Headlines

દ્વારકામાં રૂમ ભરવા બાબતે બોલાચાલી: યુવાનને મારી નાખવાની ધમકી

જામ ખંભાળિયાદ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા અંબુજાનગર વિસ્તારમાં રહેતા અને હોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઈ મસરીભાઈ કરંગીયા નામના 30 વર્ષના આહિર યુવાનને દ્વારકાના રહીશ રાણાભા માણેક, ભરતભા માણેક અને વિજયભા માણેક નામના ત્રણ શખ્સોએ ફોન કરીને બોલાવી, ‘તેં રૂમ ભરવા બાબતે અમોને કેમ ગાળો આપેલ છે?’- તેમ કહી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.આટલું જ…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા : ટાચકાણી

જામ ખંભાળિયા: સ્વ. ચંદુલાલ વીરજી ટાચકાણી (જોશી)ના પુત્ર ગૌરીશંકરભાઈ તે મહેન્દ્રભાઈ અને નિલેશભાઈ શાંતિલાલ ટાચકાણી (જોશી), ભાવનાબહેન લાલજીભાઈ ખીરા, ધીરજલાલ રેવાશંકર ટાચકાણીના મોટાભાઈ તા. ૨૮ ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તા. ૩૦ ના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી અત્રે સારસ્વત મહાસ્થાન (બ્રહ્મપૂરી), ખાતે રાખવામાં આવેલ છે.

Read More

હર્ષદપુરમાં ” મૂળુભાઇ બેરા ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ” : 60 હજાર વૃક્ષોના મહાઅભિયાનનો પ્રારંભ

– કેબિનેટ મંત્રી મુળુભાઈએ વૃક્ષારોપણ કરીને પોતાના જન્મદિવસની કરી ઉજવણી – Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫       ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના 60 મા જન્મદિવસ નિમિતે “ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ”ના વિશિષ્ટ હરણફાળ અભિયાનનો પ્રારંભ ખંભાળિયાના હર્ષદપુર ખાતે કરવામાં આવ્યો હતો.           મંત્રી મુળુભાઈએ રવિવારે પોતાના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ…

Read More

વળાવડ ખાતે વળાવડી માતાજી મંદિરનો દ્વિતીય વાર્ષિક પાટોત્સવ સંપન્ન

મૂકેશ પંડિત, ભાવનગર ગુરુવાર તા.૨૯/૧/૨૦૨૬ ગોહિલવાડના ગૌરવ અને મહેતા તથા દવે કુટુંબની કુળદેવી રાજ રાજેશ્વરી શ્રી વળાવડી માતાજી મંદિર, નવદુર્ગાધામ – વળાવડ ખાતે મહા સુદ એકાદશી, ગુરુવાર તા. ૨૯-૦૧-૨૦૨૬ના રોજ દ્વિતીય વાર્ષિક પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો.આ પાવન પ્રસંગે મહેતા તથા દવે કુટુંબ સભ્યોએ હાજરી આપી હતી. પાટોત્સવ અંતર્ગત નવચંડી યજ્ઞ, શ્રીયંત્ર પૂજન, માતાજીના…

Read More

સોનપરી પ્રા.શાળા 2 ખાતે માતૃભાષા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

હરેશ જોષી, સોનપરી પાલીતાણા નજીકના સોનપરી ગામની પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષાના મહત્વ વિશે બાળકોએ આ દિવસે વિશેષ જાણકારી મેળવી હતી.હાઇસ્કુલના નિવૃત્ત શિક્ષક અને ભાષાવિદ કુમારભાઈ ઉપાધ્યાય દ્વારા માતૃભાષાના મહત્વની ,તેની જરૂરિયાત ,ગુજરાતી ભાષાનો ઉદભવ ,માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ અને તેના ઇતિહાસ અંગે બાળકોને તેમની સરળ ભાષામાં સમજૂતી આપી હતી .બાળકો…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળલગ્નની માહિતી માટે હેલ્પલાઈન નંબર જાહેર

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫        આગામી સમયમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે રાજ્યમાં – વિવિધ સમાજોમાં અનેક લગ્ન યોજાતા હોય છે. જે સમયગાળા દરમ્યાન બાળલગ્નો થતાં અટકાવવાના આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.        સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર, રસોઈયા,…

Read More

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી 4 મહિલાઓ ઝડપાઇ, કમલાબાગ પોલીસે રોકડ રકમ સાથે ગુનો નોંધ્યો

​પોલીસ અધિક્ષકની સૂચના મુજબ દારૂ-જુગારની બદી દૂર કરવા હાથ ધરાયેલી તપાસમાં સર્વેલન્સ સ્ટાફને મળી સફળતા ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ દારૂ અને જુગાર જેવી સામાજિક બદીઓને નાબૂદ કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના પગલે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા…

Read More

ખંભાળિયાની પશુ સેવા સંસ્થા દ્વારા નીલગાયનું રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આજરોજ કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્રે જામનગર માર્ગ પર આવેલા ટોલ ગેઈટ પાસે એક નીલગાય ઇજાગ્રસ્ત હોવાથી સંસ્થાના કાર્યકર દેસુરભાઈ ધમા, હિરેન ગોસ્વામી, ફોરેસ્ટ વિભાગના ગિરીશ ડામોર અને ડો. રાજકુમાર જાદવ તથા પિંડારિયા દ્વારા નીલ ગાયને…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર્ષદ અને નાગેશ્વર યાત્રાધામનો થશે નોંધપાત્ર વિકાસ: રાજ્ય સરકાર દ્વારા 187 કરોડની ફાળવણી: સરવે કામગીરી શરૂ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫         દેવોની ભૂમિ એવી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક પ્રાચીન અને ભવ્ય ધાર્મિક સ્થળો આવેલા છે. ત્યારે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં સ્થિત વિવિધ મંદિરો તેમજ દેવસ્થાનોના વિકાસ માટે સરકાર દ્વારા ખાસ લક્ષ્ય કેળવવામાં આવ્યું છે. જેમાં સૌથી પ્રખ્યાત અને વિખ્યાત એવું દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને બેટનું હનુમાન…

Read More

ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. 1.58 લાખની કિંમતના મોબાઈલ મૂળ માલિકને સોંપાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫      ખંભાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન જુદા જુદા આસામીઓને ગુમ થયેલી ચીજ વસ્તુઓ તેમજ ચોરી થયેલા સામાન, મોબાઈલ ફોનને શોધીને તેના મૂળ માલિકને પરત મળી રહે તે માટે અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ દ્વારા સધન કાર્યવાહી કરવામાં…

Read More