Headlines

નવા રતનપર સીટ પર 71.57% મતદાન: કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર અને છાવણીઓમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

જૂના રતનપર 75% સાથે સૌથી મોખરે, રામપર 73.83%, નવા રતનપર 70.41% અને સુરકામાં 69% મતદાન નોંધાયું ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે નવા રતનપર તાલુકા પંચાયત સીટ પર આજે લોકશાહીનો પર્વ ઉજવાયો હતો. સવારના સાત વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આ બેઠક પર મુખ્યત્વે ભારતીય…

Read More

ચૂંટણીના દિને ખંભાળિયાના કેશોદ ગામના રાજ કીય આગેવાન લખમણભાઈ ડેરનું અવસાન

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના આહિર અગ્રણી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને વડત્રા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી રંજનબેન કશ્યપભાઈ ડેરના સસરા અને અગ્રણી કશ્યપભાઈ આહીરના પિતાશ્રી લખમણભાઈ કાળુભાઈ ડેર (ઉવ. 84) નું આજરોજ સવારે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. તેમના આ નિધનથી નાના એવા કેશોદ ગામ સાથે આહીર સમાજમાં ઘેરા શોકની…

Read More

સંત શ્રી બુબૂડાનાથનું ચૂંટણી જ્ઞાન: જો સાથ મેં નહીં હૈ વો સામને હૈ [[પહેલી ધારની વાત – નારન બારૈયા]]

પહેલી ધારની વાત – નારન બારૈયા ​ચૂંટણીનો માહોલ જામ્યો હોય અને એમાંય જો વાત ભાવનગર જિલ્લાની હોય, તો પછી પૂછવું જ શું? ભાવનગર એટલે ગઠિયા, ગાંઠિયા અને હવે તો ‘પક્ષ-પલટા’નો પણ અડ્ડો! અહીં પવનની દિશા બદલાય કે ન બદલાય, પણ નેતાઓના ખેસના રંગ જરૂર બદલાઈ જાય છે. આ ગરમાગરમ માહોલમાં મને એક પ્રશ્ન થયો કે…

Read More

વાપીમાં સૌથી વધુ 65.68% અને ગાંધીધામમાં સૌથી ઓ છું 39.33% મતદાન: ગુજરાતની 15 મહાનગરપાલિકાઓનું સરે રાશ ચિત્ર

રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ઉત્સાહપૂર્ણ મતદાન, અનેક શહેરોમાં આંકડો 50% ને પાર ધ ગ્રેટ વર્લ્ડ ગાંધીનગર ​ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત આજે 15 મહાનગરપાલિકાઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દક્ષિણ ગુજરાતના વાપીમાં મતદારોનો સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં 65.68% જેટલું જંગી મતદાન…

Read More

વીજશોક લાગતા ખંભાળિયાના યુવાનનું અપમૃત્ યુ

જામ ખંભાળિયા, તા. ૨૬ ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહીશ એવા બાબુભાઈ કાનાભાઈ ચૌહાણ નામના 43 વર્ષના યુવાન શનિવારે ખંભાળિયા – સલાયા માર્ગ પર આવેલા સોડસલા ગામે એક આસામીના ઘરની છત ઉપર અન્ય શ્રમિકો સાથે મજૂરી કામ કરી રહ્યા હતા. ત્યારે તેમના હાથમાં રહેલી એલ્યુમિનિયમની પટ્ટી મકાનની અગાસી ઉપરથી…

Read More

​પોરબંદર: ચૂંટણી ટાણે સુરક્ષા વ્યવસ્થાને લઈ એસપી ભગીરથસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન

​‘નિર્ભય થઈને મતદાન કરો, પોલીસ તમારી સુરક્ષા માટે સજ્જ છે’: કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થા અને પોલીસની સજ્જતા અંગે મહત્વની વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન…

Read More

​“કુપાત્રને દાન અને અયોગ્યને મતદાન ક્યારેય ન કરાય”: પોરબંદરના જાણીતા એડવોકેટ ભરત લાખાણીનો મતદારોને માર્મિક અનુરોધ

​લોકશાહીના પર્વે જ્ઞાતિ-જાતિના વાડાઓથી ઉપર ઉઠી પોરબંદરના ઉજ્જવળ ભવિષ્ય માટે 100% મતદાન કરવા પ્રબળ અપીલ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણીએ આગામી ચૂંટણીના પર્વે પોરબંદરના હિતમાં અને જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી મતદારોને એક વિશેષ અપીલ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો સંદેશ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, મતદાન એ આપણી પવિત્ર ફરજ…

Read More

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ તંત્ર સજ્જ: ચુસ્ત બંદોબસ્ત અને કડક કાર્યવાહીનો એક્શન પ્લાન જાહેર

​મહાનગરપાલિકા અને પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન માટે 34 અતિસંવેદનશીલ બુથો પર વિશેષ નજર, હજારો વાહનોનું ચેકિંગ અને અસામાજિક તત્વો સામે પાસા-તડીપારના પગલાં ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર: ​પોરબંદર જિલ્લામાં આગામી ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનારી મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકાની પેટા ચૂંટણીને અનુલક્ષીને પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાનો વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણી…

Read More

તળાજાની શાળાનો નવતર પ્રયોગ: મોબાઈલનું વળગણ છોડાવવા શરૂ કર્યું ‘વાંચન અભિયાન’

​“પુસ્તક વાંચો અને 5 રૂપિયા કમાઓ” યોજના દ્વારા વિદ્યાર્થીઓને પુસ્તકો તરફ વાળવા એમ.કે. ટેકનો સાયન્સ સ્કૂલની અનોખી પહેલ હરેશ જોશી, તળાજા ​આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ મોબાઈલના માયાવી જગતમાં ખોવાયેલા રહે છે, ત્યારે ભાવનગર જિલ્લાના તળાજામાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી કદમ ઉઠાવવામાં આવ્યું છે. તળાજા ખાતે આવેલી એમ.કે. ટેકનો સાયન્સ…

Read More

ઉનાળાની રજાઓમાં IRCTCની ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ શરૂ થશે – આધ્યાત્મિકતા સાથે સુવિધાસભ ર પ્રવાસનો અનોખો અવસર –

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬ ભારતીય રેલ્વે તથા ભારતીય રેલ્વે કેટરીંગ તથા ટુરીઝમ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અભિયાન અંતર્ગત ઉનાળાની રજાઓમાં યાત્રિકો માટે વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’ મારફતે રજૂ થયેલી ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’ આધ્યાત્મિકતા, સુવિધા અને આરામનો અનોખો સંયોગ સાબિત થશે. આ…

Read More