Headlines

નવારતનપરના સરપંચ ગૌતમ બારૈયાની માજી સરપંચ રમેશ ગોહિલ સામે એટ્રોસિટીની ફરિયાદ: FIR મોડી નોંધાવી હોવાથી અને ફરિયાદ પાછળ અવિશ્વાસની દરખાસ્તનું કારણ દર્શાવ્યું હોવાથી નબળી પડશે ફરિયાદ: રમેશને કેવી રીતે નુકસાન ઓછું અને ગૌતમને ગેરફાયદો વધુ થશે?

નારન બારૈયા, નવા રતનપર, 14 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવા રતનપર ગામે ગત તારીખ 25 5 25 ના રોજ બનેલી ઘટના અંગે લગભગ દોઢ મહિના પછી 13 ફેબ્રુઆરી 2026 ના રોજ હાલના સરપંચ ગૌતમ બારૈયાએ ભૂતકાળના સરપંચ રમેશ ગોહિલ સામે પોતાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, ગાળો દઈ, થપાટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ…

Read More

નવારતનપરના પંચાયત સદસ્ય પ્રવીણ મકવાણાએ દાદાગીરીથી પંચાયતની જમીનમાં બાંધેલું શોપિંગ સેન્ટર તોડી પાડવા માટે સરપંચ ગૌતમ બારૈયાની કાર્યવાહી તેજ: માનસિક રોગી હોવાને કારણે પણ ગેરલાયક ઠરશે પ્રવીણ: પ્રવીણ પછીના ક્રમે જેને સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવા કાર્યવાહી થવાની છે તે મહિલા સદસ્ય કોણ? 

નારન બારૈયા,  નવારતનપર, 13 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં લગભગ એક કરોડ રૂપિયાના કામો પેન્ડિંગ છે ત્યારે સરપંચને વિકાસના કામો કરવા દેવાને બદલે તેનું ધ્યાન ડ્રાઈવર્ટ કરવા માટે અને તેને સત્તા ઉપરથી ઉથલાવી નાખવા માટે ભયંકર કાવતરાખોરી વાળું ધગધગતું રાજકારણ રમાઈ રહ્યું છે અને એકદમ વાહિયાત મુદ્દે તેની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં…

Read More

The Great Impact : નવારતનપરમાં વોર્ડ નંબર 6ના સભ્ય મધુબેન ગેરલાયક થતાં છગન દયાળ બારૈયાનું રાજકારણ ખતમ થયાના પગલે અનિષ્ટ તત્વોનો સફાયો કરવા માટે ખુદ ગબ્બર (ગૌતમ) સક્રિય: તેરા ક્યા હોગા પલિયા?

નારન બારૈયા, નવારતનપર, 11 ફેબ્રુઆરી 2026 ભાવનગર તાલુકાના નવારતનપર ગામના ડામાડોળ થઈ ગયેલા રાજકારણમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરીને ખુદ પંચાયતના સભ્યો જ વિકાસને રૂંધવાની પ્રવૃત્તિમાં સક્રિય થઈ ગયા છે ત્યારે ખુદ ગબ્બર એટલે કે ખુદ  ગૌતમ સરપંચ પંચાયતમાં ઘૂસી ગયેલા અનિષ્ઠ તત્વોનો સફાયો કરવા માટે સક્રિય થયા છે અને તેમાં ૩ સંતાન ધરાવનાર છગન દયાળ…

Read More

રેડક્રોસ સોસાયટી દ્વારા ભાવનગર અને અલંગ ખાતે દાત ના રોગો નો વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પ

સુમિત ઠક્કર ,ભાવનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૬ સોમવારે નેશનલ ટૂથ-એક ડે નિમિતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, સંચાલિત દિવાનપરા રેડક્રોસ ભવન અને રેડક્રોસ હોસ્પિટલ અલંગ ખાતે દાંત ના નિષ્ણાત ડૉકટર દ્વારા દાંત ની તપાસ વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી, તેમજ દાંત માં થતા રોગોની માહિતી પણ આપવામાં આવી હતી આ પ્રસંગે ડો દિલીપભાઈ વાળા…

