Headlines

નવારતનપર ગ્રામ પંચાયતમાં હલચલ: સરપંચ ગૌતમ બારૈયા સામે આજે અવિશ્વાસની દરખાસ્ત પર જંગ, ખુરશી માટે ખરાખરીનો ખેલ

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર  ભાવનગર જિલ્લાના નવા રતનપર ગામમાં આજે ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ કલાકે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચશે. ગ્રામ પંચાયતના સરપંચ ગૌતમ બારૈયા સામે પંચાયતના સભ્યો દ્વારા મૂકવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત પર આજે મહત્વનું મતદાન યોજાનાર છે. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૬, ૫૭ હેઠળ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેને પગલે…

Read More

શંકરાચાર્યજીના પંચદેવને કાગબાપુએ કવિતા રૂપે સમાજને આપ્યા: કાગધામમાં પૂજ્ય મોરારિબાપુની નિશ્રામાં ‘કાગ વંદના’ યોજાઈ

મુકેશ પંડિત, કાગધામ ​કાગધામ મજાદર ખાતે પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગની પુણ્યતિથિ ‘કાગચોથ’ નિમિત્તે પૂજ્ય મોરારિબાપુના પાવન સાનિધ્યમાં ભવ્ય ‘કાગ વંદના’ અને લોકસાહિત્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પૂજ્ય બાપુએ કાગબાપુની સાહિત્યિક ચેતનાને વંદન કરતા જણાવ્યું કે, જગદગુરુ શંકરાચાર્યજીના પંચદેવને કાગબાપુએ પોતાની કવિતા દ્વારા લોકભાષામાં ઉતારી સમાજને અર્પણ કર્યા છે. આ ઉપક્રમ વ્યક્તિપૂજા નહીં…

Read More

પાલિતાણાના સતુઆબાબા વિદ્યાસંકુલમાં ભવ્ય નેત્ર નિદાન શિબિર યોજાઈ: ૨૨૭ દર્દીઓની તપાસ

મુકેશ પંડિત, પાલીતાણા ​પાલિતાણા સ્થિત શ્રી સતુઆબાબા વિદ્યાસંકુલ ખાતે સુદર્શન નેત્રાલય, અમરેલીના સહયોગથી નેત્ર નિદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં સંસ્થાના પ્રમુખ ગીરીશભાઈ ગોધાણી અને ભીમજીભાઇ જસાણીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં પાલિતાણાના વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રણીઓ, સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું…

Read More

કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા ત્રણ દિવસ નાગાલેન્ડના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પૂર્વોત્તર રાજ્યોના સર્વાંગી વિકાસને વેગ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાએ તેમની નાગાલેન્ડની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તરપૂર્વી વિસ્તાર દેશની વિકાસ યાત્રામાં પ્રાથમિકતા ક્ષેત્ર તરીકે ઉભર્યો છે અને “ન્યૂ ઈન્ડિયા”ના વિઝનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.દિમાપુર જિલ્લામાં જાહેર…

Read More

સુફી સંત શંકરડાડાની પુણ્યતિથિની બુધવારે ખંભાળિયામાં થશે ભક્તિભાવપૂર્વક ઉજવણી

– સંતવાણી, રક્તદાન કેમ્પ, મહાપ્રસાદ સહિતના આયોજનો – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬       સુફી સંત શ્રી શંકરડાડાની 38 મી પુણ્યતિથિ નિમિત્તે આગામી બુધવાર તા. 25 ફેબ્રુઆરીના રોજ ખંભાળિયામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.         પૂજ્ય શંકરડાડાની પુણ્યતિથિના અનુસંધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયામાં દ્વારકા હાઈવે પર કુવાડીયા…

Read More

મીઠાપુરના વિદેશી દારૂ પ્રકરણમાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો

– એસ.ઓ.જી. પોલીસે રાપરના શખ્સને દબોચી લીધો – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે વિદેશી દારૂની 181 બોટલ મળી આવી હતી. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કચ્છ જિલ્લાના રાપર…

Read More

ખંભાળિયા વિસ્તારમાંથી દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ

– વિનામૂલ્યે એમ્બ્યુલન્સ તથા તબીબી સારવારની સુવિધા પ્રાપ્ય – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬        સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી, ધૂળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવા માટે હજારો પદયાત્રીઓ દ્વારા પ્રયાણ કરવામાં આવનાર છે. ત્યારે આગામી દિવસોમાં પદયાત્રીઓ માટે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અનેક પદયાત્રી સેવા કેમ્પનો ધમધમાટ શરૂ…

Read More

ભાણવડના વેરાડ આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ સેવા કાર્યો સંપન્ન

– પોષણ કીટ વિતરણ, નિદાન અને રક્તદાન કેમ્પનો ત્રિવેણી સંગમ – જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૬       ભાણવડના સંકલ્પ ગ્રુપ અને વેરાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રિવિધ સેવા સંકલ્પ કાર્યક્રમ સંપન્ન થયો હતો.      વેરાડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાણવડના સંકલ્પ ગ્રુપ ભાણવડ અને વેરાડ પ્રાથમિક…

Read More

ભાણવડમાં જિલ્લા આરોગ્ય તંત્રના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬        ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જરૂરી રક્ત ઉપલબ્ધ રહે તે માટે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત રીતે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ ભાણવડના શેઢાખાઈ ગામે સંકલ્પ ગ્રુપ, શેઢાખાઈ આયુષ્માન આરોગ્ય મંદિર, મોરઝર પી.એચ.સી. અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો….

Read More

ભાવનગર નું ગૌરવ: ડૉ. જલ્પેશ દવેએ ફિઝિક્સમાં Ph.D. પૂર્ણ કરી

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા. ૨૩ ભાવનગરના રત્નોએ વિશ્વસ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી છે, જેમાં વધુ એક યશસ્વી નામ ઉમેરાયું છે. મૂળ જળોદરના વતની અને હાલ ભાવનગર નિવાસી  અમૃતલાલ જશાભાઈ દવે તથા શ્રીમતી સરલાબેન દવેના સુપુત્ર ડૉ. જલ્પેશ દવેએ ભૌતિકશાસ્ત્ર (Physics) વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. ડૉ. જલ્પેશ દવેએ સી.વી.એમ. યુનિવર્સિટી,…

Read More