Saturday June 21, 2025

પોલીસને જાણ કર્યા વગર પરપ્રાંતિય મજૂરોને રાખવા બદલ કાટેલાના ખેડૂતની ધરપકડ

પોરબંદર
કાયદા અનુસાર પોલીસને ખબર વગર કોઈ ખેડૂત પોતાના ખેતરમાં પર પ્રાંતિય મજૂરોને મજૂરી માટે રાખી શકે નહીં. આ કાયદા અનુસાર પોરબંદર જિલ્લામાં એક ખેડૂતની ધરપકડ થઈ છે.
પોલીસને જાણ કર્યા વગર અશોક નભૅશંકર થાનકી (ઉ.વ.૪૫ ધંધો,ખેતી રહે.કાંટેલાગામ ચાર રસ્તા વાડીવિસ્તાર તા.જી.પોરબંદર)એ પોતાના ખેતરમાં ખેતી કામ માટે પરપ્રાંતીય મજૂરોને બહારથી બોલાવી મજૂરી કામ માટે રાખી ગુનો કરવા બદલ પોરબંદર પોલીસે તેમની ધરપકડ કરી હતી. એ.એસ.આઇ એએસ અગ્રાવતે તેમની સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવતા મિયાણી મરીન પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top