Headlines

યાત્રાધામ હર્ષદ ખાતે ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવલિંગની ચોરી અંગે પોલીસ તપાસનો ધમધમાટ

– ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ.ની લેવાતી મદદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫         આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી એક પ્રાચીન શિવ મંદિરમાં કોઈ તત્વોએ ખોદીને થાળું તથા શિવલિંગની ઉઠાંતરી કર્યાના બનાવના પ્રકરણમાં જિલ્લા પોલીસની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.     …

Read More

આજે શિવરાત્રી અને… યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરાયું

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫                દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના દરિયા કાંઠે આવેલા ઓમ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ગતરાત્રીના સમયે નુકશાન પહોંચાડવા અંગેનું કોઈ અજાણ્યા શખસોનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં કોઈ તત્વો દ્વારા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ખંડિત કરવામાં આવ્યાનું જાણવા મળેલ…

Read More

તસવીર સમાચાર : પ્રયાગરાજ મહાકુંભ શિવલિંગ સ્થાપન

પ્રયાગરાજ મંગળવાર તા.૨૫-૨-૨૦૨૫( તસવીર – મૂકેશ પંડિત ) સનાતન પરંપરા અને આસ્થામાં મહાદેવ શંકર સર્વોચ્ચ સ્થાને રહ્યાં છે. શિવજીનાં મહાત્મ્ય અને સમુદ્ર મંથન તથા અમૃત કુંભની કથા સાથે જોડાયેલ પ્રયાગરાજમાં મહાકુંભમેળાનું શિવરાત્રી પર્વે સમાપન થઈ રહ્યું છે. સંગમ ક્ષેત્રમાં સનાતન સાધુઓ અખાડાઓમાં રહ્યાં અને ઉપાસના સત્સંગ કરતાં રહ્યાં. કોઈ દિગંબર તો કોઈ અન્ય પરિધાન સાથે….

Read More

પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં યોજાશે કાગ વંદનાનો ત્રિવિધ કાર્યક્રમ

હરેશ જોષી, મજાદર મજાદરના માડુ, ભક્ત કવિ દુલા ભાયા કાગની ૪૮મી પૂણ્ય તિથિ- ફાગણ સુદ ચોથના દિવસે, તારીખ ૩- ૩- ૨૦૨૫ના રોજ પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં કાગધામ, મજાદર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.પૂજ્ય બાપુની પ્રેરણાથી, ૨૦૦૨થી કાગબાપુની પુણ્ય તિથિ ઉપર “કાગ એવૉર્ડ” સાથે “કાગ વંદના” નો ઉપક્રમ આરંભાયો. એ રીતે આ ૨૪ મો એવૉર્ડ અર્પણ કાર્યક્રમ છે….

Read More

ખંભાળિયામાં શિવરાત્રી પર્વને અનુલક્ષીને ખામનાથ નજીકનો કેનેડી બ્રિજ ખુલ્લો કરવા શ્રદ્ધાળુઓની માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા શહેરના પાદરમાં આવેલા ખામનાથ બ્રિજ નજીક રજવાડાના સમયનો કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) જર્જરિત બની ગયો હોવાથી તંત્ર દ્વારા આ પુલ પર અવર-જવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આગામી તારીખ 26 ના રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે પુરાણ પ્રસિદ્ધ એવા ખામનાથ મહાદેવ મંદિર નજીકના આ કેનેડી બ્રિજને…

Read More

દ્વારકાધીશ મંદિરે સ્વર્ગ દ્વાર છપ્પન સીડી પર તડકાથી બચવા ઓવરહેડ શેડ – નેટની સુવિધા ઊભી કરવા માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫          યાત્રાધામ દ્વારકામાં છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરે આવતા યાત્રીકોને ધોમધખતા તાપ સામે રક્ષણ મળે તે હેતુ ઓવરહેડ શેડ – નેટ બાંધી છાંયડાની વ્યવસ્થા કરવા ન્યૂ વેપારી મંડળ દ્વારા દેવસ્થાન સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.          આગામી માળથી દ્વારકાધીશ…

Read More

દ્વારકાધીશને તિર્થાત્મક અભિષેક દરમ્યાન મહાકુંભના પવિત્ર જળથી અભિષેક સ્નાન કરાવાય છે…

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫         દ્વારકાના જગતમંદિરમાં દરરોજ સવારે ઠાકોરજીના મંગલા દર્શનના ક્રમ બાદ 8 થી 9 વાગ્યા સુધી બંધ પડદે શ્રીજીને અભિષેક સ્નાન કરાવાય છે. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીજીને જળાભિષેક, દૂગ્ધાભિષેક, મધ, મીસરી, દહીં ઈત્યાદિ દ્રવ્યોથી અભિષેક કરવાની પરંપરા છે. હાલમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ યોજાઈ રહયો છે, જેમાં દેશભરના કરોડો…

Read More

ખંભાળિયામાં પૂ. જલારામ બાપાને રોટલાનો અન્નકૂટ ધરાવાયો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫        પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ ખંભાળિયાના જલારામ મંદિરમાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.         આ સાથે જલારામ બાપાને વિવિધ પ્રકારના ધાન્ય અને અનાજથી બનાવવામાં આવેલા જુદા જુદા 75 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાવાયો હતો. મહિલા સંસ્થા શ્રી લોહાણા મહિલા મિત્ર મંડળના ઉપક્રમે યોજવામાં…

Read More

દ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ: “કૃષ્ણ: નાટ્ય કથા” પ્રસ્તુત કરાઈ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૫        ગુજરાત સરકારના પર્યટન વિભાગ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા પ્રાદેશિક કેન્દ્ર દ્વારા દ્વારકામાં ગઈકાલે રવિવારે વિખ્યાત કલાકાર તેમજ પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી ‘કૃષ્ણ: નાટ્ય કથા’ એક અદ્વિતીય નૃત્ય-નાટ્ય પ્રસ્તુત કરાઇ હતી.        ભગવાન શ્રી…

Read More

સૂફી સંત શંકરડાડાની પુણ્યતિથિ નિમિતે સલાયા અગ્રણી લાલજીભાઈ દ્વારા ડાડાને ચાદર ચડાવાશે

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫           ખંભાળિયા નજીકના કુવાડિવા ગામના પાટીયા પાસે આવેલા અને શ્રધ્ધા તથા આસ્થાના કેન્દ્ર સમાન સૂફી સંત શ્રી શંકરડાડાની પવિત્ર તથા પૌરાણિક જગ્યામાં આગામી મંગળવાર તારીખ 25 ના રોજ પૂ. શંકર ડાડાની 37 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા તાલુકાના સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા દ્વારા તારીખ સાંજે 7…

Read More