Headlines

રાજસ્થાન અને ગુજરાતમાં અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા બે દિવસ પહેલા રાજસ્થાનના ભીવાડી ખાતે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભીવાડી રાજસ્થાન ખાતે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો અને તે પછી ત્યાં આગ લાગી હતી જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. અકાળે અવસાન પામેલા સૌ બિહારના વતની હોવાની વિગતો જાણવા મળી…

Read More

દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત રાત્રે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.        દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા, ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, એલ.સી.બી. પી.આઈ. તેમજ સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા…

Read More

પોરબંદરના માછીમારોની સબસિડી પર ‘ઈ-વે બિલ’નું ગ્રહણ: ભાજપ માછીમાર સેલ દ્વારા સરકારમાં રજૂઆત

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના માછીમારોને મળતી સરકારી સહાય અને સબસિડીના નાણાં છેલ્લા કેટલાક સમયથી અટવાયા છે, જેને લઈને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ‘ભાજપ માછીમાર સેલ’ અને ‘માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ’ દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિવાદના કેન્દ્રમાં વર્ષ 2021નો એક…

Read More

રાણાવાવ પોલીસની સરાહનીય કામગીરી: રસ્તે ભુલા પડેલા વૃદ્ધને ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મિલાવ્યા

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ, પોરબંદર ​પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાવાદી અભિગમનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. રાણાવાવ પોલીસે રસ્તો ભુલી ગયેલા એક 60 વર્ષીય વૃદ્ધને ગણતરીના કલાકોમાં શોધી કાઢી, હેમખેમ તેમના પરિવાર સાથે મિલન કરાવી પોલીસની સજાગતા અને સંવેદનશીલતાનો પરિચય આપ્યો છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ…

Read More

દ્વારકામાં રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝના નામે રૂ. નવ લાખની છેતરપિંડી: અમદાવાદના શખ્સ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૬         દ્વારકામાં એક આસામીને જાણીતા કુલચા રેસ્ટોરન્ટના નામની ફ્રેન્ચાયસી આપવાની બાબતે રૂ. 9,00,000 ની રકમ લઇ અને ત્યાર બાદ માણસો પરત બોલાવી, છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.        આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં મુરલીધર મંદિરની સામે રેલવે સ્ટેશન રોડ પર રહેતા દેવશીભાઈ ડાડુભાઈ…

Read More

મણાર લોકશાળામાં તેજસ્વી તારલાઓના સન્માન સહિતનો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત , મણાર મણાર લોકશાળામાં ચતુર્વિધ કાર્યક્રમ યોજાઈ ગયો. ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા-મણાર ખાતે માતૃ પિતૃ વંદના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તેજસ્વી તારલાઓ અને રમતવીરોને ઇનામ વિતરણ તેમજ વાલી મિટિંગ નું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિથી માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.કાર્યક્રમના મુખ્ય મહેમાન લોકભારતી સણોસરાના…

Read More

નવા રતનપર ગામમાં સરપંચનો વીડિયો વાયરલ: ‘એટ્રોસિટી’ની ધમકી આપી ગ્રામજનો પર દબાણ લાવવાનો પ્રયાસ

અવિશ્વાસનો પ્રસ્તાવ ઉપરાંત અનેક ગ્રામજનો દ્વારા સરપંચ સામે આંદોલનાાત્મક અવાજ ઉઠવાની સંભાવના : સરપંચ આડેધડ આપી રહ્યા છે એટ્રોસિટ મુજબ ગુનો દાખલ કરાવવાની ધમકી  ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાનાનવા રતનપર ગામમાં હાલના સરપંચ ગૌતમ બારૈયા અને ગ્રામજનો વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી…

Read More

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: પોરબંદર દરિયાકાંઠેથી કરોડોનું શંકાસ્પદ કેમિકલ ઝડપાયું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. તાજેતરમાં ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) અને ભારતીય કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદરથી આશરે ૧૪૦ નોટિકલ માઈલ દૂર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા (IMBL) નજીકથી એક સ્પીડ બોટને આંતરી હતી. આ બોટમાંથી અંદાજે ૨૦૦ કિલો જેટલો શંકાસ્પદ કેમિકલનો…

Read More

મહાશિવરાત્રી નિમિતે શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા વિવિધ સેવાકાર્ય યોજ્યા

ધ ગ્રેટ વર્લ્ડ , પોરબંદર મહાશિવરાત્રી નિમિતે પોરબંદરના જાણીતા શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ તથા અન્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.સો પ્રથમ શિશ્વેશ્વર મહાદેવ ને રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો ને શિવભક્તોને પાર્થિવ શિવલિંગ બનાવીને ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું તથા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો ને લઘુ રુદ્રાભિષેક કરવામાં…

Read More

વિશ્વનાથ મહાદેવમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સદભાવના સેવા મંડળ પોરબંદર દ્વારા સેવાકીય કાર્યો થયાં

ખબર જગત , પોરબંદર છાયા પંચાયત ચોકી પાસે ખૂબ પૌરાણિક એવું વિશ્વનાથ મહાદેવનું લોકોના આસ્થાનું પ્રતીક એવું આ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં સેવા પૂજા નિયમિત રીતે અજયગીરી રામદત્તી દ્વારા કરવામાં આવે છે.શ્રાવણ માસ તેમજ રોજ માટે અનેક દર્શનાર્થીઓ નિયમિત લાભ લે છે. પોરબંદરમાં આવેલ અનેક શિવ મંદિરો પોતાનો એક આગવો ઇતિહાસ ધરાવે છે એમ…

Read More