
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫
ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડી – ગરમીની મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેના કારણે વાઇરલ બીમારીના કેસો પણ વધી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં છેલ્લા આશરે એક પખવાડિયામાં 1100 જેટલા બાળ દર્દીઓ વાયરલ બીમારીના કારણે સામે આવ્યા છે. જેમાં તાવ, શરદી, ઉધરસ વિગેરે જેવી બીમારીથી હોસ્પિટલમાં બાળકોની ઓપીડી વધી રહી છે. આ અંગે ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. કૈલાશ ચોપડાએ જણાવ્યું હતું કે વર્તમાન ઋતુના કારણે બાળકોમાં વધતી જતી વાયરલ બીમારી અંગે ખાસ કરીને માતા-પિતાએ જરૂરી સાવચેતી રાખવા તેમજ બાળકોમાં બીમારી ન ફેલાય તે માટે જરૂરી સ્વચ્છતા જાળવવા ઉપરાંત બીમારીના લક્ષણ જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવ્યું છે.

(ફોટો:- કુંજન રાડિયા)