જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પરમાર પરિવાર (વાણંદ સમાજ) દ્વારા સલાયા ખાતે ચૈત્રી નવરાત્રીના આઠમના પર્વે શનિવારે શ્રી લીમ્બચ માતાજીનો પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગોરણીઓને જમાડવામાં આવી હતી. સાથે માતાજીના નૈવેદ્ય ધરી, માતાજીની પૂજા તથા સ્તુતિ કરાઈ હતી. આ પ્રસંગે સલાયા શહેર […]
Tag: SOCIAL
ખંભાળિયાની પ્રેસિડેન્ટ સ્કૂલમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ ભગવદ્દ ગીતા, રામાયણ, વેદ – પુરાણ અને સંસ્કારો સાથે જ્ઞાન તેમજ શિક્ષણ આપતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક માત્ર સંસ્થા “ધી પ્રેસિડેન્ટ સ્કૂલ”માં ભગવાન રઘુનંદન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓએ ભગવાન શ્રીરામ, માતા જાનકી, લક્ષમણજી અને હનુમાનજીના […]
અવસાન નોંધ: જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: ગુર્જર સુતાર સ્વ. ઘેલાભાઈ વશરામભાઈ દુધૈયાના ધર્મ પત્ની ગં.સ્વ. પ્રભાબેન (ઉ.વ. 88) તે પ્રકાશભાઈ, શરદભાઈ, અનિલભાઈ તેમજ જોસનાબેન શૈલેષકુમાર વઘાડિયા (રાજકોટ) અને ભારતીબેન ભરતકુમાર ભારદીયા (રાજકોટ)ના માતુશ્રી તેમજ વર્ષાબેન, ધારાબેન અને રિયાબેનના સાસુ તેમજ રૂમિત, હેમલ, રામ, શ્યામ, જ્યોતિબેન, મીરાબેન અને પૂજાબેનના દાદીમાં તથા સ્વ. લાલજીભાઈ મનજીભાઈ ગોરેચા (સોડસલા […]
ભાવનગરનું ગૌરવ:લોક ગાયક પિતા- પુત્રી રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાનું કરાયું સન્માન
વિપુલ હિરાણી, ભાવનગર તા.૩ ગુજરાત વિધાનસભામાં વિશ્વ રંગભૂમિના દિવસે લોક ગાયક પિતા -ભાવનગરના રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાનું સન્માન કરીને તેમની કલાને બિરદાવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મંત્રી મુળુભાઈ બેરા અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તેમજ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના વરદ્ હસ્તે કલાકાર બાપ-દીકરીની કલાને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત કલા જગતના ઇતિહાસની […]
ખંભાળિયામાં મહિલા ઉદ્યોગસાહસિકોનું નયારા એનર્જી દ્વારા સન્માન
– મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ આયોજનો કરાયા – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના વાડીનાર સ્થિત નયારા એનર્જી લિમિટેડ કંપનીએ તેની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગ રૂપે ખંભાળિયામાં આંત્રપ્રેન્યોરશિપ કોન્ક્લેવ દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોનું સન્માન કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 142 મહિલા ઉદ્યોગસાહસિકોને એકઠા કરવામાં આવ્યા હતા અને તેમને […]
ઊંચા કોટડા માં પ્રતીક ઉપવાસ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લેતા સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ તરેડી
ગુજરાતમાં અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પ્રેરિત કેટલાક સાધુઓએ કરેલા હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિરુદ્ધના સ્ટેટમેન્ટ ને લઈને જો તરફ વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના સ્ટેટમેન્ટ સમ્રાટ ખેડૂત નેતા ભરતસિંહ પોપટભાઈ વાળાએ સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડેને આડે હાથ લીધા હતા. ભરતસિંહ તરફથી જણાવ્યું કે મહુવા તાલુકાના ઉચા કોટડા માં ચામુંડા માતાજીના સનાધ્યામા પ્રતીક ધારણ કરી રહ્યા […]
દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સહાય
ચણાનું ખળુ લેતાં સર્જાયેલ અકસ્માતમાં જીવ ગુમાવતાં સંવેદના સાથે રૂપિયા ૧૫ હજાર અર્પણ મૂકેશ પંડિત, ઈશ્વરિયા બુધવાર તા.૨-૪-૨૦૨૫ દેવગાણા ગામની મહિલાનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કરવામાં આવેલ છે. સિહોર તાલુકાનાં દેવગાણા ગામે ગયા સપ્તાહે ચણાનું ખળુ લેતાં તે ખેડૂત મહિલા દર્શનાબેન કપિલભાઈ પંડ્યા હલર યંત્ર સાથે સર્જાયેલ અકસ્માતમાં જીવ […]
દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યા 5 વર્ષમાં 33.16 લાખથી ઉછળીને 1.61 કરોડ થઈ
– જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૪-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા) દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી […]
દ્વારકાના આધેડે અકળ કારણોસર દુકાનમાં ગળાફાંસો ખાધો
જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫ દ્વારકાના રબારી પાડો વિસ્તારમાં રહેતા દીગપાલ ઉર્ફે દિપકભાઈ વાલાભાઈ પરમાર નામના 50 વર્ષના દલવાડી આધેડે ગઈકાલે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર એક દુકાનમાં રહેલા પંખાના હૂકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સતિષભાઈ વાલાભાઈ પરમારએ દ્વારકા પોલીસને કરી છે. ____________________________________________________________________________ દ્વારકામાં ક્રિકેટ […]
પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ
પદ્મશ્રી કવિ દુલાભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (CGIF), જે ચારણ-ગઢવી સમુદાયની એકતા, કલ્યાણ અને પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત છે . પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશભાઈ કાગને CGIF યુથ ફોરમ (CGIYA) ના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. […]
