Headlines

૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે : પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડ

નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ ૨,૯૦૦ ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરવામાં આવશે અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલ ૩,૧૮૯ ગ્રામ પંચાયત ઘર પૈકી, ૨,૯૩૯ નવીન ગ્રામ પંચાયતના કામો પૂર્ણ જે ગ્રામ પંચાયતો ૧૦૦ ટકા સફાઇવેરાની વસુલાત કરે છે તેમને તેમની વસુલાત જેટલી વધારાની રકમ પ્રોત્સાહક ગ્રાન્ટ સ્વરૂપે ફાળવવાની જોગવાઈ ઇ-ગ્રામ…

Read More

છેવાડાના ગામ સુધી ‘ડિજીટલ ઈંડીયા’ સાકાર : સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકાએ બાળકોને કોમ્પ્યુટર શિક્ષિત બનાવ્યાં

જામનગર સરકારી શાળા અને શિક્ષકોની ગુણવત્તા માટે હંમેશા પ્રશ્નાર્થ કરતા લોકોની આંખ ઉઘાડનારી ઘટના તાજેતરમાં જામનગર જિલ્લામાં બનવા પામી છે.

Read More

ખંભાળિયાના હદપારીના ગુનાના આરોપી પ્રવીણને છરી સાથે દબોચી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫         ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક શખ્સને તાજેતરમાં હદપારીના આદેશથી ત્રણ જિલ્લામાંથી છ માસ સુધી હદપાર કરવાનો હુકમ થયો હતો. આ વચ્ચે આજરોજ હદપારીના ઉપરોક્ત આરોપીને પોલીસે છરી સાથે ઝડપી લઇ, હદપારીના હુકમનો ભંગ કરવા સબબ કાર્યવાહી કરી હતી.         આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો…

Read More

તરુણને નશાની હાલતમાં લાવીને છરીથી મિત્રની હત્યા કરનાર હર્ષ ઝડપાયો : ભાવિ પત્નીને મોજ કરવવા માટે પૈસાની જરુર હોવાથી હત્યા બાદ લૂટ કરી હતી

ખંભાળિયા: પૈસાની લાલચે તરુણની હત્યા નિપજાવનાર આરોપી મિત્રને પોલીસે દબોચી લીધો – તરુણને નશાની હાલતમાં લાવીને છરી વડે નીપજાવી હતી હત્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં રહેતા આશરે 16 વર્ષના એક તરુણની છરી વડે હત્યા નિપજાવી, તેની લાશ ફેંકી દેવાના પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદને અનુલક્ષીને એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી…

Read More

Bavaliyali Katha: દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત કથાનો લાભ લેતાં ભાવિકો બાવળિયાળી, શુક્રવાર તા.૨૧-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ભાગવત કથાનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે, જેમાં આજે કથા પ્રસંગ સાથે દ્વેષથી થયેલ ક્રોધ બગાડશે પણ પ્રેમથી થયેલ ક્રોધ સુધારશે તેમ બોધ મળ્યો. સંત શ્રી નગાલખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ…

Read More

૨૨ માર્ચની વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ સુરેન્દ્રનગર સુધી જશે

શંભુ સિંહ, ભાવનગર રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોક ના લીધે, 22.03.2025 ના રોજ ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ને હવે સુરેન્દ્રનગર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને સુરેન્દ્રનગરથી તેને ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. આમ, 22.03.2025 ના રોજ, 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો ગાંધીનગર…

Read More

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા કાલથી બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા શનિવાર તા. 22 અને તા. 23 ના રોજ બે દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવશે.        તેઓ શનિવારે સવારે 10 વાગ્યે ભાણવડ તાલુકાના આંબરડી ખાતે આયુષ્માન આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યાર બાદ કાટકોલા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું…

Read More

હરિદ્વાર જનારા રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર: રેલવે પ્રશાસને મે મહિનામાં બ્લોકને કારણે રદ કરાયેલી ભાવનગર-હરિદ્વાર ટ્રેનને બદલાયેલા રૂટથી દોડાવવાનો નિર્ણય કર્યો

શંભુ સિંહ, ભાવનગર ઉત્તર પશ્ચિમ રેલવેના બીકાનેર મંડળના મોલીસર અને ચૂરૂ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે મે મહિનામાં ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દોડતી ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, રેલવે પ્રશાસને હવે આ ટ્રેનને રદ…

Read More

ખડસલિયા શાળા કેમ્પસના ઝાડ પર 100 માળા બાંધીને ચકલીઓને રો હાઉસ આપવામાં આવ્યા

સરકારી માધ્યમિક શાળા ખડસલિયામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી . હરેશ જોષી, ખડસલિયાસાથે સાથે પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા..વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન નીચે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાઈ આ દિવસ નિમિત્તે શાળાના પ્રિન્સિપાલ વંદનાબેન ગોસ્વામીએ વિધાર્થીઓને કહ્યું કે તેઓ પ્રકૃતિનું મહત્વ સમજે પક્ષીઓનુ મહત્વ સમજે અને ખાસ કરીને લુપ્ત થવાને આરે પહોચેલી ચકલીઓને બચાવી…

Read More

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળ અધ્યક્ષા દ્વારા નિબંધ, ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત

શંભુ સિંહ, ભાવનગર વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (WRWWO), ભાવનગર ડિવિઝન દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિર તથા PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય ભાવનગરપારાનાં વિદ્યાર્થીઓ વચ્ચે સપ્ટેમ્બર-2024માં ચિત્ર અને લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.20 માર્ચ, 2025 (ગુરુવાર) ના રોજ રેલવે ઓફિસર્સ ક્લબ ભાવનગર પરા ખાતે આયોજિત એક…

Read More