Headlines

ભાવનગરમાં મનપાના બે મેદસ્વિતા નિવારણ યોગ કેમ્પ સમ્પન્ન ; સાધકોના વજનમાં ૭ કિલો સુધીનો ઘટાડો​મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહની પ્રેરક ઉપસ્થિતિ: સ્વાસ્થ્ય જાળવવા યોગને જીવનશૈલી બનાવવા અનુરોધ

વિપુલ હિરાણી દ્વારા​ભાવનગર તા.૨૨ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજીના નેતૃત્વમાં અને ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલના માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહેલી ૩૦ દિવસીય મેદસ્વિતા યોગ શિબિરનું ગતરોજ ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જોડાયેલા સાધકોએ આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે. ​સમાપન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ…

Read More

પ્રયાગરાજમાં સુપ્રસિદ્ધ સુતેલાં મોટા હનુમાનજી દર્શન કરાયાં બંધ: મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે લેવાયેલ નિર્ણય

મૂકેશ પંડિત, પ્રયાગરાજ મંગળવાર તા.૧૪-૧-૨૦૨૫ તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ સુતેલાં મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં છે તેમ જાહેરાત થઈ હતી. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે આ નિર્ણય લેવાયેલ હતો. ઉત્તર પ્રદેશનાં ઐતિહાસિક તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવેલ સુપ્રસિદ્ધ મોટા હનુમાનજી દર્શન બંધ કરાયાં હતાં. મહાકુંભમેળામાં ઉત્તરાયણ સ્નાન પર્વે ભારે ભીડ થતાં સુરક્ષા માટે…

Read More

ખંભાળિયા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પ્રાંત અધિકારી સમક્ષ મેન્ડેટ રજૂ કરાયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીઓને અનુલક્ષીને મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે નક્કી કરાયેલા નામ અંગેના મેન્ડેટ સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના મેન્ડેટ યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ…

Read More

ખંભાળિયાના પીઢ સેવાભાવી દાતા સદગૃહસ્થ મુળજીભાઈ પાબારીના જન્મદિવસ નિમિત્તે આજે વિવિધ સેવા કાર્યો

– 98 વર્ષના રઘુવંશી વડીલે કર્યા છે અનેકવિધ અનુદાન – જામ ખંભાળિયા, તા. ૧૧-૪-૨૦૨૫          ખંભાળિયાની જૂની પેઢીના પીઢ સેવાભાવી દાતા સદગૃહસ્થ મુળજીભાઈ વલ્લભદાસ પાબારી કે જેઓ સમાજ માટે કંઈક કરી છૂટવાની ઉમદા ભાવના ધરાવે છે, તેઓ અત્યાર સુધી ખૂબ મોટી રકમના અનુદાન આપી ચૂક્યા છે. આવા વડીલ મુળજીભાઈ પાબારી આજે 97…

Read More

ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપના સમુહલગ્નમાં 151 યુગલોએ પરિણય જીવનમાં પ્રયાણ કર્યું: પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન, અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલીયા વિગેરેની ઉપસ્થિતિ

  વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૨ ભાવનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા સાદગી, સમાનતા અને સંસ્કારના સૂત્ર સાથે 151 દંપતીઓને સહઅસ્તિત્વ તરફ પ્રયાણ કરાવતો બારમો સમૂહલગ્ન તા. 22 ફેબ્રુઆરી 2026ના રોજ જવાહર મેદાન ખાતે ધામધૂમ અને ઝાકમઝાળ વચ્ચે યોજાયો હતો.જેમાં  અઢારેય વર્ણના કુલ 151 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનનો પ્રારંભ કર્યો હતો. માંધાતા સંગઠન દ્વારા  છેલ્લા…

Read More

સાસણના સિંહ સદન ખાતે સિંહ સરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

સેમિનારમાં ભાવનગર જિલ્લાના પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હરેશ જોષી, સાસણ ગીરવાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન વન્ય પ્રાણી વિભાગ સાસણના નાયબ વંશરક્ષક ડો. મોહન રામે કર્યું હતું. તેઓએ જણાવ્યું કે આજનો આ માર્ગદર્શન કાર્યક્રમ આવતા દિવસોમાં સિંહ સરક્ષણ અને સિંહ જાગૃતિ માટે…

Read More

પોરબંદર મહાનગર પાલીકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ તથા નાખવા પર પ્રતિબંધ

તા.૧૬.૦૩.૨૦૨૬ થી તા.૧૪.૦૫.૨૦૨૬ સુધી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટનુ જાહેરનામુ અમલી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર, તા.૧૭ શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. ડી. ધાનાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અને (સી) અન્વયે પોરબંદર જિલ્લાની પોરબંદર મહાનગરપાલિકા સમગ્ર વિસ્તારમાં પશુઓને જાહેરમાં ઘાસચારો જાહેરમાર્ગ/ફુટપાથ તથા જાહેરસ્થળો ઉપર કોઇપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેંચાણ…

Read More

વડોદરામાં 19મીએ પત્રકાર એકતા પરિષદનું અધિવેશન

ગોરધનભાઈ ઝડફિયાના અધ્યક્ષ સ્થાને યોજાનારા અધિવેશનમાં પત્રકારો મોટી સંખ્યામાં રહેશે ઉપસ્થિત ઓશન બારૈયા – વડોદરા વડોદરામાં 19 જાન્યુઆરી,રવિવારે, સવારે 10/00 થી 1/00 દરમિયાન વડોદરા જિલ્લા, તાલુકા,નગર ના નાના – મોટા તમામ પત્રકારોનું વડોદરા જિલ્લા અધિવેશન એમ એસ યુનિવર્સિટીના સી.સી મહેતા હોલમાં યોજાવા જઈ રહ્યું છે. પત્રકાર એકતા પરિષદ 33 જિલ્લા માં 34 કારોબારી,પ્રદેશ કારોબારી,12 ઝોન,252…

Read More

“જમવાના પૈસા શું કામ માંગે છે” કહીને ભાટિયાના યુવાન પર પાઇપ વડે હુમલો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬ ખંભાળિયાના યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી       ખંભાળિયામાં એસ.ટી. ડેપો પાસે રહેતા ઈસ્માઈલભાઈ અનવરભાઈ ભગાડ નામના 31 વર્ષના યુવાને બુધવાર તા. 18 ના રોજ રાત્રિના સમયે પોતાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. જે અંગે મૃતકના મોટાભાઈ યાસીનભાઈ અનવરભાઈ…

Read More

ખીરસરા ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: રૂ. સવા લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫        કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં ખીરસરા ગામે ચાલતા એક જુગારના અખાડામાં દરોડો પાડી, પોલીસે એક મહિલા સહિત સાત શખ્સોને રૂપિયા સવા લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.          આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ…

Read More