી દ્વારકામાં હોળીની ઝાળ બેસતાં જ જગત મંદિરમાં દરરોજ સવારે…

Read More