Headlines

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી સહભાગી થયાં

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૮ મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકીએ આજે તેમનાં ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના વ્યાસપીઠ પરથી પ્રસ્તુત થયેલ શ્રીમદ્ ભાગવત કથામૃતનું રાજ્ય મંત્રીશ્રીએ રસપાન કરી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. મહોત્સવ પ્રસંગે…

Read More

આરંભડાના રહેણાંક મકાનમાં છુપાવવામાં આવેલા વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬         ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા ભગતભા રાણાભા માણેક નામના 32 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે દારૂ મંગાવીને રાખવામાં આવ્યો હોવાની માહિતી મીઠાપુર પોલીસ મથકના એ.એસ.આઈ. એન.કે. જાડેજા, મહીરાજદાન ગઢવી અને જયપાલસિંહ જાડેજાને પેટ્રોલિંગ દરમિયાન મળતા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો….

Read More

પટેલકાના યુવાને ઝેરી ટીકડા ગળી લેતા મૃત્યુ

– ઓખામાં મધદરિયે માછીમાર પ્રૌઢને હાર્ટ એટેક – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬      કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામભાઈ વીરાભાઈ લગારીયા નામના 47 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને પોતાના હાથે ઝેરી ટેકરા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવવા અંગેની જાણ નિલેશભાઈ રામભાઈ લગારીયા (ઉ.વ. 26) એ કલ્યાણપુર…

Read More

ખંભાળિયાના આહિર સિંહણ ગામે મંગળવારે શ્રી જખ્ખ ડાડાની પહેડી મહોત્સવ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬     ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજમાન ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટ દેવ શ્રી સંઘાયડા વારા જખ્ખડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.       દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં મંગળવાર તા.3 ના રોજ સવારે 10 વાગ્યે ધ્વજારોહણ, સાંજે…

Read More

બેટ દ્વારકાધીશ મંદિર ખાતે 465 વર્ષથી દોલોત્સવની અવિરત પરંપરા

– રાજાધિરાજ દ્વારકાધીશજીને અર્પણ થશે વિશેષ ફગવા ભોગ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬     બેટ દ્વારકાના પવિત્ર ધામ ખાતે ફાગણ મહિનાના પાવન તહેવારો હોળી અને ફૂલડોલ નિમિત્તે દોલોત્સવની ભવ્ય અને પારંપરિક ઉજવણી યોજાનાર છે. બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં આ ઉત્સવને “દોલોત્સવ” તરીકે ઓળખવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 465 વર્ષથી અવિરત રીતે નિભાવવામાં આવી…

Read More

દ્વારકાધીશ મંદિરમાં ગુલાલની છોળો સાથે ધર્મમય માહોલ

– ભાવિકોમાં ફુલડોલનો ઉત્સાહ ચરમસીમાએ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬         યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજપર્યંત ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની…

Read More

ખંભાળિયા પંથકમાં ફૂલોનું મબલક ઉત્પાદન: ભાવમાં કડાકો બોલી જતાં ધરતીપુત્રોને વ્યાપક નુકસાની

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના અનેક વિસ્તારોમાં ખેડૂતો હાલ વિવિધ પ્રકારના ફૂલની ખેતી કરે છે. ગુલાબ, ડોલર, વિગેરે જેવા પરંપરાગત ફૂલોની ખેતી અહીં કરવામાં આવે છે. ત્યારે થોડા સમય પૂર્વે શિયાળા ના પ્રારંભે ફૂલોના ભાવની વધતી જતી બજાર વચ્ચે પ્રતિકૂળ હવામાનના કારણે ખેડૂતોને પૂરતી આવક થઈ શકી ન હતી.    …

Read More

ખંભાળિયામાં આવતીકાલે ત્રણ કલાકનો વીજકાપ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬        ખંભાળિયાના રામનાથ સોસાયટી રોડ પર નગરપાલિકા દ્વારા નડતરરૂપ વીજલાઈન અંગેની કરવામાં આવનાર કામગીરીને અનુલક્ષીને આવતીકાલે રવિવાર તા. 1 માર્ચના રોજ રામનાથ સોસાયટી, મહાદેવ વાડો અને ઘી ડેમ વિસ્તારમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે. 

Read More

ખંભાળિયા પીજીવીસીએલ સ્ટાફની સેવા પ્રવૃત્તિ: પદયાત્રીઓને આઈસ્ક્રીમ, ચોકલેટનું વિતરણ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       ખંભાળિયા પીજીવીસીએલના રામનગર સબ ડિવિઝનના સેવાભાવી અધિકારીઓ, કર્મચારીઓએ નવતર અભિગમ અપનાવીને દ્વારકા જતા યાત્રિકોને સેવાઓ આપી હતી.       હાલ હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકા ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે. ત્યારે આ પદયાત્રીઓને ટાઢક થાય તે હેતુથી રામનગર સબ ડિવિઝનના સ્ટાફ દ્વારા આઈસ્ક્રીમ અને…

Read More

હોળી પર્વને અનુલક્ષીને રાજકોટથી દ્વારકા અને ઓખા માટે દોડાવવામાં આવશે ખાસ ટ્રેનો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હોળી પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં જતા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રાજકોટથી દ્વારકા અને ઓખા માટે વિશેષ ભાડા પર અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેની વિગતમાં ટ્રેન નં. ૦૯૫૩૩/૦૯૫૩૪ રાજકોટ-દ્વારકા અનારક્ષિત…

Read More