Headlines

કલ્યાણપુર નજીક કારનો ગમખ્વાર અકસ્માત: વિ પ્ર વૃધ્ધ અને મહિલાના કરુણ મોત

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ કલ્યાણપુર નજીકના હાબરડી ગામ નજીક ગુરુવારે રાત્રિના સમયે એક મોટરકાર અકસ્માતમાં એક વૃદ્ધ તથા તેમના પરિચિત એવા એક મહિલાના કમકમાટીભર્યા મોત નીપજ્યા પછી હતા. આ કરુણ બનાવની વિગત એવી છે કે દ્વારકા તાલુકાના ખતુંબા ગામે રહેતા ખીમજીભાઈ લાલજીભાઈ જોશી નામના એક વૃદ્ધ ગુરુવારે રાત્રિના સમયે તેમના જામનગર ખાતે રહેતા એક પરિચિત…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોદ્દેદારોની નિયુક્તિ માટે ખંભાળિયામાં ભાજપની સેન્સ પ્રક ્રિયાનો પ્રારંભ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો પૈકી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા દંડકના હોદ્દા માટે સેન્સ પ્રક્રિયાનો આજે સવારથી પ્રારંભ થયો છે. ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય "દ્વારકેશ કમલમ" ખાતે નિરીક્ષકો મહેસાણાના સાંસદ હરિભાઈ એન. પટેલ, ગાંધીનગરના શહેર પ્રમુખ આશિષભાઈ દવે અને પ્રદેશ કારોબારી સદસ્ય…

Read More

ખંભાળિયા તાલુકા પંચાયતમાં “આપ”ના ઉમેદવાર ો વિજેતા – કાઠી દેવળીયામાં અગ્રણી નરેન્દ્રસિ ંહ જાડેજા બન્યા સદસ્ય –

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઇ ગયેલી સામાન્ય ચૂંટણીઓમાં ખંભાળિયા નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો વિજેતા બન્યા છે. 24 બેઠક વાળી ખંભાળિયા તાલુકા પંચાયતમાં મહદ અંશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે. જો કે આ વચ્ચે સામા પવને પણ ટક્કર આપીને 12, કાઢી દેવળીયા તાલુકા પંચાયત બેઠક…

Read More

ખંભાળિયા: સફાઈ કામદાર અગ્રણીના પુત્રવધુ બ ન્યા કાઉન્સિલર

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશભાઈ વાઘેલાના પુત્રવધૂ પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં 3 માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બની, આ ચૂંટણીમાં જંગી લીડથી વિજેતા બન્યા છે. આ જીત બાદ વિજયયાત્રા પહેલા વિજેતા બનેલા પુષ્પાબેન વાઘેલાએ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકર ચરણોમાં નમન કરી,…

Read More

વિશ્વ પશુચિકિત્સા દિવસ નિમિત્તે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ‘વેટ સંગમ 2026’નું ભવ્ય આ યોજન

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ વિશ્વ પશુચિકિત્સા દિવસના અવસરે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, ગુજરાત દ્વારા અમદાવાદના નરોડા કેમ્પસ ખાતે ‘વેટ સંગમ – એક્સચેન્જ ધ એક્સપિરિયન્સ’ કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નિવૃત્ત પશુચિકિત્સકોના વર્ષોના બહોળા અનુભવનો લાભ લઈ ગુજરાતની પશુ સેવાઓને વધુ સુદ્રઢ અને સક્ષમ બનાવવાનો રહ્યો હતો. આ પ્રસંગે…

Read More

ભાણવડમાં હત્યા કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ખંભાળિયાની અદાલત

કુંજન રાડીયા, જામખંભાળિયા ભાણવડના વેરાડ નાકા વિસ્તારમાં રહેતા મનસુરભાઈ કાસમભાઈ કોરડીયા નામના એક પ્રૌઢ પર ગત તારીખ 6 માર્ચ 2022 ના રોજ તેમના કુટુંબી ભાઈ સલીમ ઉર્ફે સલીયો મનસુરઅલીભાઈ સમદાણી નામના શખ્સે છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેલા મનસુરભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આસીફભાઈ કડીવારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ધોરણસર…

Read More

દ્વારકાધીશ મંદિરમાં નૃસિંહ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ: રાજાધિરાજે ધારણ કર્યો નૃસિંહ અવત ારનો શૃંગાર –

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં વૈશાખ સુદ ચતુર્દશીના પાવન દિવસે ગુરુવારે નૃસિંહ જયંતિનો પાવન ઉત્સવ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. આ અવસર પર ભગવાન દ્વારકાધીશે નૃસિંહ અવતારનું વિશેષ શૃંગાર ધારણ કરતા મંદિરમાં દિવ્ય અને આકર્ષક માહોલ સર્જાયો હતો. દિવસ દરમિયાન નિયમિત દર્શન વ્યવસ્થા બાદ સાંજે 5 વાગ્યે શ્રીજીના ઉત્થાપન દર્શન…

Read More

ડિફેન્સ, નેવીની જમીન પર ખડકાવ્યું હતું તો તિંગ દબાણ – રૂપેણ બંદરમાં કરોડોની કિંમતી જમીન કબજામુક્ત

દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદેસર ધાર્મિક દબાણો સામે તંત્રની સધન કાર્યવાહી– ડિફેન્સ, નેવીની જમીન પર ખડકાવ્યું હતું તોતિંગ દબાણ – – રૂપેણ બંદરમાં કરોડોની કિંમતી જમીન કબજામુક્ત… જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક પગલાં લેતા ફરી એકવાર વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દ્વારકા-ઓખા હાઈવે વિસ્તારથી લઈને મીઠાપુરના દરિયાકિનારા…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વા રા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે સર્વેલન્સ ક ામગીરી શરૂ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મેલેરિયા અધિકારીના માર્ગદર્શન હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ”મેલેરીયા મુકત ગુજરાત” અન્વયે શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા વાહકજન્ય રોગોના નિયંત્રણમાં…

Read More

ભાણવડ પંથકમાં પશુ સંસ્થા દ્વારા એક જ દિવસ માં સાત અબોલ જીવોના જીવ બચાવાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૪-૨૦૨૬ ભાણવડ પંથકમાં અબોલ જીવોની સેવા માટે સમર્પિત ‘એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા માનવતા મહેકાવતી કામગીરી કરી એક જ દિવસમાં સાત જીવોને નવજીવન આપવામાં આવ્યું છે. આ ટ્રસ્ટની ટીમે ભાણવડના મફતિયા પરા વિસ્તારમાં કૂવામાં ખાબકેલી એક ગાયને સલામત રીતે બહાર કાઢી હતી. આ સાથે રૂપામોરા વાડી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી કૂવામાં મોત…

Read More