Headlines

ભાવનગરમાં આજે વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ

ભાવનગર, તા. 13/03/2025: વિશ્વ કિડની દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા લોકજાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન તેજસ્વી સ્કૂલ, ભાવનગર ખાતે તા. 13 માર્ચ, 2025ના રોજ સવારે 9 વાગ્યે કરવામાં આવશે. ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન, શ્રી ત્રિલોકભાઈ પરીખના માર્ગદર્શન અને શ્રી જયેશભાઈ પટેલ ના નેતૃત્વ હેઠળ, છેલ્લા…

Read More

ફૂલડોલ ઉત્સવને “ઝીરો વેસ્ટ” બનાવવાના દ્વારકા જિલ્લા પ્રશાસન સક્રિય

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫      યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાનશ્રી દ્વારકાધીશ સંગ હોળી મનાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે રસ્તામાં સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ, જિલ્લા પોલીસ સહિતના દ્વારા વિવિધ સેવા કૅમ્પો ઉભા કરવામાં આવ્યા હતા.       પદયાત્રીઓને…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: વાણંદ કિશોરભાઈ મગનલાલ મારુ (ઉ.વ. 75) તે ધનસુખભાઈ અને સ્વ. જીતેન્દ્રભાઈના મોટાભાઈ તથા સાગરભાઈના પિતાશ્રી તેમજ અનિલભાઈ, જતીનભાઈ મિલનભાઈ અને પાર્થભાઈના અદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તારીખ 13 ના રોજ સાંજે સાડા ચાર થી પાંચ અત્રે રામનાથ મંદિરે રાખવામાં આવેલ છે. તેમની ઉત્તરક્રિયા…

Read More

ભાવનગરમાં ત્રિવિધ કાર્યક્રમો સાથે સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ

વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સર્વસમાજની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. . ભાવનગર આદિવાસી વિકાસ મહામંડળ, નૅશનલ એસસી. એસટી ડેવલોપમેન્ટ કાઉન્સિલ તેમજ ક્રિષ્ના ગેસ એજન્સી દ્વારા સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે હરેશભાઇ (પપ્પુભાઈ) પરમારના માર્ગદર્શનમાં ‘વિશ્વ મહિલા દિવસ’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં એમ.કે.એસ યુની. ના અંગ્રેજી ભવનના પૂર્વ એચ.ઓ.ડી પૂર્ણિમાબેન મહેતા, રેલ્વેના ડી.સી.એમ નિલાદેવી ઝાલા, લેખક અને મોટીવેશનલ…

Read More

જામનગરની સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫         જામનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે સ્થિત ઇન્ડીયન રેડક્રોસ સંચાલિત પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર સીવિલ હોસ્પિટલ જામનગરમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.         વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે. ત્યારે ગરીબ અને મધ્યમ…

Read More

રક્ષા શુક્લ લિખિત ‘કાર્યેષુ મંત્રી’ પુસ્તકનું વિમોચન

હરેશ જોષી, કોલેબ તાજેતરમાં કોલેબ ખાતે જાણીતા લેખિકા રક્ષા શુક્લ લિખિત વિશ્વની નારીઓની ગૌરવગાથાઓને આલેખતું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નો વિમોચન સમારોહ યોજાઈ ગયો. સુખ્યાત એન્કર ફિટનેસકોચ સપના વ્યાસે પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું કે ‘રક્ષાબહેનના પુસ્તકમાં શૂન્યમાંથી શિખર સુધી પહોંચેલી નારીનોનો સંઘર્ષ બખૂબી આલેખાયો છે, દરેક મહિલાએ આ પુસ્તક વાંચવું રહ્યું’નવભારત સાહિત્ય મંદિરના દર્શના કૃણાલ શાહ અને…

Read More

ખંભાળિયા નજીક જિલ્લા પોલીસના સુવિધારૂપ પદયાત્રી કેમ્પનો લાભ લેતા હજારો પદયાત્રીઓ

– ભોજન, વિશ્રામ સાથે આરોગ્ય, તબીબી ચકાસણી સહિતની વિવિધ સેવાઓ – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫          દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં પદયાત્રીઓની અવર-જવર ધરાવતા ખંભાળિયા નજીકના હાઈવે પર જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુવિધાઓ સાથેના પદયાત્રી કેમ્પનો લાભ દરરોજ હજારો કૃષ્ણ ભક્તો લ્યે છે. ત્યારે વિશાળ અને…

Read More

મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ – રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે

– કુંજન રાડિયા, મુંબઈ        મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13 મી થી 16 મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.         ધનરાજભાઈ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને…

Read More

કેનેડામાં જગદીશ ત્રિવેદીના રામદરબાર દ્રારા કેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાને 12.50 લાખનું દાન

કેનેડાનાં આલ્બર્ટા રાજ્યનાં એડમન્ટન શહેરમાં ગરવી ગુજરાત એશોશિએશન અનેઅપના મિલવુડ સિનિયર્સ એશોશિએશનના સંયુકત ઉપક્રમેકેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાના લાભાર્થે જગદીશ ત્રિવેદીનો “ રામ દરબાર “યોજાયો હતો.ઈન્ડીયા કાઉન્સિલ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૩૫૦ લોકોએ સાંજના 7 થી 10 રામાયણના પ્રેરણાદાયી પ્રસંગોની સંગીતમય પ્રસ્તુતિ માણી હતી. ભારતમાં રામદરબારનાં સાત જેટલાં સફળ કાર્યક્રમો બાદ નોર્થ અમેરિકામાં આ…

Read More

તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે દાતાઓના સન્માન સમારંભ સાથે આનંદપર્વ યોજાયું

ગામના વતની દાતા પરિવાર દ્વારા જન્મભૂમિમાં થયેલાં સદકાર્યને સીતારામબાપુએ આવકારી આશીર્વચન પાઠવ્યાં હરેશ જોષી, ઘાટરવાળા તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે લોક ઉપયોગી સંખ્યાબંધ કામો કરનાર વતન પ્રેમી દાતા શાહ પરિવારના સન્માન સમારંભ સાથે આનંદ પર્વ ઉજવવામાં આવ્યું હતું. ગામજનો પ્રેરિત આ કાર્યક્રમમાં આખું ગામ જોડાયું હતું. સૌએ ગામ ધુમાડા બંધ રાખી સાથે ભોજન લીધું હતું.ઘાટરવાળાના…

Read More