સલાયામાં માછીમાર સામે કાર્યવાહી
કુંજન રાડિયા, જામ ખંભાળિયા સલાયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા સાહેલ કરીમ ભગાડ નામના 32 વર્ષના માછીમાર યુવાને પોતાની ફિશીંગ બોટમાં સંદેશા વ્યવહારના સાધનો ન રાખી, ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમના જુદા જુદા નિયમોનું ઉલ્લંઘન કરતા આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ખંભાળિયા, ભાણવડ, ઓખામાં જુગાર રમતા છ ઝડપાયા
કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયાના ધીરજલાલ ઉર્ફે ગબ્બર નાનજીભાઈ પાઉં નામના 70 વર્ષના વૃદ્ધને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. ભાણવડ ટાઉન વિસ્તારમાંથી રાજુ જીવરાજભાઈ સોલંકી, ઇમરાન ઉર્ફે બળો ઉમરમિયાં સૈયદ અને ઈનાયત શેરમામદ બ્લોચને ભાણવડ પોલીસે તેમજ ઓખાના રેલવે ગોડાઉન પાછળથી અલાના ભિખનભાઈ તુરક અને સહદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પોલીસે તીનપત્તીનો જુગાર…
મીઠાપુર પંથકની બે પરિણીતાઓને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી અને ડોસાભાઈ ફફલની 36 વર્ષની પરિણીત પુત્રી પુષ્પાબેન નિલેશભાઈ મણવરને તેણીના લગ્ન જીવન દરમિયાન રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતા તેણીના પતિ નિલેશ ડાયાભાઈ મણવર ,સાસુ અંજુબેન અને નણંદ મીનાબેન જીતુભાઈ સોલંકી દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢીને માર મારવા…
કલ્યાણપુરમાં સરકારી જમીન પર અતિક્રમણ: ચાર શખ્સો સામે ગુનો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા કલ્યાણપુર પંથકમાં સર્વે નંબર 1429 (જુના સર્વે નંબર 407 પૈકીની) સરકારી જમીન પર છેલ્લા આશરે 55 વર્ષથી અનધિકૃત રીતે દબાણ કરી અને આશરે એક વીઘા જમીનને ખેડીને ઉપયોગ કરવા તેમજ મકાનો બનાવીને ગેરકાયદેસર રીતે કબજો કરવા રહીશ રણમલભાઈ જીવાભાઈ કણજારીયા, જીવાભાઈ નારણભાઈ, રણમલ મુરજીભાઈ કણજારીયા અને ભીમાભાઈ જીવાભાઈ…
દ્વારકામાં રીક્ષાની ઠોકરે બાઈક સવાર યુવાનનું મૃત્યુ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા દ્વારકા નજીકના પોરબંદર હાઈવે માર્ગ પર આવેલા એક પેટ્રોલ પંપ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 08 એ.ટી. 6028 નંબરની એક રીક્ષાના ચાલકે આ માર્ગ પર જી.જે. 37 પી. 1619 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા હકુભા બનેસંગ પરમાર નામના 30 વર્ષના યુવાનને અડફેટે લેતા તેમને શરીરના…
ખંભાળિયામાં થર્ટી ફર્સ્ટ સંદર્ભે પોલીસ દ્વારા સધન ચેકિંગ: પીધેલા શખ્સો સામે કાર્યવાહી
બાઈક પર નીકળેલા લોકોના બ્રેથ એનેલાઇઝરની મદદથી તપાસ સહિતની કામગીરી કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસા દ્વારા દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ
મહંત ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા દ્વારા શ્રી દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત શ્રી ગરીબરામબાપાનાં સાનિધ્ય સાથે શ્રી હરસિદ્ધિજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે. પ્રયાગરાજ મહાકુંભમેળામાં મૂક્તિમાર્ગ ( સેકટર ૧૯ – શાસ્ત્રીપુલ) જુંસી ક્ષેત્રમાં અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા આયોજિત…
બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય
લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં માર્ગદર્શન ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) લોકભારતી સણોસરામાં બાગાયત વિભાગ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં નિષ્ણાતો દ્વારા અપાયેલ માર્ગદર્શનમાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ માટે ખેડૂતોનાં સામૂહિક પ્રયાસો અનિવાર્ય હોવાનું જણાવાયું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી સણોસરામાં બાગાયતી પાકોમાં ફળ માખી નિયંત્રણ પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું. નાયબ બાગાયત…
