Sunday June 22, 2025

ગુજરાતમાં ત્રણ વર્ષમાં “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત૧.૧૬ લાખ કરતાં વધુ કારીગરોને સાધન સહાય અપાઈ

ભરતકામ, બ્યૂટી પાર્લર, પ્લમ્બર જેવા ૧૦ ટ્રેડના કારીગરોને ટૂલકીટ માટે ઈ-વાઉચર અપાયા રાજ્યના ઉદ્યમી અને મહેનતું કારીગરો આર્થિક રીતે વધુ પગભર થઈને પોતાનું અને પરિવારનું જીવન ઉજળું બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા “માનવ કલ્યાણ યોજના” થકી તેમને ઓજારો-સાધનો આપવામાં આવે છે. જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેવા વ્યક્તિઓ-કારીગરોને આ […]

પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનના સભ્યોની મુલાકાતે કાંધલ જાડેજા

રાણાવાવ-કુતિયાણાના ચુંટણીના પરીણામો પછી મિત્રોને મળવા પહોંચેલા ધારાસભ્ય કાંધલ જાડેજા પોરબંદરસમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયેલા અને ભાજપની તમામ ૨ણનીતીઓ ખોટી પાડીને અને સમગ્ર ગુજરાતમાં ભાજપનો દબદબો ૨હેલો હોય ત્યારે માત્ર રાણાવાવ અને કુતિયાણામાં કાંધલ જાડેજાનું પ્રભુત્વ રહેલ છે. અને ભાજપ ના વિજય ૨થને પોતાની આગવી સુઝ, આવડત અને રાજકીય ચોકઠા ગોઠવવાની કાબેલીયત ના જોરે […]

બેટ દ્વારકા વિસ્તારમાં ગુમ થયેલા ચાર મોબાઈલ પોલીસ દ્વારા શોધીને અપાયા

– આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો –  જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫          દ્વારકા પંથકમાં રહેતા લોકો તેમજ આવતા જતા યાત્રાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ખાસ અભિગમ દાખવવામાં આવ્યો છે. જે અંતર્ગત બેટ દ્વારકા વિસ્તારમાં આવતા દર્શનાર્થીઓ વિગેરેના કોઈ કારણોસર ગુમ થયેલા કે ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન […]

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે મેગા નેત્રયજ્ઞ અને દંતયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫         ખંભાળિયા નજીકના જામનગર હાઈવે માર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તારીખ 23 મી ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા દંતયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.        જાણીતા દાતા અરવિંદભાઈ શાહ […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 20 ફેબ્રુઆરીથી બિનચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવાર તા. 20 થી 31 માર્ચ સુધી બિન ચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવમાં 30 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો જિલ્લાની કોઈપણ આરોગ્ય સંસ્થાઓમાં બિન ચેપી રોગો જેવા કે ડાયાબીટીસ,બ્લક પ્રેશર, મોઢાના કેન્સર, મહિલાઓ […]

ભીલાડની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી વિશ્વ માતૃભાષા મહોત્સવ-2025 ઉજવાયો

ભીલાડ, તા.૧૮/૦૨/૨૦૨૫માતૃભાષા મનુષ્યની અભિવ્યક્તિનું સર્વોત્તમ માધ્યમ છે. તે આંતર ચેતના સાથે જોડાયેલી હોય છે. તે માતૃભૂમિના વાતાવરણમાં જ, બાળપણમાં વિકસે છે અને જીવન સાથે તેનું જોડાણ કાયમી હોય છે. માતૃભાષા ન આવડતા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે, એટલે વિશ્વ માતૃભાષા। દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. કોલેજના વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષાનું મહત્ત્વ સમજે, પોતાનો માનસિક, સાંસ્કૃતિક સાહિત્યિક […]

રાજકોટના લેખક એસ. બી. ગોહિલના પુસ્તક “એક પોલીસ અમલદારના અનુભવો”ને સાહિત્ય અકાદમીના આત્મકથા વિભાગનું પ્રથમ ઇનામ

રાજકોટ, તા.19ગુજરાતભરમાં પોતાની એક ઉજ્જવળ અને યશસ્વી પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયેલા એસીપી એસ બી ગોહિલ દ્વારા લિખિત “એક પોલીસ અમલદારના અનુભવો” પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો રેખાચિત્ર-પત્ર-આત્મકથાજીવનચરિત્ર વિભાગનો પ્રથમ એવોર્ડ જાહેર થયો છે.ઉલ્લેખનીય છે કે પોતાની સુદીર્ઘ પોલીસ કારકિર્દી બાદ નિવૃત્ત થયા પછી લેખક બનેલા સહદેવસિંહ ગોહિલે પોતાના પોલીસ અધિકારી તરીકેના પ્રથમ દિવસથી લઈને અંતિમ […]

ખંભાળિયાના કરમુર પરિવારના આંગણે લગ્નનો રૂડો અવસર :: ચિ. જયવી * ચિ. દિવ્યેશ :: :: ચિ. જયદિપ * ચિ. આરવી ::

જામ ખંભાળિયા ખંભાળિયાના આહિર અગ્રણી અને ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી કાનાભાઈ હેભાભાઈ કરમુર (મુરલીધર એસ્ટેટ એન્ડ બિલ્ડર) તથા અ.સૌ. મોતીબેન કાનાભાઈ કરમુરની સુપુત્રી ચિ. જયવીના શુભ લગ્ન ખંભાળિયાના અ.સૌ. જશુબેન તથા શ્રી સાજણભાઈ મસરીભાઈ બેલાના પુત્ર ચિ. દિવ્યેશ સાથે ગુરુવાર તારીખ 20-02-2025 ના શુભ દિને યોજાયા છે.        અ.સૌ. મોતીબેન તથા શ્રી […]

ખંભાળિયામાં સુફી સંત પૂજ્ય શંકર ડાડાની પુણ્યતિથિની થશે ભાવભરી ઉજવણી

– મંગળવારે રક્તદાન કેમ્પ, ભજન સંતવાણી સહિતના કાર્યક્રમો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫        જાણીતા સૂફી સંત પૂજ્ય શંકર ડાડાની 37 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેકવિધ ધર્મમય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.         આ અંતર્ગત આગામી મંગળવાર તારીખ 25 મી ના રોજ અત્રે […]

રાજકોટ ડિવિઝનમાં બ્લોકને કારણે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન 2 માર્ચ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચે ચાલશે

ભાવનગર રાજકોટ ડિવિઝનના રાજકોટ-હાપા સેક્શનમાં આવેલા પડધરી-ચણોલ-હડમતિયામાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 20 ફેબ્રુઆરીથી 4 માર્ચ, 2025 સુધી આ સેક્શનમાં રેલ ટ્રાફિકને અસર થશે.ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 19.02.2025 થી 02.03.2025 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન […]

Back to Top