Headlines

સાજણાસર પ્રા શાળામાં નિર્મળ જલધારાનું લોકાર્પણ

હરેશ જોષી, સાજણાસરપાલીતાણા તાલુકાના સાજણાસર ગામે મુંબઇ નિવાસી સ્વ. પરમાણંદ શાહ પ્રેરીત મીનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર તરફથી સાડા ચાર હજાર લીટરની ક્ષમતાવાન પીવાના પાણી માટે ‘ નિર્મળ જલધારા ‘ બાંધકામ કરી શાળાને અર્પણ કરેલ છે. જે ખુબ જ આધુનિક અને સ્વચ્છ પાણી પીવા લાયક સુવિધા પ્રાપ્ત થવા બદલ શાળા પરિવાર તથા ગ્રામજનો ખુબ ખુબ આભાર…

Read More

રાજસ્થાન અને ગુજરાતમાં અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા બે દિવસ પહેલા રાજસ્થાનના ભીવાડી ખાતે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભીવાડી રાજસ્થાન ખાતે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો અને તે પછી ત્યાં આગ લાગી હતી જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. અકાળે અવસાન પામેલા સૌ બિહારના વતની હોવાની વિગતો જાણવા મળી…

Read More

મણાર લોકશાળામાં તેજસ્વી તારલાઓના સન્માન સહિતનો ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પંડિત , મણાર મણાર લોકશાળામાં ચતુર્વિધ કાર્યક્રમ યોજાઈ ગયો. ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા-મણાર ખાતે માતૃ પિતૃ વંદના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તેજસ્વી તારલાઓ અને રમતવીરોને ઇનામ વિતરણ તેમજ વાલી મિટિંગ નું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિથી માતા-પિતાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.કાર્યક્રમના મુખ્ય મહેમાન લોકભારતી સણોસરાના…

Read More

નવા રતનપર ગામમાં સરપંચનો વીડિયો વાયરલ: ‘એટ્રોસિટી’ની ધમકી આપી ગ્રામજનો પર દબાણ લાવવાનો પ્રયાસ

અવિશ્વાસનો પ્રસ્તાવ ઉપરાંત અનેક ગ્રામજનો દ્વારા સરપંચ સામે આંદોલનાાત્મક અવાજ ઉઠવાની સંભાવના : સરપંચ આડેધડ આપી રહ્યા છે એટ્રોસિટ મુજબ ગુનો દાખલ કરાવવાની ધમકી  ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાનાનવા રતનપર ગામમાં હાલના સરપંચ ગૌતમ બારૈયા અને ગ્રામજનો વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી…

Read More

ભાવનગરમાં રિક્ષા ચાલક પર હુમલો અને લૂંટ: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક લક્ષ્મણભાઈ વાલાભાઈ સાટીયા સાથે લોહીલુહાણ કરી લૂંટ ચલાવવાની ઘટના સામે આવી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, રિક્ષા ચાલક પોતાની રિક્ષા (નંબર GJ 23 X 5634) લઈને મુસાફરો સાથે ગંગાજળીયા તળાવ તરફ જઈ રહ્યા હતા. ​તલાવડી ચોકડી પાસે પહોંચતા, મોબાઈલ પર વાત…

Read More

ઘોઘાના હાથબ ગામે પાનના ગલ્લામાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો, એક શખ્સની ધરપકડ

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગર પોલીસ દ્વારા ગેરકાયદેસર નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હાથબ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા એક પાનના ગલ્લામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ​પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર, ઘોઘા પોલીસ સ્ટેશનના…

Read More

ભાવનગરના વલભીપુર તાલુકાના પચ્છેગામમાં ભાઈશ્રી અને લાલ બાપુની હાજરીમાં યોજાશે ત્રિવેણી મહોત્સવ 

મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા ૫૫૧ કુંડી મહાવિષ્ણુયજ્ઞનું ભવ્ય આયોજન ધ ગ્રેટ વર્લ્ડ, વલભીપુર ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પછેગામ મુકામે ત્રિવેણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં મુરલીધર દાદા મંદિરમાં નિજ પ્રવેશોત્સવ, શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા ૫૫૧ કુંડી મહાવિષ્ણુયજ્ઞનું ભવ્ય આયોજન તા. ૨૨-૨-૨૦૨૪ થી તા. ૨૮-૨-૨૦૨૪ સુધી રાખવામાં આવેલ છે….

Read More

ભાવનગરના પડવા ગામમાં તસ્કરોનો આતંક: બંધ મકાનમાંથી રુ. 65500ના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. પડવા ગામની સીમમાં રહેતા એક ખેડૂત પરિવારના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો 65,500 રૂપિયાની માલમત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. ​મળતી માહિતી મુજબ, ઘોઘા તાલુકાના પડવા ગામની સીમમાં રહેતા લવજીભાઈ જેરામભાઈ ચૌહાણ…

Read More

જુના રતનપરના મધુબેન જસમુરીયાના ઘરેથી દારૂનો જથ્થો ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ભાવનગર તાલુકાના જુના રતનપર ગામે રહેતા મધુબેન બુધાભાઇ જસમુરીયા પોતાના કબજા ભોગવટાના મકાનની પાછળના ભાગે વગર પાસ પરમીટ દેશી પીવાનો દારૂ લી.૨ કિ.રૂ.૪૦૦નો રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા ગુનો નોંધાયો છે. હેડ કોન્સ્ટેબલ ઓઢાભાઈ મોભે ઘોઘા પોલીસમાં ગુનો દાખલ કરાવી પોતે જ તપાસ હાથ ધરી છે.

Read More

અગિયાળી જીવદયા હોસ્પિટલની આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સહિતના જૈનધર્મ ગુરુઓએ મુલાકાત લીધી

તદ્દન વિનામૂલ્યે પશુ પક્ષીઓની સારવાર કરતી સંસ્થાના કાર્યથી પ્રસન્નતા વ્યક્ત કરી મૂકેશ પંડિત, ઈશ્વરિયા રવિવાર તા.૧૫-૨-૨૦૨૬ ગોહિલવાડનાં અગિયાળીમાં જીવદયા હોસ્પિટલની આચાર્ય ભગવંત ઈન્દ્રસેનસૂરિ મહારાજ સહિતના ધર્મ ગુરુઓએ મુલાકાત લીધી અને સેવા કાર્યની પ્રસન્નતા વ્યક્ત કરી. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગિયાળી ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલમાં આચાર્ય ભગવંત શ્રી ઈન્દ્રસેનસૂરિ મહારાજ સાહેબ, શ્રી દેવેન્દ્ર મહારાજ…

Read More