Headlines

ખંભાળિયામાં મજદૂર દિવસની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ આંતરરાષ્ટ્રીય મજદૂર દિન નિમિત્તે તા. પહેલી મે ના રોજ ખંભાળિયા નગરપાલિકા ખાતે ગુજરાત સફાઈ કામદાર મહામંડલ પરિવાર દ્વારા મજદૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે જુદી જુદી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચીફ ઓફિસર દ્વારા ઉપસ્થિત તમામ સફાઈ કામદારોનું પુષ્ટવૃષ્ટિ સાથે અભિવાદન કરી…

Read More

રાજકોટ ડિવિઝનની મોટી ઉપલબ્ધિ: ખંભાળિયા ન જીક રોડ અંડર બ્રિજ નિર્માણ માટે આરએચ ગર્ડરનુ ં સફળ લોન્ચિંગ

ખંભાળિયા-ભાતેલ સેક્શનના આરએચ ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ ખંભાળિયા-ભાતેલ રેલવે સેક્શનના લેવલ ક્રોસિંગ નં. 235 પર રોડ અંડર બ્રિજ નિર્માણ અંતર્ગત આરએચ ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ કાર્ય તાજેતરમાં પૂર્ણ કરી, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર…

Read More

ખંભાળિયામાં સલાયા ફાટકના વૈકલ્પિક રસ્તા ને સુવ્યવસ્થિત કરાવાયો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ ખંભાળિયા શહેરમાં સલાયા તરફથી પ્રવેશવાના માર્ગ પર આવેલા ફાટકને હાલ બંધ કરી અને અંડર બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ માર્ગ પરથી પસાર થતા વાહન તાલુકો તેમજ નગરજનોને ખૂબ જ હાલાકી થતી હોય, અહીંના વૈકલ્પિક રસ્તાને સુવ્યવસ્થિત બનાવવાની વ્યાપક માંગ ઉઠવા પામી હતી. અહીંના વોર્ડ નંબર 1 માં આવતા આ…

Read More

કલ્યાણપુર નજીક કારનો ગમખ્વાર અકસ્માત: વિ પ્ર વૃધ્ધ અને મહિલાના કરુણ મોત

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ કલ્યાણપુર નજીકના હાબરડી ગામ નજીક ગુરુવારે રાત્રિના સમયે એક મોટરકાર અકસ્માતમાં એક વૃદ્ધ તથા તેમના પરિચિત એવા એક મહિલાના કમકમાટીભર્યા મોત નીપજ્યા પછી હતા. આ કરુણ બનાવની વિગત એવી છે કે દ્વારકા તાલુકાના ખતુંબા ગામે રહેતા ખીમજીભાઈ લાલજીભાઈ જોશી નામના એક વૃદ્ધ ગુરુવારે રાત્રિના સમયે તેમના જામનગર ખાતે રહેતા એક પરિચિત…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોદ્દેદારોની નિયુક્તિ માટે ખંભાળિયામાં ભાજપની સેન્સ પ્રક ્રિયાનો પ્રારંભ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો પૈકી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા દંડકના હોદ્દા માટે સેન્સ પ્રક્રિયાનો આજે સવારથી પ્રારંભ થયો છે. ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય "દ્વારકેશ કમલમ" ખાતે નિરીક્ષકો મહેસાણાના સાંસદ હરિભાઈ એન. પટેલ, ગાંધીનગરના શહેર પ્રમુખ આશિષભાઈ દવે અને પ્રદેશ કારોબારી સદસ્ય…

Read More

ખંભાળિયા તાલુકા પંચાયતમાં “આપ”ના ઉમેદવાર ો વિજેતા – કાઠી દેવળીયામાં અગ્રણી નરેન્દ્રસિ ંહ જાડેજા બન્યા સદસ્ય –

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઇ ગયેલી સામાન્ય ચૂંટણીઓમાં ખંભાળિયા નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો વિજેતા બન્યા છે. 24 બેઠક વાળી ખંભાળિયા તાલુકા પંચાયતમાં મહદ અંશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. જો કે આ વચ્ચે સામા પવને પણ ટક્કર આપીને 12, કાઢી દેવળીયા તાલુકા પંચાયત બેઠક…

Read More

ખંભાળિયા: સફાઈ કામદાર અગ્રણીના પુત્રવધુ બ ન્યા કાઉન્સિલર

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશભાઈ વાઘેલાના પુત્રવધૂ પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં 3 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બની, આ ચૂંટણીમાં જંગી લીડથી વિજેતા બન્યા છે. આ જીત બાદ વિજયયાત્રા પહેલા વિજેતા બનેલા પુષ્પાબેન વાઘેલાએ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકર ચરણોમાં નમન કરી,…

Read More

વિશ્વ પશુચિકિત્સા દિવસ નિમિત્તે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ‘વેટ સંગમ 2026’નું ભવ્ય આ યોજન

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ વિશ્વ પશુચિકિત્સા દિવસના અવસરે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, ગુજરાત દ્વારા અમદાવાદના નરોડા કેમ્પસ ખાતે ‘વેટ સંગમ – એક્સચેન્જ ધ એક્સપિરિયન્સ’ કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નિવૃત્ત પશુચિકિત્સકોના વર્ષોના બહોળા અનુભવનો લાભ લઈ ગુજરાતની પશુ સેવાઓને વધુ સુદ્રઢ અને સક્ષમ બનાવવાનો રહ્યો હતો. આ પ્રસંગે…

Read More

ભાણવડમાં હત્યા કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ખંભાળિયાની અદાલત

કુંજન રાડીયા, જામખંભાળિયા ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાં રહેતા મનસુરભાઈ કાસમભાઈ કોરડીયા નામના એક પ્રૌઢ પર ગત તારીખ 6 માર્ચ 2022 ના રોજ તેમના કુટુંબી ભાઈ સલીમ ઉર્ફે સલીયો મનસુરઅલીભાઈ સમદાણી નામના શખ્સે છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેલા મનસુરભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આસીફભાઈ કડીવારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ધોરણસર…

Read More

દ્વારકાધીશ મંદિરમાં નૃસિંહ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ: રાજાધિરાજે ધારણ કર્યો નૃસિંહ અવત ારનો શૃંગાર –

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં વૈશાખ સુદ ચતુર્દશીના પાવન દિવસે ગુરુવારે નૃસિંહ જયંતિનો પાવન ઉત્સવ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. આ અવસર પર ભગવાન દ્વારકાધીશે નૃસિંહ અવતારનું વિશેષ શૃંગાર ધારણ કરતા મંદિરમાં દિવ્ય અને આકર્ષક માહોલ સર્જાયો હતો. દિવસ દરમિયાન નિયમિત દર્શન વ્યવસ્થા બાદ સાંજે 5 વાગ્યે શ્રીજીના ઉત્થાપન દર્શન…

Read More