જામનગર જિલ્લામાં જળક્રાંતિનો નવો અધ્યાય: રાવલસર ગામેથી ૨૮ તળાવો ઊંડા ઉતારવાના મહાઅભિયાનનો પ્રારંભ
રોટરી ક્લબ અને જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા ૩૫ કરોડ લીટર જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું લક્ષ્ય, રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે શુભારંભ ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળસંચયના આહ્વાનને ઝીલીને જામનગર જિલ્લામાં જળસ્તર ઊંચા લાવવા માટે એક ભગીરથ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાવલસર ગ્રામ પંચાયત ખાતે આગામી ૫ માર્ચ ૨૦૨૬ના રોજ રોટરી કોમ્યુનિટી…
