Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 અને 12 ના 13,317 વિદ્યાર્થીઓ 16 કેન્દ્રોમાં પરીક્ષા આપશે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ગુરૂવાર તારીખ 27 નીતિ 17 એપ્રિલ સુધી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પરીક્ષાઓ શરૂ થનાર છે. બોર્ડની જાહેર પરીક્ષાઓને આનુષાંગિક તૈયારી અંગેની વિડીયો કોન્ફરન્સ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના…

Read More

ખંભાળિયા નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અંગે પૂર્વ કારોબારી ચેરમેનની ચીફ ઓફિસરને રજૂઆત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫         ખંભાળિયા શહેરમાં વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે નગરપાલિકાના તત્કાલીન કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે.         ખંભાળિયા નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં એક પણ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા નથી. અગાઉ ત્રણમાં હતી. હાલ એક પણ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ન…

Read More

રાજ્યના બજેટમાં દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાને અપગ્રેડ કરવાની જોગવાઈ

ખંભાળિયા પાલિકા એ ગ્રેડની, દ્વારકા બી ગ્રેડની બનશે જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫       ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે ગુરુવારે રજૂ કરેલા રાજ્યના અંદાજપત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓની અપગ્રેડ કરવાની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાતના પગલે આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે.  …

Read More

ગુજરાતના વિકાસલક્ષી બજેટને આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અગ્રણીઓ

ગુજરાતના વિકાસલક્ષી બજેટને આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અગ્રણીઓ જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫         રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગઈકાલે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું અંદાજિત રૂપિયા 3.70 લાખ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. ત્યારે રાજ્યના સમતોલ અને સર્વાંગી વિકાસ સાથેના આ બજેટને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આવકાર્યું છે.  …

Read More

ખંભાળિયામાં પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે રવિવારે ધર્મમય કાર્યક્રમોનું આયોજન

– ખંભાળિયાના લોહાણા મિત્ર મંડળ દ્વારા – સેવા સેતુ, નૂતન ધ્વજારોહણ, રક્તદાન કેમ્પ, સમૂહ પ્રસાદ સહિતના આયોજનો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫         સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયા લોહાણા મિત્ર મંડળ દ્વારા રવિવાર તા. 23 ના રોજ અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં…

Read More

કલ્યાણપુરમાં મામલતદાર દ્વારા ગાડામાર્ગમાં ગેરકાયદેસર દબાણ કરનાર વિરુધ્ધ મનાઇ હુકમ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના જુના રે.સર્વે.નં. 123 તથા નવા 43 વાળી ખેતીની જમીનમાં આવવા-જવા માટેનો ગાડામાર્ગ ખીરસરા ગામમાંથી થઈને ઉતર દીશા તરફે ફુલકુ નદી ઉપર પુર્વ-પશ્ચીમ આવેલ બેઠા પુલની દક્ષિણ દીશા તરફ આવેલી સરકારી ખરાબામાંથી થઇને આ ખેતીની જમીનના પશ્ચીમ સેઢા ઉપરથી થઈને આ ખેતીની જમીનમાં અવર-જવર…

Read More

પુરાતત્ત્વવિદો દ્વારા દ્વારકાના દરિયાની અંદર સંશોધન કાર્ય શરૂ કરાયું

– સમુદ્રમાં ગરકાવ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા પ્રયાસો –  કુંજન રાડિયા, ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫       આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાના પાંચ પુરાતત્ત્વવિદોની એક ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જણાવ્યાનુસાર ભારતના સમુદ્રમાં ગરકાવ થયેલ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા મહત્ત્વના મિશનના ભાગરૂપે…

Read More

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫      મધ્યપ્રદેશના ઉજજૈનના નિવાસી અને હાલમાં કર્ણાટક રાજયના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવ્યું હતું અને શ્રીજીની પાદૂકાનું પૂજન કરી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મીડીયા સાથેની વાતચીતમાં ગેહલોતે જણાવ્યું હતું કે તેઓ અગાઉ બે વખત દ્વારકાધીશના દર્શન કરી ચૂકયા છે અને…

Read More

ભરાણામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપી ઝડપાયો

– મુદ્દામાલ કબજે: અન્ય એકની શોધખોળ –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ગત તારીખ 8 ના રોજ એક આસામી લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે ત્રણેય કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે…

Read More

બેટ દ્વારકા વિસ્તારમાં ગુમ થયેલા ચાર મોબાઈલ પોલીસ દ્વારા શોધીને અપાયા

– આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો –  જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫          દ્વારકા પંથકમાં રહેતા લોકો તેમજ આવતા જતા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ અભિગમ દાખવવામાં આવ્યો છે. જે અંતર્ગત બેટ દ્વારકા વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ વિગેરેના કોઈ કારણોસર ગુમ થયેલા કે ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન…

Read More