Headlines

ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે દ્વારકા જતા પદયાત્રી મહિલાનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬       ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ સવારના સમયે દ્વારકા તરફ જઈ રહેલા રાજકોટના પદયાત્રીઓ પૈકીના એક મહિલાને અજાણ્યા મોટરકારના ચાલકે અડફેટે લેતા રાજકોટના આ મહિલાનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.         આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં શ્રદ્ધાપાર્ક સોસાયટી – 3 ખાતે રહેતા જીતેન્દ્રભાઈ જેરામભાઈ…

Read More

ભાવનગરમાં ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી ઊંચા વળતરની લાલચ આપી રૂ. 4.20 કરોડની છેતરપિંડી કરનાર વિવેક નાથાણી રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસના હાથે ઝડપાયો

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૩ ભાવનગર શહેરના સીદસર રોડ પર હિલપાર્ક ચોકડી નજીક ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી રોકાણકારોને માસિક ૭ ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂ. ૪.૨૦ કરોડથી વધુની રકમનું ફુલેકુ ફેરવનાર ટોળકીના એક સાગરીતને રાજકોટ સીઆઈડી ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની શોધખોળ હજુ ચાલુ…

Read More

સત્તાના નશામાં અંધ ભાવનગરના સાંસદ ! જેણે નેતા બનાવ્યા એવા જ પાયાના કાર્યકર રવિ બારૈયાનું ‘કૃર અપમાન’: નિમુ બાંભણિયા વિરુદ્ધ કોળી સમાજમાં ભારે રોષ :  રવિભાઈ દ્વારા કટાક્ષમાં ‘આભાર’ માનતો પત્ર વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી રવાના થતાં ખળભળાટ

​ ​ઉપકાર ભૂલીને અપકાર! મદદ માંગવા ગયેલા ગંભીર બીમાર કાર્યકરને સાંસદે હડધૂત કર્યા, કોળી સમાજમાં નિમુ બામણીયાની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે આવ્યો ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​રાજકારણમાં કહેવાય છે કે ‘સીડી’ ચડી ગયા પછી લોકો ઘણીવાર પાયાના પથ્થરને ભૂલી જતા હોય છે. ભાવનગરના વર્તમાન સાંસદ નિમુબેન બાંભણિયાના કિસ્સામાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. જે…

Read More

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાળ્યો : હત્યારાઓ સામે કડક પગલાની માંગ

– હત્યારાઓ સામે કડક પગલાની માંગ કરાઈ – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬          મોરબીમાં સોની સમાજના યુવાન જતીન રસિકભાઈ આડેસરાની તાજેતરમાં ઘાતકી હત્યાની કરૂણ ઘટના બની છે. આ બનાવથી ખંભાળિયાના સોની સમાજના લોકોમાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે.           નાની બાબતે જાહેરમાં બનેલી આ ઘટના…

Read More

રાણાવાવ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ખોવાયેલા અડધા લાખની કિંમતના ત્રણ મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જુનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા અને પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ જિલ્લામાં ખોવાયેલા ફોન શોધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ​આ કામગીરીમાં ડીવાયએસપી ધવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એન. તળાવીયા અને પીએસઆઈ આર.વી. મોરી સહિતના સ્ટાફે ટેકનોલોજી અને CEIR પોર્ટલની…

Read More

હાર્બર મરીન પોલીસ દ્વારા બાળકો અને મહિલાઓની સુરક્ષા માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર જૂનાગઢ રેન્જ આઈ.જી. અને પોરબંદર પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા ખારવા પ્રાથમિક શાળામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીથી થતા નુકસાન અંગે સમજ આપી ડ્રગ્સ એક્ટિવિટી હેલ્પલાઈન 1933 વિશે માહિતગાર કરાયા હતા….

Read More

પોરબંદર મત્સ્ય બંદર પર અસામાજિક તત્વોનો આતંક: ઇલેક્ટ્રિક સબસ્ટેશનના દરવાજા તૂટ્યા : વધતી ચોરી અને અસુરક્ષાના માહોલથી માછીમારોમાં રોષ; સીસીટીવી અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ

​ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના મત્સ્ય બંદર વિસ્તારમાં, ફિશરીઝ ટર્મિનલ ગેટની બાજુમાં આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) અને ફિશરીઝ વિભાગના ઇલેક્ટ્રિક સબસ્ટેશનની બાજુની ઓરડીનો દરવાજો અજ્ઞાત તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર બંદર વિસ્તારની સુરક્ષા અને વીજ પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે. ભાજપ માછીમાર સેલ અને માછીમાર…

Read More

કંચનપુર ગામે અબડાપીરડાડા અને મોડપીરડાડાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૬      ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજમાન શ્રી અબડાપીરડાડા અને મોડપીરડાડાની મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 દિવસીય ભવ્ય નગરયાત્રા (શોભાયાત્રા) નું પણ આયોજન કરાયું છે.       આ પ્રસંગે તા. ગુરુવાર 26 ના રોજ સવારે વાડાસડાની ભાદર નદીના કાંઠેથી આ નગરયાત્રા (શોભાયાત્રા) પ્રારંભ કરવામાં આવશે….

Read More

ભાવનગરના પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત દેવલોક પામ્યા 

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૨ ભાવનગર નજીક અધેવાડા પાસે આવેલ  પ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી પરમહંસ દાસ ઉ.વ .89 તા.22/2/26 શ્રીજી ચરણ થયેલ છે. તેમના સેવક માટે 23 2 2026 સોમવાર ના રોજ અંતિમ દર્શન સવારે 11 વાગે રાખેલ છે .પાલખીયાત્રા બપોરે 2  ફુલસરીયા મંદિર અધેવાડા થી રાખેલ છે.

Read More

ભાવનગરના અગીયાળી ગામે અમીઝરા પાર્શ્વનાથ દાદાની ૬૨ મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી

​વિપુલ હિરાણી દ્વારા   ભાવનગર તા.૨૨ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અગીયાળી ગામે બિરાજમાન ૨૩માં તીર્થંકર ભગવાન શ્રી અમીઝરા પાર્શ્વનાથ દાદાની ૬૨મી વર્ષગાંઠ (સાલગીરી) ની પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ઈન્દ્રસેનસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જીવદયા, ભક્તિ અને ધાર્મિક અનુષ્ઠાનોનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ​ફાગણ સુદ ત્રીજના શુભ દિવસે આયોજિત આ મહોત્સવમાં…

Read More