Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના જ્વલંત વિજયને વધાવતા ખંભાળિયાના કાર્યકરો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫       સમગ્ર રાજ્યમાં તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ગઈકાલે મંગળવારે યોજાયેલી મતગણતરીમાં સમગ્ર ગુજરાતમાં કેસરિયો છવાયો છે અને ભાજપને નોંધપાત્ર સીટો સાથેની અનેરી સિદ્ધિ સાંપળી છે. ભાજપના આ ભવ્ય વિજયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા, ભાણવડ તેમજ જુવાનપુર (તાલુકા પંચાયત)માં મળેલી નોંધપાત્ર બેઠકો સાથેની સિદ્ધિને દેવભૂમિ દ્વારકા…

Read More

તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન

હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી…

Read More

સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત – શ્રી મોરારિબાપુ

નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું પાન કરતાં ભાવિકો કોટેશ્વર, મંગળવાર તા.૧૮-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત છે,…

Read More

દ્વારકામાં વિવિધ વિકાસકાર્યો માટે રૂા. 131.76 કરોડ ફાળવ્યા

– રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, નાગેશ્વર જયોતિર્લિંગને બેટ દ્વારકાને જોડતો નવો રીંગ રોડ મંજૂર – – પાલીકાની ચૂંટણી પૂર્ણ થતાં જ મુખ્યમંત્રીએ વિકાસનો ખોલ્યો પટારો –  – દ્વારકા હોટલ એસોસીએશને મુખ્યમંત્રીને પાઠવ્યા અભિનંદન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૩૦૨૫      દ્વારકા નગરપાલીકાની નવા સત્તા શાસન માટેની ચૂંટણી રવિવારે પૂર્ણ થયાની સાથે જ રાજ્યના…

Read More

તત્ત્વભેદ: પ્રા. પ્રવીણ સલિયા : તમને કક્કો આવડતો નથી! (ભાગ 6) : વિવૃત્ત-સંવૃતનો તત્ત્વભેદ સમજવા જેવો છે

ઉચ્ચારણમાં જે સ્વર ઓછો સમય લે તે લઘુ અને જે વધુ સમય લે તે ગુરુ એવી સાદી સમજ છે જે સ્વર બે માત્રા કરતાં વધુ અથવા બે સ્વરોના જોડાણથી આવે એને પ્લુત કહેવાય છે; પ્લુતનું કાલમાન ગુરુ સ્વરની તુલનાએ વધુ હોય છે સંસ્કૃતમાં ઉચ્ચારતા ‘ૠ’ ‘ૡ’ ના સાચાં ઉચ્ચારણો આપણને આવડતાં નથી, પણ નવા પ્રવેશેલા…

Read More

નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરતાં મોરારી બાપૂ: ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા થયું વંદના અભિવાદન

નારાયણ સરોવર સોમવાર તા.૧૭-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) કચ્છમાં કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન શ્રી મોરારિબાપુએ નારાયણ સરોવર શ્રી ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરેલ. અંહિયા ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું. ભારતનાં પશ્ચિમ છેડે કચ્છનાં સુપ્રસિદ્ધ નારાયણ સરોવર શ્રી ત્રિવિક્રમરાયજી મંદિરમાં શ્રી મોરારિબાપુએ દર્શન પૂજન કરેલ.અંહિયા આ તીર્થસ્થાન ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું….

Read More

સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે : મોરારી બાપૂ

કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં નારાયણ સરોવર, સોમવાર તા.૧૭-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) કોટેશ્વર નારાયણ સરોવરમાં ‘માનસ કોટેશ્વર’ રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં. શ્રી મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે કહ્યું કે, સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. કચ્છની ધરતી પર તીર્થસ્થાન કોટેશ્વર નારાયણ સરોવરમાં…

Read More

કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન

સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ કોટેશ્વર શનિવાર તા.૧૫-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) કચ્છનાં કોટેશ્વર નારાયણ સરોવરમાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાનનો લાભ મળ્યો છે. સંતો અને મહાનુભાવો સાથે સીમા સુરક્ષા બળનાં અધિકારીઓની ઉપસ્થિતિમાં રામકથા પ્રારંભ થયો છે. ગુજરાત અને રાષ્ટ્રની સરહદ ઉપર કોટેશ્વર નારાયણ સરોવર શ્રી ઝુલેલાલ…

Read More

પ્રયાગરાજમાં આગમન સૂર્યનારાયણનું…

પ્રયાગરાજ ( તસવીર કથા – મૂકેશ પંડિત )ભારતવર્ષનાં મહાનતીર્થ સ્થાન પ્રયાગરાજમાં મહાકુંભમેળો ચાલી રહ્યો છે. ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનાં આસ્થાભર્યા સંગમક્ષેત્રમાં વહેલી સવારથી ભાવિકો સ્નાન લાભ લઈ રહ્યાં છે. આ વેળાએ પ્રયાગરાજમાં થાય છે, આગમન સૂર્યનારાયણનું… સર્વત્ર ભાવિક માનવીઓ ઉમટી રહ્યાં છે, તો સવારનાં પહોરથી જ પંખીડાઓ પણ તેમનું કર્મ શરૂ કરે છે. કુંભમેળાનાં…

Read More