Headlines

‘વી કેર’ : રિલાયન્સ દ્વારા યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન અને આવશ્યક આરોગ્ય સંભાળથી લઈને સુરક્ષિત પરિવહન અને સીમલેસ કનેક્ટિવિટી સુધીની અનેક સેવાઓ

વિશ્વના સૌથી મોટા ધાર્મિક-સાંસ્કૃતિક પ્રસંગ એવા મહાકુંભમાં લાખો યાત્રાળુઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સલામતીને સક્ષમ બનાવવા અને તેમની મુસાફરીને વધુ સુરક્ષિત, અનૂકૂળ અને સરળ બનાવવાની અમને મળેલી આ તક છે: અનંત મૂકેશ અંબાણીપ્રયાગરાજ, 5 ફેબ્રુઆરી 2025: ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્વ-ની શોધ…

Read More

સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા: કેન્દ્રીય અંદાજપત્રમાં હાલારના આઠ રેલવે સ્ટેશનનો અમૃત ભારત હેઠળ કરાશે વિકાસ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫       દેશના નાણામંત્રી દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટમાં રૂપિયા 6303 કરોડના ખર્ચે દેશના 87 રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના આઠ રેલવે સ્ટેશનનો પણ આ કરોડોની યોજનામાં સમાવેશ થયો છે. ત્યારે હાલારના સાંસદ…

Read More

દ્વારકા જિલ્લામાં અનેક સ્થળોએ કરોડો રૂપિયાના ખર્ચે માયનોર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ

– ચોમાસામાં હવે રસ્તા પર પાણી નહીં ભરાય : ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રયાસો: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.ડબ્લ્યુ.ડી. વિભાગના કાર્યપાલક ઇજનેર યુ.બી. ચૌધરીની જહેમત કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા હાઈવે માર્ગ પર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે માયનોર પુલ બનાવવાના…

Read More

ભાણવડમાં વૃદ્ધ અને નધણીયાતા બળદનું આશ્રય સ્થાન એટલે શિવ નંદી આશ્રમ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે એનિમલ લવર્સ ગ્રુપના કાર્યકરો દ્વારા સમયાંતરે વિવિધ માનવતાવાદી સેવા કાર્યો કરવામાં આવે છે. તેમના દ્વારા આ વિસ્તારમાંથી નીકળતા ઝેરી તથા બિનઝેરી સાપથી માંડીને અજગર, મગર જેવા પ્રાણીને કોઈપણ સ્થળેથી વિનામૂલ્યે રેસ્ક્યુ કરવામાં આવે છે. આટલું જ નહીં, આ વિસ્તારમાં કોઈ…

Read More

ખંભાળિયાના કબર વિસોત્રી ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫           ખંભાળિયા નજીક આવેલા કબર વિસોત્રી ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શાળા પરિસરમાં રાજેશ્રીબા વી. જાડેજાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.        આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સ્પીચ,…

Read More

યુકેના વર્ક વિજાની લાલચ આપી પોરબંદરના યુવક સાથે જામનગરની ઠગ ટોળકીએ કરી રૂ 19.80 લાખની છેતરપિંડી: બે શખસોની ધરપકડ

પોરબંદરયુનાઇટેડ કિંગડમના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી જામનગર જિલ્લાના બે શખ્સોએ અને તેના મળતીયાઓએ મળીને પોરબંદર તાલુકાના વાછોડા ગામના એક યુવક સાથે 19.80 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે. એફઆઇઆરમાં નામજોગ દર્શાવાયેલા બંને આરોપીઓને કમલાબાગ પોલીસે ઝડપી લીધા છે અને આરોપીઓના મળતીયાઓને પકડવાના હજી બાકી છે. પકડાયેલ આરોપીઓની સઘન પૂછતાછ…

Read More

જન્મદિન શુભેચ્છા : દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)          ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના સુપુત્ર શ્રી ધનરાજભાઈ ધનરાજ નથવાણીનો આજે જન્મદિવસ છે.            ધનરાજભાઈ નથવાણી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર છે અને સાથે-સાથે તેઓ ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી તેમજ ફોર્ચ્યુન 500માં સામેલ કંપની રિલાયન્સ…

Read More

જન્મદિન શુભેચ્છા : ખંભાળિયાની શ્રેયા માખેચાનો આજે જન્મદિવસ 

 ખંભાળિયાના જાણીતા પરાગ ગેસ્ટ હાઉસ વાળા અમિતભાઈ માખેચાની પુત્રી શ્રેયાનો આજે જન્મદિવસ છે. ખંભાળિયાના હિન્દ ન્યૂઝના પત્રકાર જયરાજ માખેચાની ભત્રીજી ચિ. શ્રેયા આજે 15માં વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે શ્રેયા માખેચાને આજે તેના જન્મદિવસ નિમિત્તે તેના પપ્પાના મોબાઈલ નંબર 82009 29731 ઉપર શુભકામનાઓ પાઠવશો. ____________________________________________________________________________ (ફોટો: કુંજન રાડિયા)

Read More

કાર મચાયે શોર: ખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં પીધેલી હાલતમાં કાર ચાલકનો અકસ્માત

લક્ઝરી કાર ઝાડ સાથે અથડાવતા મોટી દુર્ઘટના અટકી કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫         ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં ગતરાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં લક્ઝરી કાર લઈને નીકળેલા એક નબીરાએ ઝાડ સાથે અકસ્માત સર્જ્યો હતો. આ બનાવમાં સદભાગ્યે કોઈ મોટી દુર્ઘટના બનતી અટકી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો…

Read More

કલ્યાણપુરમાં સ્વતંત્ર માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન સબબ બે આરોપીઓને કેદ તથા દંડ

– લીઝ પરવાના વગર ગેરકાયદેસર રીતે 16 વર્ષ પૂર્વેના કેસનો ચુકાદો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫       કલ્યાણપુર પંથકમાં આજથી આશરે 16 વર્ષ પૂર્વે જુદા જુદા બે આસામીઓએ તેમની ખેતીની જમીનમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ખનન કરતા આ પ્રકરણમાં કુલ રૂપિયા 5.14 કરોડની ખનીજ ચોરીમાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે બંને…

Read More