Headlines

પોરબંદરમાં આનાપાન ધ્યાન પ્રશિક્ષણ, વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમ યોજાશે: ૨૪ મેના રોજ તાજાવાલા હોલ ખાતે વિશેષ આયોજન

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભારતની પ્રાચીન વિપશ્યના ધ્યાન પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવા માટે પોરબંદરમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધમ્મકોટ વિપશ્યના કેન્દ્ર રાજકોટ અને પોરબંદર વિપશ્યના સમિતિના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર, ૨૪ મે ૨૦૨૬ના રોજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ દરમિયાન દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા તાજાવાલા હોલ ખાતે આનાપાન ધ્યાન પ્રશિક્ષણ અને વિપશ્યના…

Read More

ખંભાળિયા, દ્વારકાના બે રીઢા ગુનેગાર પાસા તળે જેલ હવાલે

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૪-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા ગુનાહિત તત્વો સામે પાસા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા સામાજિક ઇસમો સામે કરવામાં આવેલી…

Read More

પોરબંદરના ચિત્રકાર બલરાજ પાડલીયાનું વોટર કલર પેઇન્ટિંગ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં પસંદગી પામ્યુ

પોરબંદરપોરબંદરના ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તથાજાણીતા ચિત્રકાર બલરાજ પાડલીયાનું પેઇન્ટિંગ “વેકેશન ઓફ બોટ્સ ” અસ્માવતી ઘાટ પોરબંદર પસંદગી પામેલ છે.તારીખ 6 થી 9 ડિસેમ્બર 2024 દરમિયાન દિલ્હી ખાતેઓલમ્પિઆર્ટ 2024 માં 60 દેશના 550 ચિત્રકારોના ચિત્ર પ્રદર્શન યોજાયેલ. આ પ્રસંગે IWS ના પ્રેસિડેન્ટઅતાનુર ડોગન -કેનેડા, IWS ઈન્ડિયા પ્રેસિડેન્ટ તથા સુપ્રસિદ્ધ ચિત્રકાર અમિત કપૂર-દિલ્હી તથા મેઘા હાંડા…

Read More

પોરબંદર છાયામાં યુવક અને તેના મામા ઉપર બે શખ્સોનો પ્લાસ્ટિકના પાઇપથી હુમલો

પ્લાસ્ટિકના પાઇપ અને છુટ્ટા પથ્થરના ઘા કરી બાઈક ને રૂ 50,000 નું નુકસાન કરવા સહિતના મામલે એફ.આઇ.આર પોરબંદરપોરબંદરમાં છાયા ભીમરાવચોક પાસે રહેતા એક યુવક અને તેના મામાને બે શખ્સોએ માર મારી બાઇકને રૂપિયા 50,000 નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ગોપાલભાઇ કરશનભાઇ શીંગરખીયા (ઉ.વ.૨૮, ધંધો-મજુરીકામ રહે. છાયા…

Read More

૩ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થતાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે પ્રી-મોન્સૂન વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર**સમગ્ર ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ (IMD)ના તાજા અહેવાલો અનુસાર, અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (વાવાઝોડાની સ્થિતિ) અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં એકસાથે ૩ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આ સિસ્ટમોની સંયુક્ત અસરના પગલે આગામી ૪ થી ૫ દિવસ સુધી…

Read More

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી

ભારતની સંસ્કૃતિ અને પર્યટનના સમન્વયનો ઉત્સવ ; રાષ્ટ્રીય પર્યટન દિવસ ગાંધીનગરપર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથે સાથે દેશની સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાઓને સમજવાનો અને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પ્રવાસન ક્ષેત્રને વેગવાન બનાવવા અથાગ પ્રત્યન કર્યા હતા. ગુજરાતમાં વાયબ્રન્ટ નવરાત્રી, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ…

Read More

સણોસરા આરોગ્ય કેન્દ્રમાં વિદ્યાર્થીઓની મુલાકાત

ઈશ્વરિયા શુક્રવાર તા.૧૩-૧૨-૨૦૨૪ સણોસરા લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ગ્રામીણ અભ્યાસક્રમ સ્નાતક ત્રીજા વર્ષનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. અધ્યાપક શ્રી કુમારગૌરવ પુરોહિત સાથે આરોગ્ય કેન્દ્રનાં તબીબી અધિકારી શ્રી આશિયાબેન હુનાણી દ્વારા દર્દીઓ અને સારવાર પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી. અંહિયા શ્રી મિતેશભાઈ ગોસ્વામી તથા શ્રી ભરતભાઈ લુણી દ્વારા પણ વિગતો આપવામાં આવી.

Read More

ખંભાળિયા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: રૂ. દોઢ લાખની કિંમતના ફોન મૂળ માલિકને સોંપાયા

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫      ખંભાળિયા પોલીસ મથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા સાથે વિવિધ પ્રકારના સેવાકાર્યો પણ કરવામાં આવે છે. ત્યારે ખંભાળિયા પંથકમાં કેટલાક આસામીઓના સમયાંતરે ગુમ થયેલા મોબાઈલ ફોન સંદર્ભે પોલીસે જરૂરી કાર્યવાહી કરી, અને રૂપિયા દોઢ લાખની કિંમતના જુદા જુદા ફોન તેના…

Read More

ભાવનગરમાં જલારામ બાપાની ૧૪૪મી પુણ્યતિથિ નિમિત્તે આનંદનગર ખાતે ધૂન ભજન, ભોજન પ્રસાદ ,રક્તદાન શિબિર અને આરોગ્ય તપાસ યોજાશે

ભાવનગર સમગ્ર વિશ્વ માં પૂ જલારામ બાપા ની 144 મી પુણ્ય તિથિ આગામી તા.23 ફેબ્રુઆરી ને રવિવાર ના રોજ હોય જે નિમિતે ઠેર ઠેર પૂ.જલારામ બાપા ના જીવન મંત્ર સમાન ભજન ધૂન અને મહાપ્રસાદ નું આયોજન સાથે જનસેવા ના કાર્યો નું આયોજન કરવા માં આવેલ છે. ભાવનગર ખાતે જલારામ મંદિર આનંદનગર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો…

Read More

ભાવનગરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું “સુંદર” આયોજન

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરમાં શ્રી નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ હનુમાનજી જન્મ મહોત્સવ નિમિત્તે શ્રી હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના સંગીતમય પાઠનું આયોજન તા. ૧૨.૪.૨૦ર૫ને શનિવારના રોજ સાંજે ૬ થી ૮ કલાક દરમ્યાન શ્રી જયંતભાઇ વનાણી (બુધાભાઈ પટેલ)ના નિવાસસ્થાને, પ્લોટ નં. ૨૬૮૬, માતૃઆશિષ, વળીયાનો ખાંચો, ફુલવાડી ચોક પાસે,…

Read More