Friday June 20, 2025

નવા રતનપરમાં દારૂના ધંધાર્થીએ બીજાની જમીન પોતાના નામે કરવા તલાટી મંત્રીને આપી ખૂનની ધમકી

પોતાના બે પુત્રો સાથે પંચાયત ઓફિસે ઘસી આવેલા પ્રવીણ ઘેલા સામે ફરજમાં રૂકાવટ સહિતના મામલે પોલીસ ફરિયાદ જાહેર કરતા તલાટી મંત્રી દલસુખ જાની ભાવનગર ભાવનગર તાલુકાના નવારતનપર ગામે વર્ષોથી દારૂના ધંધા માટે જાણીતા એવા પ્રવીણ ઘેલા વાઘેલા અને તેના બે પુત્રો તથા સાગરિતોએ નવારતનપર ગામની પંચાયત કચેરીમાં પ્રવેશ કરી, ગામના જીવા રણછોડનો પ્લોટ પોતાના નામે […]

ખંભાળિયામાં સામાજિક દૂષણ ફેલાવતા માથાભારે શખ્સને કરાયો તડીપાર

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫        રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તાજેતરમાં સમાજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તેમજ લુખ્ખાગીરી કરતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી અને પાસા કે તડીપાર જેવી દરખાસ્ત તૈયાર કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચનાને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રશાસન દ્વારા આ […]

પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ, 123 ગુજરાતના

– રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી –  જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫      (કુંજન રાડિયા દ્વારા) આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને […]

ખંભાળિયા શહેરમાં વિવિધ વિકાસ કાર્યો માટેનું કરાયું નક્કર આયોજન

– શહેરમાં રોડ, રસ્તા, પ્રાર્થના હોલ સહિતના કામો હાથ ધરાશે –  જામ ખંભાળિયા, તા. ૧૮-૦૩-૨૦૨૫           ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી દ્વારા ચીફ ઓફિસર તેમજ પાલિકાના ઇજનેર સહિતની ટીમ સાથે સંકલન કરીને શહેરમાં અનેક વિકાસ કાર્યોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.         ખંભાળિયા શહેરના મોટાભાગના મહત્વના રસ્તાઓ હાલ […]

ફૂલડોલ ઉત્સવને “ઝીરો વેસ્ટ” બનાવવાના દ્વારકા જિલ્લા પ્રશાસન સક્રિય

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫      યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાનશ્રી દ્વારકાધીશ સંગ હોળી મનાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે રસ્તામાં સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ, જિલ્લા પોલીસ સહિતના દ્વારા વિવિધ સેવા કૅમ્પો ઉભા કરવામાં આવ્યા હતા.       પદયાત્રીઓને […]

ખંભાળિયા નગરપાલિકાની આજે સામાન્ય સભા: બજેટ, વિકાસ કાર્યો, કરવેરા સહિતના મુદ્દાઓ એજન્ડામાં

– –  જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૫       ખંભાળિયા નગરપાલિકાની આગામી જનરલ બોર્ડની બેઠક આવતીકાલે ગુરુવાર તા. 13 ના રોજ સવારે 11 વાગ્યે નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે.      આ બેઠકમાં આગામી વર્ષ 2025-26નું બજેટ મંજૂર કરવા, પાલિકાના બાકી વીજ બિલની રકમ ચૂકવવા, નગરપાલિકાના વિવિધ […]

દ્વારકા: ફુલડોલ ઉત્સવ મનાવવા આવતાં લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૫          યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી – ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો છે. ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો […]

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયો તોફાની રહેવાની શક્યતા: માછીમારોને સાવચેત કરાયા

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫          હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 4 થી તા. 8 માર્ચ સુધી દરિયામાં પવનની ઝડપ 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની તેમજ આ ઝડપ વધીને 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે જેના કારણે દરિયો એકદમ તોફાની બની રહેશે તેવી શક્યતાને ધ્યાને લઈ, અને […]

દ્વારકા જિલ્લામાં ધાર્મિક દબાણ અંગે તંત્ર સમક્ષ જરૂરી અરજી પણ થઈ શકે છે: પ્રાંત અધિકારી

– ડિમોલિશનની વહેતી અફવાઓ અંગે પ્રાંત અધિકારીની સ્પષ્ટતા –  જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં તાજેતરમાં સ્થાનિક મામલતદાર દ્વારા ધાર્મિક સ્થળોની યાદી બહાર પાડીને આની સામે કાર્યવાહી કરવા અંગેની નોટિસ જાહેર કરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.          આ મુદ્દે સમગ્ર જિલ્લામાં ભારે ઉહાપોહ […]

હોળી-ધુળેટીના તહેવારોને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકામાં વિવિધ પ્રકારના પ્રતિબંધ અંગેના જાહેરનામા અમલી

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫         આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે, આ પદયાત્રીઓ દિવસ રાત્રિ દરમિયાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા, ગેર વ્યવસ્થા અટકાવવા તથા સલામતીને ધ્યાને […]

Back to Top