Headlines

ખંભાળિયાનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ગઈકાલે શુક્રવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા અને ઈરફાનભાઈ ખીરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા આમીન સુલેમાન ખફી નામના 40 વર્ષના સુમરા યુવાનને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક…

Read More

સાક્ષી તરીકે આપેલી જુબાનીનો ખાર રાખીને આરંભડાના યુવાનને મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૧-૨૦૨૬      ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા વેજાભાઈ સાજણભાઈ હાથીયા નામના 24 વર્ષના યુવાન ગત તા. 5 જાન્યુઆરીના રોજ જઈ રહ્યા હતા, ત્યારે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા નક્ષ ઉર્ફે નાગેશ વેગડા નામના શખ્સે તેના ઘર પાસે ફરિયાદી વેજાભાઈને અટકાવી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ…

Read More

સોમનાથ સ્વાભિમાન પર્વ – ૨૦૨૬: મંદિરના નવ નિર્માંણ હેતુ તે સમયે પોરબંદરના શેઠશ્રી નાનજી કાલિદાસએ આપ્યુ હતુ રૂ. એક લાખનુ પ્રથમ યોગદાન

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ અને પોરબંદરનું ગૌરવશાળી યોગદાન ઇતિહાસકાર શ્રી નરોતમભાઈ પલાણે વર્ણવી સોમનાથના ઇતિહાસમાં પોરબંદરની ભૂમિકા૦૦૦મંદિરના નવ નિર્માંણ હેતુ તે સમયે પોરબંદરના શેઠશ્રી નાનજી કાલિદાસએ આપ્યુ હતુ રૂ. એક લાખનુ પ્રથમ યોગદાન૦૦૦ ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર.તા.૮ ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ તા. ૦૮ જાન્યુઆરીથી…

Read More

સોમનાથ સ્વાભિમાન પર્વ – ૨૦૨૬: પોરબંદરના ભાવેશ્વર મંદિરે ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ સાથે ભક્તિની ચેતના પ્રગટી

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર; સમગ્ર ભારતના ગૌરવ અને સ્વાભિમાન સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના ઉપલક્ષમાં પોરબંદર શહેરના ઐતિહાસિક ભાવેશ્વર મંદિર ખાતે શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં ગતરોજથી ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ અને મંત્રોચ્ચારનો…

Read More

બગદાણામાં બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલ નર્સિંગ કોલેજ ખાતે ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો

સંત સીતારામબાપુએ શપથ વિધિ સમારોહમાં ખાસ હાજર રહીને પ્રસન્નતા વ્યક્ત કરી હરેશ જોષી, બગદાણા બગદાણા ખાતે આવેલ સંતશ્રી બજરંગદાસબાપા શૈક્ષણિક સંકુલના નર્સિંગ કોલેજ ના ઓથ સેરેમની (શપથ વિધિ) સમારોહ યોજાય ગયો.ANM માં પ્રથમ વર્ષના પ્રવેશ સાથેની તાલીમ અને અભ્યાસ શરૂ કરનાર બહેનોએ આ વેળાએ શપથ લીધા હતા.કાર્યક્રમમાં હાજર અધેવાડા આશ્રમના સંત પૂ. સીતારામબાપુએ ખાસ ઉપસ્થિત…

Read More

‘મારું ગામ – મારું અભિમાન’ સૂત્ર સાથે હણોલમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬ યોજાશે

મોદીના સ્વપ્નનું ગામ તરીકે ઓળખ બનશે ‘મારું ગામ – મારું અભિમાન’ સૂત્ર સાથે હણોલમાં આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬ યોજાશે ઓલમ્પિક, અમૃત સરોવર મહાઆરતીથી ગૌમાતા પોષણ સુધી હણોલમાં આત્મનિર્ભર મહોત્સવનો ત્રિદિવસીય મહાકુંભ ભાવનગર તા. ૮/૧/૨૦૨૬પાલિતાણા તાલુકાના હણોલ ગામે ‘મારું ગામ – મારું અભિમાન’ ના સૂત્ર સાથે ‘આત્મનિર્ભર હણોલ મહોત્સવ–૨૦૨૬’ નું તા. ૧૩મી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી દરમ્યાન ભવ્ય…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગરને ડોનેશન રૂપે મળેલી કેન્સર સ્ક્રિનિંગ વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલના ધ્યેયને વધુ ગતિ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે મહત્વપૂર્ણ એવી કેન્સર સ્ક્રિનિંગ વાન – આશા વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જેનબર્ક ફાર્માસ્યુટિકલ દ્વારા ડોનેશન તરીકે આ આશા વાન ભેટ આપવામાં આવી છે.આ વાન EVA-Pro ડાયગ્નોસ્ટિક્સ ,મેમોગ્રાફી યુનિટ…

Read More

“તેરા તુજકો અર્પણ” અંતર્ગત ગુનાના કામે કબ્જે કરેલ રૂ.36,000નો મુદામાલ માલીકને પરત સોંપતી રાણાવાવ પોલીસ

ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરજુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુન્હાના કામે કબ્જે કરેલ સોનાના દાગીના/મોટર સાયકલ વિગેરે મુદામાલ જે નામદાર કોર્ટના અલગ-અલગ હુકમો આધારે મુદામાલ મુળ માલીકોને સોપવા સુચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને રાણાવાવ વિભાગના ડીવાયએસપી ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા તથા સ્ટાફના માણસો દ્વારા…

Read More

ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે રિલાયન્સ દ્વારા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત, સહાય વિતરણ સહિત અનેકવિધ લોકાભિમુખ કાર્યક્રમો યોજાયા

– બેડમાં શાળાના નિર્માણ ઉપરાંત અને ખાતે સ્મશાનઘાટની ખાત મુહૂર્તવિધિ યોજાઈ –  જામ ખંભાળિયા, તા. ૦૯-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)       રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક અને દિર્ઘદ્વષ્ટા ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતી નિમિતે ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ રિફાઈનરીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત- શિલાન્યાસ, લોકાર્પણ-અર્પણવિધી…

Read More

થળસરમાં વિજયસિંહની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: બાઈક, ટીપણાં, દારૂ સહિત રુ 35,000ના મુદ્દામાલ સાથે “દારૂ-કલાકાર” અનિલ ચૂડાસમા દેવીપુજકની ધરપકડ: ઘોઘા પોલીસમાં બે સામે ગુનો દાખલ : પોલીસને વિજયનો ઈન્તજાર

ધ ગ્રેટ વર્લ્ડ, થળસરભાવનગર તાલુકાના થળસર ગામે અનિલ ચુડાસમા દેવીપુજક અને વિજયસિંહ ઉર્ફે મનુભા વિક્રમસિંહ ગોહિલની દેશી દારૂની ભઠ્ઠી ઘોઘા પોલીસે ઝડપી લઇ રૂ. 35,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે ઘોઘા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન થળસર ગામના બસ-સ્ટેન્ડ પાસે પહોંચતા બાતમી મળેલ કે વિજયસિંહ…

Read More