Headlines

ભાવનગરના પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્રમાં દોડધામ: રાબેતા મુજબ વાત ‘ખોટી’ નીકળી

​ વિપુલ હિરાણી  ​ભાવનગર તા. ૨૭ ભાવનગરમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને સાઈનાઈડ ગેસ ભરેલા RDX બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી ઈમેઈલ દ્વારા મળી હતી. જેના પગલે સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા આજે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરાઈ હતી. આથી મામલાની ગંભીરતાને ધ્યાને લઈ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ, SOG, LCB તથા…

Read More

જય જૂલેલાલના નારાઓ સાથે ધુળેટી પર્વે રંગોમાં રમશે સિંધી સમાજ

સિંધી સમાજ દ્વારા ધુળેટીના પર્વે ‘રંગોત્સવ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન ​ડીજેના તાલે રાસ-ગરબા અને વોટર કલરની સુવિધા સાથે સિંધી સમાજ રંગેચંગે ઉજવશે હોળીનો ઉત્સવ ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદરના સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધુળેટીના પવિત્ર તહેવારને યાદગાર બનાવવા માટે ‘રંગોત્સવ ૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર સિંધી જનરલ…

Read More

મેરેજ એક નફાકારક બિઝનેસ: લગ્ન કરો / કરાવો અને દિવસોની ગણતરીમાં કરોડપતિ બનો : સૌ પ્રથમ જાણો લગ્ન કરવાની પ્રોફેશનલ રીત (((પહેલી ધારની વાત # નારન બારૈયા)))

પહેલી ધારની વાત : નારન બારૈયા  મેરેજ બિઝનેસ: લગ્ન કરો અને રૂપિયાવાળા બનો સંત બુબૂડાનાથના આશ્રમમાં રહીને અને તેમના ઉપદેશો સાંભળીને મને કેટલુંક નવા નવા પ્રકારનું જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત થયું છે. બુબૂડાનાથના ઉપદેશોમાંથી જ મને એ સમજાયું છે કે લગ્ન એ એક એવું ફંક્શન છે કે તેને એક બિઝનેસ તરીકે વિકસાવી શકાય છે અને…

Read More

ભાવનગરના માલણકા ગામે યુવાનનું રહસ્યમય મોત: કુટુંબી ભાઈઓએ જ હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ : નફરતની ઘટના પાછળ પ્રેમ જવાબદાર?!

​૨૧ વર્ષીય રાધેશ બારૈયા બેભાન હાલતમાં મળ્યા બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો, વરતેજ પોલીસે તપાસ તેજ કરી ​ભાવનગર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ​ભાવનગર નજીક આવેલા માલણકા ગામે એક ૨૧ વર્ષીય યુવાનના શંકાસ્પદ મોતને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. માલણકા ગામે રહેતા રાધેશ મનસુખભાઈ બારૈયા નામના યુવાનની હત્યા તેના જ કુટુંબી ભાઈઓએ કરી હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર…

Read More

જિલ્લા-તાલુકા-નગર પંચાયતની ચૂંટણીઓ નજીક આવતા જ સરકારને ‘સેવા સેતુ’ કાર્યક્રમ યાદ આવ્યા: એક વર્ષથી બંધ યોજના ભાવનગરમાં ફરી શરૂ થશે

​માર્ચ મહિનામાં ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આયોજન, મનપાના ૧૪થી વધુ અધિકારીઓ બજાવશે ફરજ ​ભાવનગર, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ​ગુજરાતમાં આગામી બે માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. આ ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્ય સરકાર ફરી એકવાર સક્રિય મોડમાં આવી ગઈ હોય તેવું જણાય છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી બંધ પડેલા ‘સેવા સેતુ’…

Read More

જૂનાગઢ ચકચારી ખૂન કેસ: પોરબંદરના આરોપીને જામીન પર મુક્ત કરવાનો ડિસ્ટ્રિક્ટ કોર્ટનો હુકમ

​જૂનાગઢ, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ​જૂનાગઢમાં દિવાળીના સમયે ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં દિવ્યાંગ ઉર્ફે યશ વિનોદભાઈ ચુડાસમા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી મર્ડર કેસમાં પોલીસે પાંચ આરોપીઓ સામે ગુન્હો દાખલ કર્યો હતો, જેમાં પોરબંદર પંથકના આરોપી રાજુ અરજણ હુણની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ આરોપીને શરતોને આધીન…

Read More

દેવભૂમિ દ્વારકામાં પદયાત્રાળુઓ માટે સેવા કેમ્પમાં સ્વચ્છતા અભિયાન યોજાયું: અગ્રણી રાજુભાઈ ભરવાડ દ્વારા પ્રેરણાદાયી અભિગમ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬       ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી હાલ દ્વારકા તરફ ચાલીને પ્રયાણ કરતા પદયાત્રીઓની હજારોની સંખ્યામાં ભીડ રહે છે. આ પદયાત્રીઓની સેવા- સુશ્રુષા માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. આ વચ્ચે અનેક સ્થળે વ્યાપક કચરો અને ગંદકી જોવા મળે છે. તેના સાફ-સફાઈ તથા નિકાલ માટે અહીંના…

Read More

દ્વારકા માર્ગ પર સંભળાય છે માત્ર એક જ નાદ “જય દ્વારકાધીશ”

– નિર્વિધ્ને સતત ચાલતા દ્વારકા પદયાત્રીઓમાં જોવા મળતો અનેરો ઉત્સાહ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬       કાળીયા ઠાકોર સંગ હોળી- ધુળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવાનું અનન્ય મહાત્મય છે. ત્યારે આગામી તારીખ 3-4 માર્ચના રોજ દ્વારકા ખાતે પરંપરાગત રીતે કરાનાર ભવ્ય ઉજવણીમાં લાખો કૃષ્ણ ભક્તો સહભાગી થનાર છે. જેમાં ખાસ કરીને જુદા જુદા વિસ્તારોમાંથી ચાલીને…

Read More

ભાણવડ નજીક સ્કૂટરની ઠોકરે પદયાત્રી યુવાનનું મૃત્યુ: દંપતિ ખંડિત

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬        ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા ગોવિંદભાઈ સિસોટીયા નામના આહીર યુવાન ગત તારીખ 25 ના રોજ રાત્રિના સમયે તેમના ધર્મપત્ની જમનાબેનને સાથે લઈને દ્વારકા ખાતે હોળી નિમિત્તે પગપાળા ચાલીને દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રાણા રોજીવાડા ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા…

Read More

ભાવનગરમાં રામદાસ આશ્રમ ખાતે જ્ઞાનયજ્ઞનું આયોજન

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૭ ભાવનગર શહેરના મેઘાણી સર્કલમાં આવેલ રામદાસ આશ્રમ ખાતે એક જ્ઞાનયજ્ઞનુ આયોજન કરવામાં આવેલ છે. તા.28-2-26 સાંજ થી તા.10-3-2026 સાંજ સુધી પ.પૂજય સ્વામિ નિત્યનિષ્ઠાનંન્દજી સરસ્વતી, રાજકોટ દ્વારા સવારે 7.15 થી 8.15 કલાક સુધી કૈવલ્ય ઉપનિષદ અને સાંજે 6.15 થી 7.15 કલાક સુધી નારદ ભકિત દર્શન પર પોતાનુ પ્રવચન આપશે. ભાવનગરની ધર્મપ્રેમી…

Read More