Headlines

ભાણવડમાં શિવ બળદ આશ્રમની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫           ભાણવડ ખાતે છેલ્લા આશરે દોઢ દાયકાથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ ખૂબ પ્રશંસનીય બની રહી છે. ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી લાખાણી પરિવારના સહયોગથી સેવા અર્થે ઉપયોગ માટે પ્રાપ્ત થયેલી જગ્યા પર શિવ બળદ આશ્રમ શરૂ…

Read More

સગીરાના અપહરણના કેસમાં રાજકોટના શખ્સને 7 વર્ષની કેદ ફટકારતી ખંભાળિયા સ્પેશિયલ પોકસો કોર્ટ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          રાજકોટ તાલુકાના સાપર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહીશ જયદીપ કાનાભાઈ ભેડા નામના શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અને તેણીના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી મોટરકાર મારફતે અપહરણ કરીને…

Read More

ગુજરાતમાં વર્ષ-2025 દરમ્યાન 30 IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે : મંત્રી ઋષિકેશ પટેલ

– રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ 313 જેમાં 14 અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)  ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.  31-12-2024ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ સંદર્ભે પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં IAS…

Read More

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા મંડળી સભાસદના પરિવારને રૂ. 5 લાખનો ચેક અપાયો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫       જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ – લાલપુર શાખા હેઠળના રીંજપર સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ પોલાભાઈ મૂળુભાઈ ભાદરકા નામના યુવાનનું તાજેતરમાં અકસ્માતે નિધન થતા અંગત અકસ્માત વીમા યોજના અંતર્ગત બેન્ક તરફથી રૂપિયા પાંચ લાખનો ચેક લાલપુર તાલુકાના ડાયરેક્ટર અશોકભાઈ લાલના હસ્તે મૃતકના વારસદારને અર્પણ કરવામાં આવ્યો હતો.  …

Read More

ખંભાળિયાના પ્લે હાઉસમાં સન્માન સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫      ખંભાળિયામાં આવેલા ફર્સ્ટ સ્ટેપ પ્લે હાઉસ ખાતે તાજેતરમાં નાના ભૂલકાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટી પંકજભાઈ તેમજ હેતલબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિત વાલીઓના સ્નેહ મિલન અને બાળકોના સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બાળકોને મેડલ તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા…

Read More

ખંભાળિયામાં જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે અહીંના જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાની અઘ્યક્ષતામાં યોજાઈ હતી.        આ બેઠકમાં માર્ગ સલામતી અંતર્ગત વિવિધ પરિબળોની ચર્ચા કરીને કરીને અકસ્માતો નિવારવા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નિવાસી…

Read More

ખંભાળિયામાં પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે રવિવારે ધર્મમય કાર્યક્રમોનું આયોજન

– ખંભાળિયાના લોહાણા મિત્ર મંડળ દ્વારા – સેવા સેતુ, નૂતન ધ્વજારોહણ, રક્તદાન કેમ્પ, સમૂહ પ્રસાદ સહિતના આયોજનો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫         સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયા લોહાણા મિત્ર મંડળ દ્વારા રવિવાર તા. 23 ના રોજ અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં…

Read More

કલ્યાણપુરમાં મામલતદાર દ્વારા ગાડામાર્ગમાં ગેરકાયદેસર દબાણ કરનાર વિરુધ્ધ મનાઇ હુકમ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના જુના રે.સર્વે.નં. 123 તથા નવા 43 વાળી ખેતીની જમીનમાં આવવા-જવા માટેનો ગાડામાર્ગ ખીરસરા ગામમાંથી થઈને ઉતર દીશા તરફે ફુલકુ નદી ઉપર પુર્વ-પશ્ચીમ આવેલ બેઠા પુલની દક્ષિણ દીશા તરફ આવેલી સરકારી ખરાબામાંથી થઇને આ ખેતીની જમીનના પશ્ચીમ સેઢા ઉપરથી થઈને આ ખેતીની જમીનમાં અવર-જવર…

Read More

પુરાતત્ત્વવિદો દ્વારા દ્વારકાના દરિયાની અંદર સંશોધન કાર્ય શરૂ કરાયું

– સમુદ્રમાં ગરકાવ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા પ્રયાસો –  કુંજન રાડિયા, ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫       આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાના પાંચ પુરાતત્ત્વવિદોની એક ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જણાવ્યાનુસાર ભારતના સમુદ્રમાં ગરકાવ થયેલ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા મહત્ત્વના મિશનના ભાગરૂપે…

Read More

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારે દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫      મધ્યપ્રદેશના ઉજજૈનના નિવાસી અને હાલમાં કર્ણાટક રાજયના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવ્યું હતું અને શ્રીજીની પાદૂકાનું પૂજન કરી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મીડીયા સાથેની વાતચીતમાં ગેહલોતે જણાવ્યું હતું કે તેઓ અગાઉ બે વખત દ્વારકાધીશના દર્શન કરી ચૂકયા છે અને…

Read More