અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ લખી ગુજરાતીમાં વાર્તા, આ રીતે રાજયની સૌ પ્રથમ બુક પ્રકાશિત કરી ભાવનગરની જ્ઞાનમંજરી શાળાએ
વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૪ ભાવનગરની શ્રી જ્ઞાનમંજરી શાળામાં અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞાન અને અન્ય વિષયોની જેમ ભાષાને પણ ખૂબ જ મહત્વ અપાય છે. ધોરણ – ૧૦માં ‘વાર્તાલેખન’ નામનો મુદ્દો તેઓના અભ્યાસક્રમમાં છે. વર્ગમાં આ મુદ્દો ભણાવતી વખતે (પરીક્ષામાં પૂછાય એ રીતે) મુખ્ય નિયમો અને ઉદાહરણ સ્વરૂપે વાર્તાઓ કરાવ્યા પછી આધુનિક વાર્તાલેખન વિધાર્થી પાસે કરાવવાનું વિચાર્યું. આ…
