Headlines

ગણેશ શાળા ટીમાણામાં ભવ્ય વાર્ષિકઉત્સવ યોજાયો

બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા Haresh Joshi, Timana ગણેશ શાળા ટીમાણામાં ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાના બાળકોએ અભિનય ગીતો, નાટકો, યોગાસન, પિરામિડ વગેરે કૃતિઓ રજૂ કરી હતી. કૃતિઓમાં દેશભક્તિ,ધાર્મિક,કુંભ મેળો,મોબાઈલની આડઅસરો જેવા ભાવો રજૂ થયા.વિવિધ પરીક્ષાઓમાં પોતાની પ્રતિભા સમકાવતા વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો…

Read More

ભાવનગર શહેર ભાજપે પહેલગામ ખાતેના ક્રૂર અને અમાનવીય આતંકી હુમલાની નિંદા કરી

હરેશ પરમાર, ભાવનગર તા. ૨૨-૦૪-૨૦૨૫ ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓ પર હુમલો કરેલ. આ હુમલામાં ચોવીસ કરતા વધુ નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓનો ભોગ લેવાયો છે, ત્યારે ભાવનગર શહેર ભાજપે મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને આવા ક્રૂર અને અમાનવીય કૃત્યને વખોડી કાઢ્યું હતું, તેમજ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા કોઈપણ…

Read More

ડિવિઝનલ રેલવે મેનેજરે ભાવનગર રેલવે ડિવિઝનના 9 કર્મચારીઓને “ડીઆરએમ સંરક્ષા પુરસ્કાર”થી કર્યા સન્માનિત

શંભુ સિંહ, ભાવનગર વેસ્ટર્ન રેલવે ભાવનગર ડીવીઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારે ભાવનગર ડીવીઝનના 9 કર્મચારીઓને “ડીઆરએમ સેફટી એવોર્ડ”થી સન્માનિત કર્યા. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ પુરસ્કાર 24 એપ્રિલ, 2025 (ગુરુવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ – ભાવનગર પરા ખાતે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી હિમાઁશુ…

Read More

કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે સહાય

હરેશ જોષી, મહુવા જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે. છેલ્લાં બે દિવસ દરમિયાન કાશ્મીર સહિત…

Read More

બિહારને મળશે અમૃત ભારત એક્સપ્રેસ અને નમો ભારત રેપિડ રેલની સૌગાત

વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારતનું સંગમ બનશે બિહાર Shambhu Singh, Bhavnagar પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત રેપિડ રેલને આધુનિક ભારતીય રેલ્વેની ત્રિવેણી ગણાવી છે. આ ત્રિવેણીની બે નવી ટ્રેનોનું સંચાલન બિહારથી થવાનું છે. બિહારમાં પહેલેથી જ ઘણી વંદે ભારત એક્સપ્રેસ કાર્યરત કરવામાં આવી છે, જ્યારે એક અમૃત ભારતીય…

Read More

ધરતીનાં સ્વર્ગ પર સત્ય, પ્રેમ અને કરુણાનાં સંદેશા સાથે સનાતન સંસ્કૃતિ રામકથાનું ગાન કરતાં શ્રી મોરારિબાપુ

શ્રીનગરમાં ‘માનસ શ્રીનગર ‘ પ્રારંભ પ્રસંગે ઉપરાજ્યપાલ શ્રી મનોજસિંહની ઉપસ્થિતિ શ્રીનગર શનિવાર તા.૧૯-૪-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) સત્ય, પ્રેમ અને કરુણાનાં સંદેશા સાથે ધરતીનાં સ્વર્ગ શ્રીનગરમાં શ્રી મોરારિબાપુએ સનાતન સંસ્કૃતિ રામકથાનું ગાન પ્રારંભ કરેલ છે. રામકથા ‘માનસ શ્રીનગર’ પ્રારંભ પ્રસંગે પ્રસંગે ઉપરાજ્યપાલ શ્રી મનોજસિંહાની ઉપસ્થિતિ રહી. ધરતીનાં સ્વર્ગ શ્રીનગરમાં દાલ સરોવર કિનારે રામકથા ‘માનસ શ્રીનગર’…

Read More

લોકભારતી સણોસરાની કેળવણીનું ફળ, વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં મળી નોકરી

લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી મળી તક લોકભારતીના ત્રણ એક્કા સણોસરા, શનિવાર તા.૧૯-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરી રહેલ ત્રણ વિધાર્થીઓને પશ્ચિમ આફ્રિકામાં સામેથી તક મળી છે. લોકભારતીની કેળવણીનું ફળ એ છે કે, આ વિધાર્થીઓને પરીક્ષા પરિણામ પહેલાં વિદેશમાં નોકરી મળી ગઈ છે. ગોહિલવાડની ગૌરવરૂપ સંસ્થા…

Read More

લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ સમ્પન્ન

મૂકેશ પંડિત, સણોસરા લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષ પદે યોજાયો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવે, લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ટ્રસ્ટી શ્રી રામચંદ્રભાઇ પંચોળી, નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ સહિતના વિવિધ વિભાગના વિભાગીય હોદ્દેદારો હાજર રહ્યા હતા.આચાર્યશ્રી જગદીગિરિ ગોસાઈએ કાર્યક્રમની આવકાર ભૂમિકા રજૂ કરી…

Read More

નવારતનપરની છાત્રાનો સ્માર્ટ ફોન દ્વારકામાં ગૂમ થતા “ધ ગ્રેટ વર્લ્ડ “ના પ્રયત્નોથી પરત મળ્યો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫         ભાવનગર તાલુકાના નવા રતનપરથી દેવભૂમિ દ્વારકાની યાત્રાએ આવેલ થોડા દિવસ પૂર્વે આવેલી એક વિદ્યાર્થિનીનો મોબાઈલ માર્ગમાં પડી ગયો હતો જેની લાંબી શોધખોળના અંતે પણ આ ફોન ન મળતા આખરે તેણીએ ડિઝિટલ પ્લેટફોર્મ “ધ ગ્રેટ વર્ડ”ની સંપર્ક કર્યો હતો.          દ્વારકા – ગોપી…

Read More

ભાવનગરમાં આજે આંબેડકર જયંતિ સંદર્ભે ભાજપનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન

હરેશ પરમાર, ભાવનગર ગુજરાત પ્રદેશ ભાજપ ની સૂચના મુજબ “ભારત રત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી સન્માન અભિયાન અંતર્ગત ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા “પ્રબુદ્ધ નાગરિક સંમેલન” નું આયોજન આજે કરવામાં આવેલ છે. જેના મુખ્ય વક્તા સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રશેખરભાઇ દવે અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના…

Read More