Headlines

શ્રી જલારામ મંદિર આનંદનગર ખાતે પૂ.જલારામ બાપા ના ગુરુ ભોજલરામ બાપા ની જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ

ભજન ભોજન, મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ સહિત ના કાર્યક્રમ યોજાયા જલારામ મંદિર આનંદનગર ખાતે ભક્તશ્રી જલારામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય જલારામ બાપાના ગુરુ શ્રી ભોજલરામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે ધાર્મિક તથા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પવિત્ર અવસર પર યોજાનાર કાર્યક્રમ માં શ્રી જલારામ મંદિર, આનંદનગર, ભાવનગર ખાતે ધૂન ભજન ભોજન પ્રસાદ યોજાયેલ…

Read More

​દેશની વિવિધ દુર્ઘટનાઓના 45 મૃતકોના પરિવારો માટે મોરારિબાપુ દ્વારા સંવેદના સહાયની જાહેરાત

​તલગાજરડા ચિત્રકુટધામ ટ્રસ્ટ દ્વારા પીડિતોને કુલ 6,75,000 રૂપિયાની આર્થિક મદદ અપાશે ​ધ ગ્રેટ વર્લ્ડ મહુવા, રવિવાર: રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાં બનેલી દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ પ્રત્યે મોરારિબાપુએ ઊંડી શ્રધ્ધાંજલિ અર્પી છે. રામકથાના માધ્યમથી માનવીય સંવેદનાનો સંદેશ આપનારા મોરારિબાપુએ આ કપરા સમયમાં પીડિત પરિવારોની વહારે આવતા આર્થિક સહાયની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં બનેલા…

Read More

ભાવનગરમાં વિશ્વ થેલેસેમિયા દિવસની પ્રેરણાદાયી ઉજવણી: બાળ દર્દીઓને શૈક્ષણિક કિટનું વિતરણલગ્ન પૂર્વે થેલેસેમિયા પરીક્ષણ કરાવવા વાલીઓને માર્ગદર્શન અને સ્વ. કૃષ્ણાની યાદમાં સેવાકીય કાર્ય

​ડો. યશ દવે, ભાવનગર​ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 મેના રોજ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમિયા બીમારી સામે લડતા બાળકોના જીવનમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો અને સમાજમાં આ ગંભીર રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે હોસ્પિટલમાં…

Read More

નીચા કોટડા સદગુરૂ વિદ્યામંદિરનું ઝળહળતુ ં પરિણામ: ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% સફળતા

સંચાલક મનુભાઈ પી. ચાવડા અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સુરતની શ્રી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત નીચાકોટડા સ્થિત શ્રી સદગુરૂ વિદ્યામંદિરે ભવ્ય સફળતા મેળવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા…

Read More

કઈ રીતે આવી? કોણ લાવ્યું એને? : ભાવનગર એસ.ઓ.જી.ની સતર્કતાથી ચિત્રા વિસ્તારમાંથી ૫ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, કાયદેસરની તપાસ તેજ

​ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલી મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવ્યા; પોલીસ દ્વારા ઊંડી તપાસનો ધમધમાટ ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ૦૯ મે, ૨૦૨૬ ​ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે, ત્યારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. એસ.ઓ.જી.ની…

Read More

ભાવનગર એસ.ઓ.જી.ની સતર્કતાથી ચિત્રા વિસ્તા રમાંથી ૫ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ, કાયદેસરની તપાસ તેજ

​ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલી મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવ્યા; પોલીસ દ્વારા ઊંડી તપાસનો ધમધમાટ. ​હર્ષ રાવલ, ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે, ત્યારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને એક મોટી સફળતા સાંપડી છે. એસ.ઓ.જી.ની ટીમે…

Read More

ઘોઘા-અવાણીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત: બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ

​ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા અને પોલીસે તપાસ શરૂ કરી​ભાવનગરના ઘોઘા નજીક અવાણીયા પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. 8 મે 2026ના રોજ શુક્રવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે ઘોઘા-અવાણીયા રોડ પર એક ઇકો કાર અને ટુ-વ્હીલર બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક પર સવાર…

Read More

ભાવનગર જિલ્લામાં દિવ્યાંગો માટે વિનામૂલ્યે ઓનલાઈન કોમ્પ્યુટર તાલીમ શરૂ, ૧૦ તાલુકાના લાભાર્થીઓને મળશે ડિજિટલ કૌશલ્ય

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગર જિલ્લાના દિવ્યાંગ યુવક-યુવતીઓને ડિજિટલ રીતે સશક્ત બનાવવા માટે પીએનઆર ટેકનોલોજી સેન્ટર દ્વારા વિનામૂલ્યે ઓનલાઈન કોમ્પ્યુટર તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના ૧૦ તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને લેપટોપ, સ્કેનર અને ઇન્ટરનેટ ડોંગલની સહાય સાથે ઘરબેઠાં ઓનલાઈન તાલીમ આપવામાં આવશે. કાર્યક્રમને લઈને દિવ્યાંગ સમાજ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ જોવા…

Read More

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા રેલવે કર્મચારીઓનો સન્માન

ધ ગ્રેટ વર્લ્ડ,ભાવનગર આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા તારીખ 05 મે, 2026 (મંગળવાર)ના રોજ ઓફિસર ક્લબ, ભાવનગર પરા ખાતે રેલવે કર્મચારીઓના સન્માન માટે એક ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો શુભારંભ સંગઠનની અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્મા દ્વારા દીપ પ્રજ્વલન કરીને કરવામાં આવ્યો. કાર્યક્રમની અધ્યક્ષતા કરતાં તેમણે મંડળના 50…

Read More

હરિદ્વારની પવિત્ર ભૂમિ પર ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’નું ભવ્ય આયોજન: પિતૃ મોક્ષાર્થે ભક્તિનો સંગમ

​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરદેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં અને ગંગાજીના તટ પર આવેલા પવિત્ર યાત્રાધામ હરિદ્વાર ખાતે આગામી જૂન માસમાં એક ભવ્ય આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’ માં ભાવનગરના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાશે.​આ ધાર્મિક મહોત્સવની વિગતવાર માહિતી આપતા આયોજકોએ જણાવ્યું છે કે, કથાનો મંગલ પ્રારંભ તા….

Read More