પોરબંદરના કર્લી જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવા રૂ. ૫૯ લાખની કામગીરી શરૂ, પર્યાવરણ અને આરોગ્યમાં સુધારાની આશા
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર શહેરના કર્લી જળાશયમાં વર્ષોથી ફેલાયેલી ગાંડીવેલ (જળકુંભી) હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવા માટે અંદાજિત રૂ. ૫૯ લાખના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન…
