Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાલથી બે દિવસ મેગા ડોક્યુમેન્ટ કલેક્શન કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬      મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તમામ પાત્ર નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધણી, વિગતોની ચકાસણી તથા જરૂરી ફેરફાર કરવા માટે અપીલ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.       આ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેગા ડોક્યુમેન્ટ…

Read More

શિવરાજપુર બીચ ખાતે તા. 11 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાશે

– સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬         ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ દ્વારકા નજીક આવેલા શિવરાજપુરના બ્લુ…

Read More

ભાણવડના શિવ બળદ આશ્રમના તમામ બળદને ઉતમ પ્રકારનો ખોળ ભરપેટ અપાયો

– સ્વયંસેવકોએ નૂતન વર્ષની કરી નવતર ઉજવણી – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬        ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમમાં સ્વયં સેવકો દ્વારા આ આશ્રમમાં આશરો લઈ રહેલા બળદ માટે અવારનવાર ખાસ પ્રકારના ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં ગઈકાલે નવા વર્ષના પ્રારંભે અહીંના તમામ બળદને ઉત્તમ પ્રકારનો ખોળ પીરસવામાં…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૧-૨૦૨૬ જામ ખંભાળિયા: સ્વ. સુંદરજીભાઈ ભીમજીભાઈ રાયચુરાના જ્યેષ્ઠ પુત્ર દિનેશભાઈ રાયચુરાના ધર્મપત્ની દીપાબેન (ઉ.વ. ૬૯) તે મહેશભાઈ, જેન્તીભાઈ, દિપકભાઈ તેમજ જગુભાઈ રાયચુરા (કાઉન્સિલર- ખંભાળિયા નગરપાલિકા) ના ભાભી તા. ૧ ના અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી આજરોજ શુક્રવારે સાંજે ચાર થી સાડા ચાર ભાઈઓ તેમજ બહેનો માટે અત્રે જલારામ મંદિર…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કિશન-વિશાલ-સચિનને પાસા : કચ્છ, પાલનપુર અને વડોદરામાં જેલવાસ અપાયો

– ખંભાળિયાના ત્રણ શખ્સોને પાસા – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા સધન કાર્યવાહી કરી, ખંભાળિયામાં વિવિધ ગુનાઓ સાથે સંડોવાયેલા ત્રણ શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે.       આ અંગે…

Read More

2026ને મંગલમય બનાવવાની કામના સાથે દ્વારકામાં જગદીશ મંદિરે યાત્રાળુઓની ભીડ

– નૂતનવર્ષની સવારે હજારો ભાવિકોએ દર્શન કર્યા – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૧-૨૦૨૬       ઈસુનું વર્ષ 2025 પૂર્ણ થતાં અને 2026ની શરૂઆત થતાં હાલમાં ચાલતા નાતાલના વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. 2026ના આરંભ સાથે નવવર્ષના પ્રથમ દિવસે આજે ગુરુવારે સમગ્ર વર્ષ મંગલમય નિવડે તેવી કામના સાથે હજારો શ્રધ્ધાળુઓએ ચિકકાર ગીર્દી હોવા છતાં…

Read More

દ્વારકામાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો : ભારે પવન સાથે માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫        દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. દ્વારકામાં વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય…

Read More

ધીરૂભાઈ અંબાણીઃ ગીતાના ઉપદેશને ચરિતાર્થ કરતું જીવન-પરિમલ નથવાણી

શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવતું શાશ્વત માર્ગદર્શન છે. તેમાં કહેવાયેલા કર્મ, ધૈર્ય, સમત્વ, નેતૃત્વ અને આત્મવિશ્વાસના સિદ્ધાંતો જો આધુનિક ભારતના ઉદ્યોગ જગતના ઇતિહાસમાં કોઈ એક જીવનમાં સાકાર થતાં દેખાય, તો તે છે ધીરૂભાઈ અંબાણીનું જીવન. એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગાં-સંબંધીનો આધાર—પણ…

Read More

રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારે વર્ષ 2025ના અંતિમ દિને ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫        દેશના પ્રથમ હરોળના ઔદ્યોગિક એકમ રિલાયન્સ ગ્રુપના અંબાણી પરિવારના મુકેશભાઈ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી તેમજ પુત્રવધુ રાધિકા અંબાણીએ આજરોજ વર્ષ 2025ના અંતિમ દિને સાંજના ઠાકોરજીના ઉત્થાપન સમયે યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને આગામી વર્ષ 2026 સર્વકોઈ માટે સુખ-સમૃદ્ધિભર્યુ રહે તેવી…

Read More

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં વાતાવરણ પલટાયું: વરસાદનાં અમીછાંટણા

– વાતાવરણ ઠંડુ બની રહેતા જનજીવન પ્રભાવિત – જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક સ્થળોએ અમીછાંટણા સાથે ઠંડીનું જોર પણ વધ્યું છે.         હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં…

Read More