ભાણવડમાં એનિમલ લવર્સ દ્વારા ચકલીઘર અને કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫ ભાણવડ પંથકમાં છેલ્લા પંદરેક વર્ષોથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગરમીની ઋતુમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવે છે. હાલ ગરમી અને તડકા પડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે ગઈકાલે મંગળવારે ભાણવડમાં શિવ બળદ…
