Headlines

હોળી-ધુળેટીના તહેવારોને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકામાં વિવિધ પ્રકારના પ્રતિબંધ અંગેના જાહેરનામા અમલી

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫         આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે, આ પદયાત્રીઓ દિવસ રાત્રિ દરમિયાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા, ગેર વ્યવસ્થા અટકાવવા તથા સલામતીને ધ્યાને…

Read More

દ્વારકાના રઘુવંશી સીનીયર સીટીઝનની 50 મી એનીવર્સરી નિમિત્તે ઓખામંડળ-બારાડીની ઊભી ધામ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫      દ્વારકા શહેરમાં આવેલી 140 વર્ષ જૂની ગૌશાળા પરિસરમાં આગામી શુક્રવાર તારીખ 7 ના રોજ દ્વારકાના રઘુવંશી સીનીયર સીટીઝન જેઠાલાલ રાયઠઠ્ઠાની લગ્નની 50 મી લગ્ન તિથિ (એનિવર્સરી) નિમિત્તે સમસ્ત ઓખામંડળ અને બારાડી વિસ્તારના રઘુવંશી સમાજની ઊભી ધામ (સમૂહ પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ…

Read More

પાસામાં અંદર થયો: સુરજકરાડીના માથાભારે મનુષ્ય રાકેશ રોશિયાને પોલીસે કઈ જેલમાં મૂક્યો?

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫          ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતો રાકેશ ધનાભાઈ રોશિયા નામનો 32 વર્ષનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના ગુનાઓ સાથે સંડોવાયેલો હતો. જેની સામે સમયાંતરે નોંધાયેલી ફરિયાદો અન્વયે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા માથાભારે શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પોલીસને આપવામાં આવેલી…

Read More

ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ

હરેશ જોષી, ભદ્રાવળ ગુલાબચંદ ઝવેરચંદ શાહ શાળા ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારા નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા સુશીલાબા પરિવાર થકી પીવાના પાણીની સવલત કરી આપવામાં આવી છે . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી…

Read More

વનતારામાં વડાપ્રધાન મોદીએ કર્યો પશુઓ સાથે વાર્તાલાપ

–  પશુ પક્ષીઓના આવાસ “વનતારા”નું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫       વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી હતી.       વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વન્યજીવ બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર – વનતારાની મુલાકાત લીધી

વનતારા 2,000 થી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય અને લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે પ્રધાનમંત્રીએ કેન્દ્રમાં વિવિધ સુવિધાઓની તપાસ કરી. તેમણે ત્યાં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ સાથે નજીકથી વાતચીત કરી વનતારા પ્રધાનમંત્રીએ વનતારા ખાતે વન્યજીવન હોસ્પિટલની મુલાકાત લીધી અને પશુચિકિત્સા સુવિધાઓ જોઈ જેમાં MRI, CT સ્કેન, ICU વગેરે સુવિધાઓ છે. આ ઉપરાંત,…

Read More

સંયુક્ત ભારતીય ધર્મ સંસદ દ્વારા આયોજિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન અંતર્ગત દ્વારકાથી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ

– શંકરાચાર્ય નારાયણનંદજીના આશીર્વાદથી રથયાત્રાનો પ્રારંભ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         સિદ્ધપીઠ મહેંદીપુર બાલાજી મંદિર મહંત નરેશપુરીજી મહારાજના પવિત્ર સાનિધ્ય તથા આચાર્ય રાજેશ્વરીજીના નેતૃત્વમાં કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન અંતર્ગત ભવ્ય રથયાત્રા દ્વારકા (ગુજરાત)થી મથુરા (ઉત્તર પ્રદેશ) સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ મંગળવારે સવારે દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં જગતગુરુ…

Read More

“હાલ રમજાન મહિનો ચાલે છે ફટાકડા ફોડવાનું બંધ કરો” તેમ કહીને હવેલીને તાળું મારવાનું કહ્યું: ખંભાળિયામાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી

– સામ સામે સાત વિરુદ્ધ ફરિયાદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૩-૦૩-૨૦૨૫       ખંભાળિયામાં દ્વારકા ગેઈટ નજીક આવેલી એક હવેલી પાસે ગતરાત્રે ફટાકડા ફોડવા બાબતે યુવાનોના બે જૂથો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામસામા પક્ષે કુલ સાત સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.          આ સમગ્ર પ્રકરણની પોલીસમાં જાહેર…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંદિરો સહિતના ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા અંગેની નોટિસોથી ભારે ચકચાર

– ધાર્મિક સિવાય અન્ય કોઈ દબાણો નડતરરૂપ નહીં હોય ?: વ્યાપક ચર્ચા – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫         હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દાખલ થયેલી લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુર તાલુકાના મામલતદાર દ્વારા વિવિધ પ્રકારના નડતર રૂપ ધાર્મિક સ્થળોના દબાણો 15 દિવસમાં દૂર કરવા માટેની નોટિસો આપવામાં…

Read More

દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોને નોટિસ અપાતા કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

– અનેક ધાર્મિક સ્થળો આઝાદી પહેલાના છે –  – કેટલાક ધાર્મિક સ્થળોમાં સરકારે પોતે ગ્રાન્ટ વાપરી છે: પાલભાઈ –  – શહેરોમાં કિંમતી જમીન પરના દબાણ દૂર કરવાથી શરૂઆત કરવા માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં આશરે 200 જેટલા ધર્મ સ્થળો ને કથિત રીતે ગેરકાયદેસર દબાણ…

Read More