Read More

ભાવનગરમાં 4 ક્વાડ્રુપ્લેટ્સ નવજાત શિશુઓને 63 દિવસની સફળ સારવાર બાદ તંદુરસ્તી સાથે ડિસ્ચાર્જ: સર ટી હોસ્પિટલના બાળ આરોગ્ય NICU ટીમ દ્વારા HOD ડો.મેહુલ એમ.ગોસાઈ અને ટીમ દ્વારા થયેલ નોંધપાત્ર કામગીરી

ડો. યશ દવે, ભાવનગર સર ટી હોસ્પિટલ ના બાળ આરોગ્ય વિભાગ ખાતે કાર્યરત નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં દાખલ થયેલા ચાર નવજાત શિશુઓ (ક્વાડ્રુપ્લેટ્સ) ને કુલ 63 દિવસની સફળ અને સુવ્યવસ્થિત તેમજ સઘન સારવાર બાદ આજે સંતોષકારક અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથેની પરીસ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દંપતિ છેલ્લા 15 વર્ષથી નિ:સંતાન હતા અને…

Read More

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની યોજાઈ શુભેચ્છા મુલાકાત: રાજધાની દિલ્લીમાં થઈ પ્રાસંગિક વાતચીત

ભાવનગર બુધવાર તા.૪-૨-૨૦૨૬ ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા સાથે પત્રકારોની શુભેચ્છા મુલાકાત યોજાઈ ગઈ. રાજધાની દિલ્લીમાં આ વેળાએ પ્રાસંગિક વાતચીત થઈ. રાજધાની દિલ્લીમાં ભાવનગર બોટાદ બેઠકના સાંસદ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી નિમુબેન બાંભણિયા સાથે તેમના કાર્યાલયમાં પત્રકારો દ્વારા શુભેચ્છા બેઠકમાં પ્રાસંગિક સાંપ્રત વાતચીતમાં સૌ જોડાયાં હતાં….

Read More

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

શંભુ સિંહ, ભાવનગર ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 30 જાન્યુઆરી 2026ના રોજ શહીદ દિવસ શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવવામાં આવ્યો. આ અવસરે મંડળ કચેરી, રેલવે સ્ટેશનો, હેલ્થ યુનિટો તથા કોચિંગ ડેપો સહિત મંડળના તમામ પ્રતિષ્ઠાનોમાં પ્રાતઃ 11.00 વાગ્યે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને ભાવપૂર્ણ…

Read More

વળાવડ ખાતે વળાવડી માતાજી મંદિરનો દ્વિતીય વાર્ષિક પાટોત્સવ સંપન્ન

મૂકેશ પંડિત, ભાવનગર ગુરુવાર તા.૨૯/૧/૨૦૨૬ ગોહિલવાડના ગૌરવ અને મહેતા તથા દવે કુટુંબની કુળદેવી રાજ રાજેશ્વરી શ્રી વળાવડી માતાજી મંદિર, નવદુર્ગાધામ – વળાવડ ખાતે મહા સુદ એકાદશી, ગુરુવાર તા. ૨૯-૦૧-૨૦૨૬ના રોજ દ્વિતીય વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો.આ પાવન પ્રસંગે મહેતા તથા દવે કુટુંબ સભ્યોએ હાજરી આપી હતી. પાટોત્સવ અંતર્ગત નવચંડી યજ્ઞ, શ્રીયંત્ર પૂજન, માતાજીના…

Read More

ભાવનગરમાં “મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનો DRM દ્વારા શુભારંભ

શંભુ સિંહ, ભાવનગર રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં વાણિજ્ય વિભાગ દ્વારા 28 જાન્યુઆરી 2026 થી 06 ફેબ્રુઆરી 2026 સુધી “મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” નામનું વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનું શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા દ્વારા 28.01.2026…

Read More

મહુવામાં હોલી ફેમિલી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે ગુડ ટચ બેડ ટચ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડીત, મહુવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહુવામાં હોલી ફેમિલી ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ગુડ ટચ બેડ ટચ વિશે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં સ્કૂલ પ્રિન્સિપલ. અને શિક્ષક ગણ અને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાંથી પીબીએસ સેન્ટરના કાઉન્સેલર જીજ્ઞાબેન ગોસ્વામી અને હેતલબેન મકવાણા તેમજ સાયબર ક્રાઇમ વિભાગ માંથી ધ્રુવભાઈ…

Read More