મૂકેશ પંડિત,પ્રયાગરાજ મંગળવાર તા.૧૪-૧-૨૦૨૫ ભારતવર્ષનાં ઐતિહાસિક પર્વ મહાકુંભપર્વ પ્રારંભ સાથે ઉત્તરાયણ પર્વ અખાડા અને વિવિધ ખાલસા તથા મહામંડલેશ્વર, સાધુ, મહંત તથા આચાર્યો દ્વારા વહેલી સવારથી ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ ક્ષેત્રમાં સ્નાન થયેલ છે. પ્રયાગરાજમાં સનાતન સંસ્કૃતિનાં વૈશ્વિક સ્વયંભુ મહાકુંભમેળામાં માત્ર ભારત જ નહિ સમગ્ર સંસારમાંથી ભાવિકો, શ્રદ્ધાળુઓ અને ભારતીય સંસ્કૃતિને જાણવા ઈચ્છુકો ભારે મોટી […]
Tag: RELIGION
બેટ દ્વારકા ડિમોલીશન ત્રીજો દિવસ: વધુ 83 જેટલા ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત
કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)
બેટ દ્વારકાના ડિમોલીશન સંદર્ભે વાતાવરણ ડહોળાય તેવી ટ્વિટર પોસ્ટ અંગે પોલીસ દ્વારા ઊંડી તપાસ
ઓવૈસી તથા હર્ષ સંઘવીને ટેગ કરાયા જામ ખંભાળિયા, તા. ૧૩-૦૧-૨૦૨૫ (કુંજન રાડિયા)
પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી કણીરામબાપુનાં સાનિધ્ય સાથે શ્રી રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ
ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ પ્રયાગરાજ સોમવાર તા.૧૩-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) પ્રયાગરાજ મહાકુંભમેળામાં શ્રી કણીરામબાપુનાં સાનિધ્ય સાથે શ્રી રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે. અંહીયાં ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે. અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિક સેવકોને લાભ મળી રહ્યો […]
કેલિફોર્નિયા ખાતે આગમાં મૃત્યુ પામનારાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હરેશ જોષી, મહુવાવૈશ્વિક સ્તરે પર્યાવરણ બગડતું જાય છે. તેનું વરવું ઉદાહરણ એટલે કેલિફોર્નિયા માં ફેલાયેલી ભયાનક આગ. લોસ એન્જેલસ થી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્થાનિક જંગલોમાં અનેક જગ્યાઓ પર ભયાનક આગ લાગી હતી અને હજારો એકર જમીનમાં વ્રુક્ષો અને માનવ જીવનને મોટું નુક્સાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ આગને કારણે હજારો લોકો બેઘર બન્યા છે […]
પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા : 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ ગાંધીનગરદેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પીરોટન ટાપુ […]
સનાતન સંસ્કૃતિનાં દિવ્ય અને વિશ્વનાં ભવ્ય સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં પ્રારંભ
સંગમક્ષેત્રમાં લાખો ભાવિકોએ ડૂબકી લગાવી ધન્યતાનો કર્યો અનુભવ મૂકેશ પંડિત, પ્રયાગરાજ સનાતન સંસ્કૃતિનાં દિવ્ય તથા વિશ્વનાં ભવ્ય એવાં સ્વયંભુ મહાકુંભમેળાનો પ્રયાગરાજમાં વહેલી સવારથી પ્રારંભ છે. સંગમક્ષેત્રમાં લાખો ભાવિકોએ ડૂબકી લગાવી ધન્યતાનો અનુભવ કર્યો છે. ભારતવર્ષનાં સનાતન ધર્મનાં કેન્દ્ર સમાન અખાડા, ખાલસા, આશ્રમો અને સંસ્થાઓનો મહાસંગમ મહાકુંભમેળો ભાવ ભક્તિ અને ઉત્સાહ સાથે દ્વારા યોજાયો છે. સિહોર […]
સંતશ્રી બજરંગદાસબાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે બગદાણા ખાતે તૈયારીઓનો ધમધમાટ
સમગ્ર ગુરુઆશ્રમ પરિસર તેમજ ચારે બાજુઓના માર્ગોને વીજળીથી ઝળહળા કરવામાં આવ્યા હરેશ જોષી, કુંઢેલી આગામી તા. 17 ને શુક્રવારના રોજ બગદાણાના બંડીધારી સદગુરુ સંતશ્રી બજરંગદાસબાપાનો 48મો પુણયતિથી મહોત્સવ ઉજવાશે. ત્યારે બગદાણા ખાતે સંપૂર્ણ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિભાગો જેવા કે રસોડું, ભોજનશાળા,ચા પાણી, દર્શન, પાર્કિંગ સહિતના કામમાં સ્વયંસેવકો દિન રાત સેવા […]
સોમનાથમાં પુણ્યશ્લોકા દેવી અહલયાબાઈ હોલકરની ત્રણસોની જન્મ જયંતી નિમિત્તે યુવા સંમેલન યોજાયું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક ડોક્ટર મોહન ભાગવત દ્વારા વિડીયો સંદેશ રજૂ કરાયો વક્તા નિવૃત્ત સેના અધિકારી કેપ્ટન ડોક્ટર મીરા દવે અને નિવૃત કલેકટર ભાગ્યેશ જહાંના પ્રવચનોએ યુવાનોને પ્રેરણા આપી અહલ્યા બાઈએ આક્રમણ કરનાર માળવાના ધણીને કહી દીધું હતું કે તમે ક્ષિપ્રા નદી પાર કરો તે પહેલા તમારે અમારી મહિલા સેના સામે લડવું પડશે અને તમે […]
