જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫ જામ ખંભાળિયા: વાણંદ કિશોરભાઈ મગનલાલ મારુ (ઉ.વ. 75) તે ધનસુખભાઈ અને સ્વ. જીતેન્દ્રભાઈના મોટાભાઈ તથા સાગરભાઈના પિતાશ્રી તેમજ અનિલભાઈ, જતીનભાઈ મિલનભાઈ અને પાર્થભાઈના અદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તારીખ 13 ના રોજ સાંજે સાડા ચાર થી પાંચ અત્રે રામનાથ મંદિરે રાખવામાં આવેલ છે. તેમની ઉત્તરક્રિયા […]
Tag: SOCIAL
ભાવનગરમાં ત્રિવિધ કાર્યક્રમો સાથે સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ
વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સર્વસમાજની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. . ભાવનગર આદિવાસી વિકાસ મહામંડળ, નૅશનલ એસસી. એસટી ડેવલોપમેન્ટ કાઉન્સિલ તેમજ ક્રિષ્ના ગેસ એજન્સી દ્વારા સ્વપ્નશિલ્પ સોસાયટી ખાતે હરેશભાઇ (પપ્પુભાઈ) પરમારના માર્ગદર્શનમાં ‘વિશ્વ મહિલા દિવસ’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં એમ.કે.એસ યુની. ના અંગ્રેજી ભવનના પૂર્વ એચ.ઓ.ડી પૂર્ણિમાબેન મહેતા, રેલ્વેના ડી.સી.એમ નિલાદેવી ઝાલા, લેખક અને મોટીવેશનલ […]
જામનગરની સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫ જામનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતે સ્થિત ઇન્ડીયન રેડક્રોસ સંચાલિત પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર સીવિલ હોસ્પિટલ જામનગરમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે. ત્યારે ગરીબ અને મધ્યમ […]
રક્ષા શુક્લ લિખિત ‘કાર્યેષુ મંત્રી’ પુસ્તકનું વિમોચન
હરેશ જોષી, કોલેબ તાજેતરમાં કોલેબ ખાતે જાણીતા લેખિકા રક્ષા શુક્લ લિખિત વિશ્વની નારીઓની ગૌરવગાથાઓને આલેખતું પુસ્તક ‘કાર્યેષુ મંત્રી…’નો વિમોચન સમારોહ યોજાઈ ગયો. સુખ્યાત એન્કર ફિટનેસકોચ સપના વ્યાસે પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું કે ‘રક્ષાબહેનના પુસ્તકમાં શૂન્યમાંથી શિખર સુધી પહોંચેલી નારીનોનો સંઘર્ષ બખૂબી આલેખાયો છે, દરેક મહિલાએ આ પુસ્તક વાંચવું રહ્યું’નવભારત સાહિત્ય મંદિરના દર્શના કૃણાલ શાહ અને […]
ખંભાળિયા નજીક જિલ્લા પોલીસના સુવિધારૂપ પદયાત્રી કેમ્પનો લાભ લેતા હજારો પદયાત્રીઓ
– ભોજન, વિશ્રામ સાથે આરોગ્ય, તબીબી ચકાસણી સહિતની વિવિધ સેવાઓ – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં પદયાત્રીઓની અવર-જવર ધરાવતા ખંભાળિયા નજીકના હાઈવે પર જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુવિધાઓ સાથેના પદયાત્રી કેમ્પનો લાભ દરરોજ હજારો કૃષ્ણ ભક્તો લ્યે છે. ત્યારે વિશાળ અને […]
મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ – રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે
– કુંજન રાડિયા, મુંબઈ મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13 મી થી 16 મી માર્ચ સુધી આઈકોનિક દુબઈ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે. ધનરાજભાઈ નથવાણી દ્વારા સંકલ્પના કરાયેલી અને […]
કેનેડામાં જગદીશ ત્રિવેદીના રામદરબાર દ્રારા કેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાને 12.50 લાખનું દાન
કેનેડાનાં આલ્બર્ટા રાજ્યનાં એડમન્ટન શહેરમાં ગરવી ગુજરાત એશોશિએશન અનેઅપના મિલવુડ સિનિયર્સ એશોશિએશનના સંયુકત ઉપક્રમેકેન્સર સોસાયટી ઓફ આલ્બર્ટાના લાભાર્થે જગદીશ ત્રિવેદીનો “ રામ દરબાર “યોજાયો હતો.ઈન્ડીયા કાઉન્સિલ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૩૫૦ લોકોએ સાંજના 7 થી 10 રામાયણના પ્રેરણાદાયી પ્રસંગોની સંગીતમય પ્રસ્તુતિ માણી હતી. ભારતમાં રામદરબારનાં સાત જેટલાં સફળ કાર્યક્રમો બાદ નોર્થ અમેરિકામાં આ […]
તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે દાતાઓના સન્માન સમારંભ સાથે આનંદપર્વ યોજાયું
ગામના વતની દાતા પરિવાર દ્વારા જન્મભૂમિમાં થયેલાં સદકાર્યને સીતારામબાપુએ આવકારી આશીર્વચન પાઠવ્યાં હરેશ જોષી, ઘાટરવાળા તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે લોક ઉપયોગી સંખ્યાબંધ કામો કરનાર વતન પ્રેમી દાતા શાહ પરિવારના સન્માન સમારંભ સાથે આનંદ પર્વ ઉજવવામાં આવ્યું હતું. ગામજનો પ્રેરિત આ કાર્યક્રમમાં આખું ગામ જોડાયું હતું. સૌએ ગામ ધુમાડા બંધ રાખી સાથે ભોજન લીધું હતું.ઘાટરવાળાના […]
કલ્યાણપુરના હાબરડી ગામે અપરણિત યુવાનની ઘાતકી હત્યા: સગા ભાઇની ધરપકડ
– નાનાભાઈ સાથે થતી તકરારથી કંટાળીને મોટાભાઈએ ઢીમ ઢાળી દીધું… – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા 40 વર્ષના એક આહિર યુવાનનું શુક્રવારે મોડી રાત્રીના સમયે કોઈ શખ્સોએ ગળું દબાવીને હત્યા નિપજાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી અને આરોપી […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફુલડોલ ઉત્સવને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ
– પદયાત્રી કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ, જિલ્લા કલેકટર અને એસ.પી. – જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૫ કાળિયા ઠાકોર સંગ હોળી રમવા ભક્તોમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી તા. 14 માર્ચના રોજ કૃષ્ણ નગરી દ્વારકા ખાતે ભવ્ય રીતે ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવશે. ફુલડોલ ઉત્સવમાં સહભાગી થવા દૂર દૂરથી હજારોની […]
