સોમનાથ સ્વાભિમાન પર્વ – ૨૦૨૬: પોરબંદરના ભાવેશ્વર મંદિરે ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ સાથે ભક્તિની ચેતના પ્રગટી
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર; સમગ્ર ભારતના ગૌરવ અને સ્વાભિમાન સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના ઉપલક્ષમાં પોરબંદર શહેરના ઐતિહાસિક ભાવેશ્વર મંદિર ખાતે શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં ગતરોજથી ૭૨ કલાકના અખંડ ઓમકાર જાપ અને મંત્રોચ્ચારનો…
